માતા મહાકાળીને પ્રસન્ન કરવાનો દિવસ એટલે કાળી ચૌદશ, તેમની ઉપાસના કરવાથી આકસ્મિક મૃત્યુ ટળે છે


  • Published By :
  • Published Date : 2024-10-30 16:23:25

આજે કાળી ચૌદશ છે... કાળી ચૌદશને નરક ચૌદશ અથવા નાની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.... દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે.. આજના દિવસે અનેક લોકો ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે.. એવું પણ માનવામાં  આવે છે કે આજનો દિવસ તાંત્રિક વિદ્યા સાથે સંકળાયેલા લોકો માટે મહત્વનો હોય છે.. સ્મશાનમાં પણ અનેક લોકો સાધના આજના દિવસે કરતા હોય છે.... આવું કરવાથી તેમને સિદ્ધિઓ હાંસલ થાય છે.. 

માઁ મહાકાળી પાવાગઢ શક્તિપીઠ - ????#_जय_श्री_महाकाली_माँ ???????? | Facebook


નરક ચતુર્દશી તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે.. 

દિવાળીના તહેવાર દરમિયાન ત્રણ મહાશક્તિઓની આરાધના થાય છે.. મહા લક્ષ્મી, મહા કાળી અને મહા સરસ્વતી.. દિવાળીના દિવસે માતા સરસ્વતીની જ્યારે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની આરાધના થાય છે... માતા મહાકાળીની આરાધના કાળી ચૌદાશના દિવસે કરવામાં આવે છે... માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા.. જેને કારણે કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે... બીજી એક કથા એવી પણ જે મુજબ આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે, 



દુષ્ટ શક્તિઓનો થાય છે નાશ

કાળી ચૌદશના દિવસે ના માત્ર મહાકાળીની પૂજા કરવાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. મહાકાલી દેવીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.  માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ કોઈ ભક્ત હનુમાનજીની, ભૈરવદાદાની પણ પૂજા કરવામાં આવે છે.... એવું માનવામાં આવે છે આજના દિવસે પૂજા કરવાથી અકાળે મૃત્યુ આવતી નથી..



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે....)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.