Karai Academy ફરી આવી ચર્ચામાં! ટ્રેઈની PSIએ રજા લેવા સગાઈની નકલી કંકોત્રી અધિકારીઓને બતાવી, અને પછી....


  • Published By :
  • Published Date : 2024-02-10 12:53:27

નકલીની બોલબાલા છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. ઘણા સમય પહેલા કરાઈ એકેડમીથી નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવી ઝડપાયો હતો. તે બાદ તો નકલી પકડાવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ફરી એક આ એકેડમી ચર્ચામાં આવી છે કારણ કે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ રજા મેળવવા માટે પોતાની સગાઈ થતી હોવાનું નાટક કર્યું તેવી માહિતી સામે આવી છે. ઉપરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને રજા મેળવવાનું કારસ્તાન કર્યું હોય તેવી જાણ થતાં તે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       


સગાઈની નકલી પત્રિકા બતાવી ટ્રેઈની પીએસઆઈએ લીધી રજા!

હજી સુધી આપણે નકલી અધિકારીઓ પકડાવાની વાતો સાંભળી ત્યારે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ પોતાના સગાઈની નકલી કંકોત્રી બતાવી રજા મેળવી છે તેવી માહિતી સામે આવી છે. પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હાલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ .... નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. પોતાની સગાઈ થતી હોવાનું પીએસઆઈ ટ્રેઈનીએ બહાનું આપ્યું, નકલી કંકોત્રી છપાઈ. નકલી કંકોત્રી બતાવી ટ્રેઈની પીએસઆઈએ રજા મેળવી અને પોતાના ગામડે ગયો. 


ટ્રેઈની પીએસાઈને કરાયા સસ્પેન્ડ 

ટ્રેઈની પીએસઆઈ તો ગામડે જતા રહ્યા પરંતુ ઉપરી અધિકારીને શંકા ગઈ. નકલી કાર્ડ લાગતા તે અંગેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે આ કાર્ડ નકલી છે અને ટ્રેઈની પીએસઆઈએ પોતાના મિત્રના મદદથી આ કાર્ડ બનાવ્યું છે. તપાસમાં આ સમગ્ર કાંડ સામે આવ્યો. આખી ઘટના સામે આવતા ટ્રેઈની પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રેઈની પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.