સંસદમાં અવાજ બંધ કરવા રાહુલ ગાંધી પર કેસ, પાટીદાર અનામત માંગનારો મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા: કનૈયા કુમાર


  • Published By :
  • Published Date : 2023-03-31 20:39:30

કોંગ્રેસના નેતા ડો. કનૈયા કુમાર આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની સજાથી લઈને, અદાણી, હાર્દિક પટેલ સહિતના મુદ્દે ભાજપની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના મુદ્દાને તેમણે ભાજપનો પ્રિ-પ્લાન ગણાવ્યો હતો.  સંસદમાં વિપક્ષ તરીકે રાહુલ ગાંધીનો અવાજ બંધ કરી દેવા માટે આ સમગ્ર ખેલ રચવામાં આવ્યો હતો.


કેસ માનહાનિનો પણ ઈરાદો અવાજ બંધ કરવાનો


કનૈયા કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સામેના માનહાનિનો ખોટો કેસ ઘડવામાં આવ્યો હતો તેનું અસલ કારણ  આ રીતે સંસદમાં તેમનો અવાજ બંધ કરાવાનો હતો. સરકારની બેઈમાનીની વાતો લોકો સુધી ન પહોંચે તે માટે આ કરવામાં આવ્યું છે. જે કંપનીની બઈમાનીને લઈ સંસદમાં છેલ્લા ઘણા દિવસોથી રાહુલ ગાંધી દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને ચર્ચા કરવામાં આવી રહી છે તે ચર્ચાને જ દૂર કરી દેવાય તે માટે આ પ્રકારનો માનહાનિ ના નામનો મામલો આગળ કરીને ચુકાદો લાવવામાં આવ્યો છે. આ કેસમાં સુરતની કોર્ટના જે  જજે ચુકાદો સંભળાવ્યો તેને લઈ જજના પણ તેમણે આડકતરી ટકોર કરી હતી. કનૈયા કુમારે જજ પર કટાક્ષ કર્યો કરતા કહ્યું કે સુરત કોર્ટના માનનીય જજ હરેશ વર્માજીને ચુકાદો સંભળાવ્યા બાદ પ્રમોશન મળ્યું છે. ત્યારે તેમના પ્રમોશનને લઈ હું તેમને અને તેમના પરિવારને હાર્દિક શુભકામના પાઠવું છું અને જીવનમાં આ જ રીતે આગળ વધવાની શુભેચ્છા પાઠવું છું.


હાર્દિક પટેલ પર સાધ્યું નિશાન


કનૈયા કુમારે પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે "મારો એક ખૂબ જ જૂનો દોસ્ત છે. અત્યારે જેમ અન્ય લોકો બેઠા છે તેવી રીતે એ પણ મારી સાથે બાજુમાં બેસતો હતો. મારા એ મિત્રને ભાજપવાળા દેશદ્રોહી કહેતા હતા. અનેક જુદા જુદા કેસો તેની પર કર્યા હતા. હવે મારો મિત્ર ભાજપમાં ગયો તેના બધા ગુના ધોવાઈ ગયા છે. આજે તેના પર લગાવવામાં આવેલા તમામ કેસ દૂર થઈ ગયા છે. ભાજપમાં જઈ તે ધારાસભ્ય બની ગયો છે. જો બરોબર આ જ રીતે તે સેટ થઈ જશે તો મને લાગે છે તે આગામી દિવસોમાં મંત્રી અથવા મુખ્યમંત્રી પણ બની જશે. પાનની દુકાન ઉપર ભાજપના કાર્યકર્તાઓ જેને દેશદ્રોહી બતાવી રહ્યા હતા, પાટીદારો માટે અનામત  માંગવાને લઈ તેને જાતિવાદી કહેવામાં આવતો હતો, ટુકડે ટુકડે ગેંગનો સભ્ય કહેવામાં આવતો હતો. તે બધું જ સાફ થઈ ગયું, ધોવાઈ ગયું, માફ થઈ ગયું."



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.