અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ, કાંકરિયામાં મ્યુનિસિપલ સ્કૂલમાં આગ લગાડી, આચાર્યએ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-11-02 16:10:21

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. તેમાં પણ મોટા શહેરોમાં પણ તો લૂંટ, હત્યા અને મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં તો અસામાજીત તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરકારી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારની AMC હસ્તકની એક સ્કૂલમાં અસામજીક તત્વોએ બળજબરીપૂર્વ ઘુસણખોરી કર્યા બાદ તેમાં ગંદકી કરી હતી. ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. આ લોકોએ શાળામાં આગ લગાડી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું, શાળાના આચાર્યએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શાળાને આગના હવાલે કરી


અમદાવાદમાં અસમાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તે રીતે છાકટા બની રહ્યા છે. શહેરમાં ગુનાકિય પ્રવૃતિ વધી રહી છે. અમદાવાદ શહેરના કાંકરિયામાં મ્યુનિસિપલ કોર્પેરેશનની શાળામાં કેટલાક અસમાજીક તત્વોએ બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેમણે શાળામાં ગંદકી કરવા ઉપરાંત આગ ચાંપી શાળાની પ્રોપ્રટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ રજૂઆત કરી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે શાળાના સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કર્યો હતો.


શાળા વર્ષ 2021થી બંધ છે


કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4 વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોવાથી બંધ હાલતમાં છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2021માં શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  શાળા નંબર-4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો  જોવા મળી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે. શાળા બંધ હોવાથી સ્થાનિક અસામાજીક તત્વોએ તેને પોતાનો ગુનાકિય પ્રવૃતી માટેનો અડ્ડો બનાવી છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.