અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ, કાંકરિયામાં મ્યુનિસિપલ સ્કૂલમાં આગ લગાડી, આચાર્યએ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-11-02 16:10:21

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. તેમાં પણ મોટા શહેરોમાં પણ તો લૂંટ, હત્યા અને મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં તો અસામાજીત તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરકારી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારની AMC હસ્તકની એક સ્કૂલમાં અસામજીક તત્વોએ બળજબરીપૂર્વ ઘુસણખોરી કર્યા બાદ તેમાં ગંદકી કરી હતી. ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. આ લોકોએ શાળામાં આગ લગાડી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું, શાળાના આચાર્યએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શાળાને આગના હવાલે કરી


અમદાવાદમાં અસમાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તે રીતે છાકટા બની રહ્યા છે. શહેરમાં ગુનાકિય પ્રવૃતિ વધી રહી છે. અમદાવાદ શહેરના કાંકરિયામાં મ્યુનિસિપલ કોર્પેરેશનની શાળામાં કેટલાક અસમાજીક તત્વોએ બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેમણે શાળામાં ગંદકી કરવા ઉપરાંત આગ ચાંપી શાળાની પ્રોપ્રટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ રજૂઆત કરી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે શાળાના સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કર્યો હતો.


શાળા વર્ષ 2021થી બંધ છે


કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4 વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોવાથી બંધ હાલતમાં છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2021માં શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  શાળા નંબર-4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો  જોવા મળી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે. શાળા બંધ હોવાથી સ્થાનિક અસામાજીક તત્વોએ તેને પોતાનો ગુનાકિય પ્રવૃતી માટેનો અડ્ડો બનાવી છે.   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.