AAPના પૂર્વ અને BJPના વર્તમાન નેતા કનુ ગેડિયાએ કર્યું આ ચોંકાવનારું નિવેદન, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-21 18:51:08

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ભંગાણ પડ્યું છે. 6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આપના વધુ બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વોર્ડ નં.3ના આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે. જો કે આ દરમિયાન કનુ ગેડિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોબાળો મચ્યો છે.


કનુ ગેડિયાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 


આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાનારા કનુ ગેડિયા  તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચા છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ આપતા કહ્યું કે " રાષ્ટ્રહિતની ભાવના, દેશની અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આજથી 15-20 દિવસ પહેલા મારૂ બાળક જ્યારે તેની સ્કૂલના એન્યુઅલ ડે ફંક્સનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું, હું એક અભ્યાસુ જીવડો છું કન્ટીન્યુ વાંચન કરતો હોઉં છું એટલે મને એમ થયું  કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે, તે રીતે આપણા સીમાડાઓને પણ સુરક્ષિત રાખવા પડશે અને આપણે એક મજબુત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આપમાં જોડાયો ત્યારે હું લુખ્ખેશ હતો, આપમાંથી જોડાવા માટે રૂપિયા લીધા એ ખાલી અફવા છે, હું અહિયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું, અહીં મારી કુદરતી ઉજળી રહે છે એવું મને લાગી રહ્યું છે".   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.