AAPના પૂર્વ અને BJPના વર્તમાન નેતા કનુ ગેડિયાએ કર્યું આ ચોંકાવનારું નિવેદન, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-21 18:51:08

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ભંગાણ પડ્યું છે. 6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આપના વધુ બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વોર્ડ નં.3ના આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે. જો કે આ દરમિયાન કનુ ગેડિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોબાળો મચ્યો છે.


કનુ ગેડિયાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 


આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાનારા કનુ ગેડિયા  તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચા છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ આપતા કહ્યું કે " રાષ્ટ્રહિતની ભાવના, દેશની અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આજથી 15-20 દિવસ પહેલા મારૂ બાળક જ્યારે તેની સ્કૂલના એન્યુઅલ ડે ફંક્સનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું, હું એક અભ્યાસુ જીવડો છું કન્ટીન્યુ વાંચન કરતો હોઉં છું એટલે મને એમ થયું  કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે, તે રીતે આપણા સીમાડાઓને પણ સુરક્ષિત રાખવા પડશે અને આપણે એક મજબુત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આપમાં જોડાયો ત્યારે હું લુખ્ખેશ હતો, આપમાંથી જોડાવા માટે રૂપિયા લીધા એ ખાલી અફવા છે, હું અહિયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું, અહીં મારી કુદરતી ઉજળી રહે છે એવું મને લાગી રહ્યું છે".   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.