AAPના પૂર્વ અને BJPના વર્તમાન નેતા કનુ ગેડિયાએ કર્યું આ ચોંકાવનારું નિવેદન, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-04-21 18:51:08

સુરત આમ આદમી પાર્ટીમાં આજે ફરી એક વખત ભંગાણ પડ્યું છે. 6 દિવસ પહેલાં AAPના છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આપના વધુ બે કોર્પોરેટર આજે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. વોર્ડ નં.3ના આપના કોર્પોરેટર કનુ ગેડિયા અને વોર્ડ નં.2ના આપના કોર્પોરેટર અલ્પેશ પટેલ ભાજપમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 12 કોર્પોરેટરે AAPનો છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. આથી આમ આદમી પાર્ટી સફાયા તરફ હોવાની ચર્ચા લોકોમાં ઊઠી છે. જો કે આ દરમિયાન કનુ ગેડિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોબાળો મચ્યો છે.


કનુ ગેડિયાએ આપ્યું ચોંકાવનારું નિવેદન 


આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાનારા કનુ ગેડિયા  તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચા છે. તેમણે ભાજપમાં જોડાવાનું કારણ આપતા કહ્યું કે " રાષ્ટ્રહિતની ભાવના, દેશની અને સંસ્કૃતિની સુરક્ષા થાય તે માટે થઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આજથી 15-20 દિવસ પહેલા મારૂ બાળક જ્યારે તેની સ્કૂલના એન્યુઅલ ડે ફંક્સનમાં જય શ્રી રામના નારા સાથે ડાન્સ કરી રહ્યો હતો ત્યારે મને એવું લાગ્યું, હું એક અભ્યાસુ જીવડો છું કન્ટીન્યુ વાંચન કરતો હોઉં છું એટલે મને એમ થયું  કે જ્યારે એણે મને ટ્રિગર કર્યું કે જે રીતે આપણી સંસ્કૃતિ બચાવી છે, તે રીતે આપણા સીમાડાઓને પણ સુરક્ષિત રાખવા પડશે અને આપણે એક મજબુત નેતૃત્વની જરૂર છે એ માટે થઈને હું  ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું, આપમાં જોડાયો ત્યારે હું લુખ્ખેશ હતો, આપમાંથી જોડાવા માટે રૂપિયા લીધા એ ખાલી અફવા છે, હું અહિયા મારી કારકિર્દી બનાવવા માટે રાષ્ટ્રહિતની ભાવના સાથે આવ્યો છું, અહીં મારી કુદરતી ઉજળી રહે છે એવું મને લાગી રહ્યું છે".   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.