કરાઈ એકેડમી ફરી આવી ચર્ચામાં! પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચકચાર, આ મામલે કેસ કરાયો દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-06 14:11:36

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત અને નરી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં અનેક વખત મળી આવતો હોય છે. લોકો તેમજ પોલીસ પણ અનેક વખત નશાની હાલતમાં દેખાતા હોય છે. કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પીએઆઈ પાસેથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની બોટલ મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જેની પાસેથી દારૂની બોટલ મળી આવી છે તેમનું નામ નિરંજન ચૌધરી છે અને તે મૂળ બનાસકાંઠાના વતની છે.


તાલીમાર્થી પાસેથી મળી આવી વિદેશી દારૂની બોટલ!

કરાઈ એકેડમી ખાતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. નકલી પીએસઆઈ પકડાયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ફરી એક વખત કરાઈ એકેદમી ચર્ચામાં આવી છે. કરાઈ એકેડમીમાં દારૂની બોટલ પકડાઈ છે. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા નિરંજન ચૌધરી પાસેથી બોટલ મળી આવી છે. ટ્રેનિંગ સેન્ટરથી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેળામાં ચર્ચા ઉદ્ભવી છે. પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા રાખવવાની જવાબદારી પોલીસના શિરે હોય છે. ત્યારે કરાઈ એકેડમીમાંથી જ દારૂની બોટલ મળી આવતા ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 


વિકાસ સહાયે કડક પગલાં લેવા આપી સૂચના! 

સમયાંતરે પોલીસ એકેડમીમાં તેમજ તાલીમ લઈ રહેલા તાલીમારથીઓની રહેવાની બેરેકોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે રૂટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તાલીમાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતની જાણ ઉપરી પોલીસ અધિકારીને કરવામાં આવી હતી. ડી.જી.પી વિકાસ સહાયને આ અંગે જાણ થતાં ત્વરીત પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

તાલીમાર્થી પીએસઆઈ વિરૂદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાલીમાર્થી પાસેથી દારૂની બોટલ ઝડપાઈ તે ભાવનગરના વતની હતા. એકેડમીની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણે લાવવામાં મદદ કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.