ભવન્સ કોલેજ ખાતે મોરારી બાપુના હસ્તે થશે કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું લોકાર્પણ તેમજ વાંચનાલયમાં કાન્તિ ભટ્ટના પુસ્તકોનું કરી શકાશે વાંચન


  • Published By :
  • Published Date : 2023-03-31 13:27:25

પુસ્તકને માણસનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે. વાંચન કરવાથી માણસના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવા અનેક સાહિત્યકારો થઈ ગયા જેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે ભવન્સ કોલેજમાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે. પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભારતીય વિદ્યા ભવનના આદ્યસ્થાપક, લોકપ્રિય ગુજરાતી લેખક અને કુલપતિની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે.

ગુજરાતમાં અસ્મિતાના સંદર્ભે

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું | Gujarat  News in Gujarati


અનેક પુસ્તકો અને લેખોને કરાયા છે ડિજિટાઈઝ 

પ્રતિમાના અનાવરણ ઉપરાંત ભવન્સ કોલેજ ખાતે નિર્મિત સ્વ. કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય ખાતે તેમના ડિજિટાઈઝડ કરાયેલા લેખસંગ્રહને પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. કાન્તિભાઈના પત્ની અને જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા અનેક પુસ્તકો તેમજ લેખનોને અર્પણ કરવામાં આવ્યા હતા. અંદાજીત 1600થી વધુ પુસ્તકો અને અંદાજે 16000 જેટલા કાન્તિભાઈના લેખોને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે જેને વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.