Karai Academy ફરી આવી ચર્ચામાં! ટ્રેઈની PSIએ રજા લેવા સગાઈની નકલી કંકોત્રી અધિકારીઓને બતાવી, અને પછી....


  • Published By :
  • Published Date : 2024-02-10 12:53:27

નકલીની બોલબાલા છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. ઘણા સમય પહેલા કરાઈ એકેડમીથી નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવી ઝડપાયો હતો. તે બાદ તો નકલી પકડાવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ફરી એક આ એકેડમી ચર્ચામાં આવી છે કારણ કે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ રજા મેળવવા માટે પોતાની સગાઈ થતી હોવાનું નાટક કર્યું તેવી માહિતી સામે આવી છે. ઉપરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને રજા મેળવવાનું કારસ્તાન કર્યું હોય તેવી જાણ થતાં તે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       


સગાઈની નકલી પત્રિકા બતાવી ટ્રેઈની પીએસઆઈએ લીધી રજા!

હજી સુધી આપણે નકલી અધિકારીઓ પકડાવાની વાતો સાંભળી ત્યારે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ પોતાના સગાઈની નકલી કંકોત્રી બતાવી રજા મેળવી છે તેવી માહિતી સામે આવી છે. પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હાલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ .... નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. પોતાની સગાઈ થતી હોવાનું પીએસઆઈ ટ્રેઈનીએ બહાનું આપ્યું, નકલી કંકોત્રી છપાઈ. નકલી કંકોત્રી બતાવી ટ્રેઈની પીએસઆઈએ રજા મેળવી અને પોતાના ગામડે ગયો. 


ટ્રેઈની પીએસાઈને કરાયા સસ્પેન્ડ 

ટ્રેઈની પીએસઆઈ તો ગામડે જતા રહ્યા પરંતુ ઉપરી અધિકારીને શંકા ગઈ. નકલી કાર્ડ લાગતા તે અંગેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે આ કાર્ડ નકલી છે અને ટ્રેઈની પીએસઆઈએ પોતાના મિત્રના મદદથી આ કાર્ડ બનાવ્યું છે. તપાસમાં આ સમગ્ર કાંડ સામે આવ્યો. આખી ઘટના સામે આવતા ટ્રેઈની પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રેઈની પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.