વિવાદ વધતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માર્યો યુ-ટર્ન! જલારામ બાપા માટે કરેલી ટિપ્પણીને લઈ માફી માગતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 14:55:09

ધર્મ અને રાજનીતિ જાણે હવે નેતાઓએ એક કરી દીધી છે. રાજનીતિમાં ચર્ચામાં રહેવા માટે અનેક નેતાઓ ધર્મને લઈ નિવેદનો આપતા હોય છે.  ધર્મ અને ભગવાનને લાવીને ચર્ચામાં રહેવું એ લોકો માટે, ધારાસભ્યો માટે હવે ટ્રેન્ડ થઈ ગયો છે તેવું લાગે છે.  ધર્મ પર કઈ કહીશું કે ભગવાન વિશે કઈ કહીશું તો ચર્ચામાં આવીશું, આવુજ વિચારીને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું. આવું નિવેદન આપી કદાચ ધારાસભ્ય ચર્ચામાં રહેવા માગતા હોય છે! 

સાંઈબાબા અને જલારામ બાપા માટે આપ્યું હતું વિવાદીત નિવેદન!

કાલોલના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા સાંઈ બાબા અને જલારામ બાપાને લઈ નિવેદન આપ્યું હતું, જેને લઈ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી ત્યારે ધારાસભ્યએ પોતાની વાત પરથી યુટર્ન માર્યો. વિવાદ વધતા ધારાસભ્યએ માફી છે. વાત એમ હતી કે ફતેસિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જલારામ અને સાંઈબાબા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.  

વિવાદ વકરતા ધારાસભ્યએ મારી પલટી!

સાંઈબાબા અને જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર ધારાસભ્યએ માફી માગી છે. માફી માગતા તેમણે કહ્યું હતું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું, પરંતુ વાઇરલ થયેલા વીડિયો સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે, જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે. મહત્વનું છે કે ધારાસભ્યો, નેતાઓ પોતાની વાત પરથી ક્યારે પલટી મારી જાય છે તેનો ખ્યાલ નથી રહેતો!   


સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ કહી આ વાત!

ફરી એક વખત શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે થોડા સમય પહેલા જ્યારે સ્વામિનારાયણ અને ભીંત ચિત્રોનો વિવાદ ચાલતો હતો ત્યારે પણ તેમણે કંઈક આવુ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.