Karai Academy ફરી આવી ચર્ચામાં! ટ્રેઈની PSIએ રજા લેવા સગાઈની નકલી કંકોત્રી અધિકારીઓને બતાવી, અને પછી....


  • Published By :
  • Published Date : 2024-02-10 12:53:27

નકલીની બોલબાલા છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. ઘણા સમય પહેલા કરાઈ એકેડમીથી નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવી ઝડપાયો હતો. તે બાદ તો નકલી પકડાવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ફરી એક આ એકેડમી ચર્ચામાં આવી છે કારણ કે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ રજા મેળવવા માટે પોતાની સગાઈ થતી હોવાનું નાટક કર્યું તેવી માહિતી સામે આવી છે. ઉપરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને રજા મેળવવાનું કારસ્તાન કર્યું હોય તેવી જાણ થતાં તે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       


સગાઈની નકલી પત્રિકા બતાવી ટ્રેઈની પીએસઆઈએ લીધી રજા!

હજી સુધી આપણે નકલી અધિકારીઓ પકડાવાની વાતો સાંભળી ત્યારે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ પોતાના સગાઈની નકલી કંકોત્રી બતાવી રજા મેળવી છે તેવી માહિતી સામે આવી છે. પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હાલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ .... નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. પોતાની સગાઈ થતી હોવાનું પીએસઆઈ ટ્રેઈનીએ બહાનું આપ્યું, નકલી કંકોત્રી છપાઈ. નકલી કંકોત્રી બતાવી ટ્રેઈની પીએસઆઈએ રજા મેળવી અને પોતાના ગામડે ગયો. 


ટ્રેઈની પીએસાઈને કરાયા સસ્પેન્ડ 

ટ્રેઈની પીએસઆઈ તો ગામડે જતા રહ્યા પરંતુ ઉપરી અધિકારીને શંકા ગઈ. નકલી કાર્ડ લાગતા તે અંગેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે આ કાર્ડ નકલી છે અને ટ્રેઈની પીએસઆઈએ પોતાના મિત્રના મદદથી આ કાર્ડ બનાવ્યું છે. તપાસમાં આ સમગ્ર કાંડ સામે આવ્યો. આખી ઘટના સામે આવતા ટ્રેઈની પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રેઈની પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.