AAPના પૂર્વ અને BJPના વર્તમાન નેતા કનુ ગેડિયાએ કર્યું આ ચોંકાવનારું નિવેદન, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-21 18:51:08

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ભંગાણ પડ્યું છે. 6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આપના વધુ બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વોર્ડ નં.3ના આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે. જો કે આ દરમિયાન કનુ ગેડિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોબાળો મચ્યો છે.


કનુ ગેડિયાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 


આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાનારા કનુ ગેડિયા  તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચા છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ આપતા કહ્યું કે " રાષ્ટ્રહિતની ભાવના, દેશની અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આજથી 15-20 દિવસ પહેલા મારૂ બાળક જ્યારે તેની સ્કૂલના એન્યુઅલ ડે ફંક્સનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું, હું એક અભ્યાસુ જીવડો છું કન્ટીન્યુ વાંચન કરતો હોઉં છું એટલે મને એમ થયું  કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે, તે રીતે આપણા સીમાડાઓને પણ સુરક્ષિત રાખવા પડશે અને આપણે એક મજબુત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આપમાં જોડાયો ત્યારે હું લુખ્ખેશ હતો, આપમાંથી જોડાવા માટે રૂપિયા લીધા એ ખાલી અફવા છે, હું અહિયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું, અહીં મારી કુદરતી ઉજળી રહે છે એવું મને લાગી રહ્યું છે".   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.