અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ, કાંકરિયામાં મ્યુનિસિપલ સ્કૂલમાં આગ લગાડી, આચાર્યએ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-11-02 16:10:21

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. તેમાં પણ મોટા શહેરોમાં પણ તો લૂંટ, હત્યા અને મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં તો અસામાજીત તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરકારી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારની AMC હસ્તકની એક સ્કૂલમાં અસામજીક તત્વોએ બળજબરીપૂર્વ ઘુસણખોરી કર્યા બાદ તેમાં ગંદકી કરી હતી. ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. આ લોકોએ શાળામાં આગ લગાડી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું, શાળાના આચાર્યએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શાળાને આગના હવાલે કરી


અમદાવાદમાં અસમાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તે રીતે છાકટા બની રહ્યા છે. શહેરમાં ગુનાકિય પ્રવૃતિ વધી રહી છે. અમદાવાદ શહેરના કાંકરિયામાં મ્યુનિસિપલ કોર્પેરેશનની શાળામાં કેટલાક અસમાજીક તત્વોએ બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેમણે શાળામાં ગંદકી કરવા ઉપરાંત આગ ચાંપી શાળાની પ્રોપ્રટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ રજૂઆત કરી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે શાળાના સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કર્યો હતો.


શાળા વર્ષ 2021થી બંધ છે


કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4 વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોવાથી બંધ હાલતમાં છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2021માં શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  શાળા નંબર-4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો  જોવા મળી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે. શાળા બંધ હોવાથી સ્થાનિક અસામાજીક તત્વોએ તેને પોતાનો ગુનાકિય પ્રવૃતી માટેનો અડ્ડો બનાવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.