Karai Academy ફરી આવી ચર્ચામાં! ટ્રેઈની PSIએ રજા લેવા સગાઈની નકલી કંકોત્રી અધિકારીઓને બતાવી, અને પછી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 12:53:27

નકલીની બોલબાલા છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાય છે. ઘણા સમય પહેલા કરાઈ એકેડમીથી નકલી પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયુર તડવી ઝડપાયો હતો. તે બાદ તો નકલી પકડાવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. ત્યારે ફરી એક આ એકેડમી ચર્ચામાં આવી છે કારણ કે કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ રજા મેળવવા માટે પોતાની સગાઈ થતી હોવાનું નાટક કર્યું તેવી માહિતી સામે આવી છે. ઉપરી અધિકારીઓ સમક્ષ નકલી કંકોત્રી રજૂ કરીને રજા મેળવવાનું કારસ્તાન કર્યું હોય તેવી જાણ થતાં તે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.       


સગાઈની નકલી પત્રિકા બતાવી ટ્રેઈની પીએસઆઈએ લીધી રજા!

હજી સુધી આપણે નકલી અધિકારીઓ પકડાવાની વાતો સાંભળી ત્યારે ગાંધીનગરની કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઈએ પોતાના સગાઈની નકલી કંકોત્રી બતાવી રજા મેળવી છે તેવી માહિતી સામે આવી છે. પાલનપુરના સાંગરા ગામના મુન્નાભાઈ હાલ ટ્રેઈની PSI છે. સામાન્ય સંજોગોમાં રજા નહીં મળે તેમ લાગતા પોતાની જ સગાઈ .... નામની કાલ્પનિક વ્યક્તિ સાથે રાખી હતી. પોતાની સગાઈ થતી હોવાનું પીએસઆઈ ટ્રેઈનીએ બહાનું આપ્યું, નકલી કંકોત્રી છપાઈ. નકલી કંકોત્રી બતાવી ટ્રેઈની પીએસઆઈએ રજા મેળવી અને પોતાના ગામડે ગયો. 


ટ્રેઈની પીએસાઈને કરાયા સસ્પેન્ડ 

ટ્રેઈની પીએસઆઈ તો ગામડે જતા રહ્યા પરંતુ ઉપરી અધિકારીને શંકા ગઈ. નકલી કાર્ડ લાગતા તે અંગેની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી કે આ કાર્ડ નકલી છે અને ટ્રેઈની પીએસઆઈએ પોતાના મિત્રના મદદથી આ કાર્ડ બનાવ્યું છે. તપાસમાં આ સમગ્ર કાંડ સામે આવ્યો. આખી ઘટના સામે આવતા ટ્રેઈની પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટ્રેઈની પીએસઆઈ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. ટ્રેઈની પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.     



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.