ભવન્સ કોલેજ ખાતે મોરારી બાપુના હસ્તે થશે કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું લોકાર્પણ તેમજ વાંચનાલયમાં કાન્તિ ભટ્ટના પુસ્તકોનું કરી શકાશે વાંચન


  • Published By :
  • Published Date : 2023-03-31 13:27:25

પુસ્તકને માણસનો સૌથી સારો મિત્ર માનવામાં આવે છે. વાંચન કરવાથી માણસના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં એવા અનેક સાહિત્યકારો થઈ ગયા જેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ત્યારે ભવન્સ કોલેજમાં ડો. કનૈયાલાલ માણેકલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવવાનું છે. પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુના હસ્તે ભારતીય વિદ્યા ભવનના આદ્યસ્થાપક, લોકપ્રિય ગુજરાતી લેખક અને કુલપતિની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે.

ગુજરાતમાં અસ્મિતાના સંદર્ભે

મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું | Gujarat  News in Gujarati


અનેક પુસ્તકો અને લેખોને કરાયા છે ડિજિટાઈઝ 

પ્રતિમાના અનાવરણ ઉપરાંત ભવન્સ કોલેજ ખાતે નિર્મિત સ્વ. કાન્તિ ભટ્ટ સ્મારક અને વાંચનાલય ખાતે તેમના ડિજિટાઈઝડ કરાયેલા લેખસંગ્રહને પણ જાહેર જનતા માટે ખુલ્લા મુકાશે. કાન્તિભાઈના પત્ની અને જાણીતાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા અનેક પુસ્તકો તેમજ લેખનોને અર્પણ કરવામાં આવ્યા હતા. અંદાજીત 1600થી વધુ પુસ્તકો અને અંદાજે 16000 જેટલા કાન્તિભાઈના લેખોને ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે જેને વાંચકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.