વિવાદ વધતા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે માર્યો યુ-ટર્ન! જલારામ બાપા માટે કરેલી ટિપ્પણીને લઈ માફી માગતા કહ્યું કે... સાંભળો


  • Published By :
  • Published Date : 2024-02-08 14:55:09

ધર્મ અને રાજનીતિ જાણે હવે નેતાઓએ એક કરી દીધી છે. રાજનીતિમાં ચર્ચામાં રહેવા માટે અનેક નેતાઓ ધર્મને લઈ નિવેદનો આપતા હોય છે.  ધર્મ અને ભગવાનને લાવીને ચર્ચામાં રહેવું એ લોકો માટે, ધારાસભ્યો માટે હવે ટ્રેન્ડ થઈ ગયો છે તેવું લાગે છે.  ધર્મ પર કઈ કહીશું કે ભગવાન વિશે કઈ કહીશું તો ચર્ચામાં આવીશું, આવુજ વિચારીને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું. આવું નિવેદન આપી કદાચ ધારાસભ્ય ચર્ચામાં રહેવા માગતા હોય છે! 

સાંઈબાબા અને જલારામ બાપા માટે આપ્યું હતું વિવાદીત નિવેદન!

કાલોલના ધારાસભ્યએ થોડા દિવસ પહેલા સાંઈ બાબા અને જલારામ બાપાને લઈ નિવેદન આપ્યું હતું, જેને લઈ ભક્તોમાં નારાજગી પણ જોવા મળી હતી ત્યારે ધારાસભ્યએ પોતાની વાત પરથી યુટર્ન માર્યો. વિવાદ વધતા ધારાસભ્યએ માફી છે. વાત એમ હતી કે ફતેસિંહ ચૌહાણે થોડા સમય પહેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે જલારામ અને સાંઈબાબા વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.  

વિવાદ વકરતા ધારાસભ્યએ મારી પલટી!

સાંઈબાબા અને જલારામ બાપા પર કરેલી ટિપ્પણી પર ધારાસભ્યએ માફી માગી છે. માફી માગતા તેમણે કહ્યું હતું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું, પરંતુ વાઇરલ થયેલા વીડિયો સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે, જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે. મહત્વનું છે કે ધારાસભ્યો, નેતાઓ પોતાની વાત પરથી ક્યારે પલટી મારી જાય છે તેનો ખ્યાલ નથી રહેતો!   


સ્વામીનારાયણ સંપ્રદાય માટે પણ કહી આ વાત!

ફરી એક વખત શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે થોડા સમય પહેલા જ્યારે સ્વામિનારાયણ અને ભીંત ચિત્રોનો વિવાદ ચાલતો હતો ત્યારે પણ તેમણે કંઈક આવુ જ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સ્ટેજ પરથી સ્વામિનારાયણ સંપ્રદાય પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામિનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, કોઈ ધર્મનું જ્ઞાન નથી. એટલા બધા વ્યાભિચારી સંત રોજ સમાચારમાં આવે છે અને અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે. આપણે દેવી-દેવતાઓના નામ પર તેનો સંપ્રદાય ચલાવે છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે