કોરોના કેસ ઘટતા આ વખતે થશે કાંકરિયા કાર્નિવલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-16 12:21:07

છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ આયોજીત કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે કોરોના કહેર નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે ધામધૂમથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવશે.

Kankariya Lake in Sarkhej, Ahmedabad | ID: 7328897112

આતજબાજી નહીં કરવામાં આવે 

કોરોના કહેર વધતા 2019થી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં ન આવતું હતું. પરંતુ આ વખતે કોરોના નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો પણ રંગ આ કાર્યક્રમમાં જોવા મળશે. અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર દેશના 15 વિવિધ રાજ્યોના કલાકારો પરફોર્મ કરશે. ઉપરાંત ફૂક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાત્રીના સમયે કરવામાં આવતી આતજબાજી કરવામાં નહીં આવે. 2008માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ આયોજન પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.