કોરોના કેસ ઘટતા આ વખતે થશે કાંકરિયા કાર્નિવલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-16 12:21:07

છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ આયોજીત કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે કોરોના કહેર નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે ધામધૂમથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવશે.

Kankariya Lake in Sarkhej, Ahmedabad | ID: 7328897112

આતજબાજી નહીં કરવામાં આવે 

કોરોના કહેર વધતા 2019થી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં ન આવતું હતું. પરંતુ આ વખતે કોરોના નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો પણ રંગ આ કાર્યક્રમમાં જોવા મળશે. અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર દેશના 15 વિવિધ રાજ્યોના કલાકારો પરફોર્મ કરશે. ઉપરાંત ફૂક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાત્રીના સમયે કરવામાં આવતી આતજબાજી કરવામાં નહીં આવે. 2008માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ આયોજન પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે