કોરોના કેસ ઘટતા આ વખતે થશે કાંકરિયા કાર્નિવલનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-16 12:21:07

છેલ્લા અનેક વર્ષોથી અમદાવાદ ખાતે કાંકરિયા કાર્નિવલ આયોજીત કરવામાં આવે છે. 25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે કોરોના કહેર નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે ધામધૂમથી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવશે.

Kankariya Lake in Sarkhej, Ahmedabad | ID: 7328897112

આતજબાજી નહીં કરવામાં આવે 

કોરોના કહેર વધતા 2019થી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં ન આવતું હતું. પરંતુ આ વખતે કોરોના નિયંત્રણમાં હોવાને કારણે આ વખતે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવનો પણ રંગ આ કાર્યક્રમમાં જોવા મળશે. અંતિમ દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ પર દેશના 15 વિવિધ રાજ્યોના કલાકારો પરફોર્મ કરશે. ઉપરાંત ફૂક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે રાત્રીના સમયે કરવામાં આવતી આતજબાજી કરવામાં નહીં આવે. 2008માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ આયોજન પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.