અમદાવાદમાં અસામાજીક તત્વો બેફામ, કાંકરિયામાં મ્યુનિસિપલ સ્કૂલમાં આગ લગાડી, આચાર્યએ નોંધાવી ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-11-02 16:10:21

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે. તેમાં પણ મોટા શહેરોમાં પણ તો લૂંટ, હત્યા અને મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં તો અસામાજીત તત્વો એટલા બેફામ બની ગયા છે કે સરકારી શાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારની AMC હસ્તકની એક સ્કૂલમાં અસામજીક તત્વોએ બળજબરીપૂર્વ ઘુસણખોરી કર્યા બાદ તેમાં ગંદકી કરી હતી. ગઈ કાલે રાત્રે સ્કૂલ નંબર ત્રણ અને ચારના એક ઓરડામાં રહેલા ભંગારમાં આગ લાગી હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. વર્ષોથી બંધ હાલતમાં રહેલી આ સ્કૂલમાં અસામાજિક તત્વોએ અડ્ડો જમાવ્યો છે. આ લોકોએ શાળામાં આગ લગાડી સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું, શાળાના આચાર્યએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


શાળાને આગના હવાલે કરી


અમદાવાદમાં અસમાજીક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ હોય તે રીતે છાકટા બની રહ્યા છે. શહેરમાં ગુનાકિય પ્રવૃતિ વધી રહી છે. અમદાવાદ શહેરના કાંકરિયામાં મ્યુનિસિપલ કોર્પેરેશનની શાળામાં કેટલાક અસમાજીક તત્વોએ બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરી હતી. તેમણે શાળામાં ગંદકી કરવા ઉપરાંત આગ ચાંપી શાળાની પ્રોપ્રટીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4માં ઘૂસીને ગંદકી સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. સ્થાનિક તત્વો શાળાને નુકસાન કરે છે જેથી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા શાળાના આચાર્યએ રજૂઆત કરી છે. તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે, તેમણે આરોપ લગાવ્યો હતો કે શાળાના સિક્યુરીટી ગાર્ડને પણ હેરાન કર્યો હતો.


શાળા વર્ષ 2021થી બંધ છે


કાંકરિયા રોડ પર કાંતોડિયા વાસમાં કાંકરિયા સ્કૂલ નંબર 4 વર્ષ 2021માં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે બંધ થઈ ગઈ હતી. હાલ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોવાથી બંધ હાલતમાં છે. શાળાના કેટલાક વિદ્યાર્થીઓને વર્ષ 2021માં શાળા નંબર એકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.  શાળા નંબર-4નું પરિસર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. શિક્ષણના ધામમાં ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પણ શિક્ષકે પોલીસને વિનંતી કરી છે. શાળા પરિસરમાં આંગણવાડી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ  શાળા પરિસરમાં જ દેશી દારૂની કોથળીઓ અને દારૂની બોટલો  જોવા મળી રહી છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર સત્વરે આ અંગે કાર્યવાહી કરે તેવી શિક્ષકો અને વાલીઓની માગ છે. શાળા બંધ હોવાથી સ્થાનિક અસામાજીક તત્વોએ તેને પોતાનો ગુનાકિય પ્રવૃતી માટેનો અડ્ડો બનાવી છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.