સંસદમાં અવાજ બંધ કરવા રાહુલ ગાંધી પર કેસ, પાટીદાર અનામત માંગનારો મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા: કનૈયા કુમાર


  • Published By :
  • Published Date : 2023-03-31 20:39:30

કોંગ્રેસના નેતા ડો. કનૈયા કુમાર આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની સજાથી લઈને, અદાણી, હાર્દિક પટેલ સહિતના મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દાને તેમણે ભાજપનો પ્રિ-પ્લાન ગણાવ્યો હતો.  સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે આ સમગ્ર ખેલ રચવામાં આવ્યો હતો.


કેસ માનહાનિનો પણ ઈરાદો અવાજ બંધ કરવાનો


કનૈયા કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સામેના માનહાનિનો ખોટો કેસ ઘડવામાં આવ્યો હતો તેનું અસલ કારણ  આ રીતે સંસદમાં તેમનો અવાજ બંધ કરાવાનો હતો. સરકારની બેઈમાનીની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે. આ કેસમાં સુરતની કોર્ટના જે  જજે ચુકાદો સંભળાવ્યો તેને લઈ જજના પણ તેમણે આડકતરી ટકોર કરી હતી. કનૈયા કુમારે જજ પર કટાક્ષ કર્યો કરતા કહ્યું કે સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા પાઠવું છું.


હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન


કનૈયા કુમારે પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે "મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપવાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા છે. આજે તેના પર લગાવવામાં આવેલા તમામ કેસ દૂર થઈ ગયા છે. ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયો છે. જો બરોબર આ જ રીતે તે સેટ થઈ જશે તો મને લાગે છે તે આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પાટીદારો માટે અનામત  માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો સભ્ય કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું."



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.