કરાઈ એકેડમી ફરી આવી ચર્ચામાં! પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચકચાર, આ મામલે કેસ કરાયો દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-06 14:11:36

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત અને નરી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં અનેક વખત મળી આવતો હોય છે. લોકો તેમજ પોલીસ પણ અનેક વખત નશાની હાલતમાં દેખાતા હોય છે. કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પીએઆઈ પાસેથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની બોટલ મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જેની પાસેથી દારૂની બોટલ મળી આવી છે તેમનું નામ નિરંજન ચૌધરી છે અને તે મૂળ બનાસકાંઠાના વતની છે.


તાલીમાર્થી પાસેથી મળી આવી વિદેશી દારૂની બોટલ!

કરાઈ એકેડમી ખાતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. નકલી પીએસઆઈ પકડાયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ફરી એક વખત કરાઈ એકેદમી ચર્ચામાં આવી છે. કરાઈ એકેડમીમાં દારૂની બોટલ પકડાઈ છે. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા નિરંજન ચૌધરી પાસેથી બોટલ મળી આવી છે. ટ્રેનિંગ સેન્ટરથી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેળામાં ચર્ચા ઉદ્ભવી છે. પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા રાખવવાની જવાબદારી પોલીસના શિરે હોય છે. ત્યારે કરાઈ એકેડમીમાંથી જ દારૂની બોટલ મળી આવતા ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 


વિકાસ સહાયે કડક પગલાં લેવા આપી સૂચના! 

સમયાંતરે પોલીસ એકેડમીમાં તેમજ તાલીમ લઈ રહેલા તાલીમારથીઓની રહેવાની બેરેકોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે રૂટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તાલીમાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતની જાણ ઉપરી પોલીસ અધિકારીને કરવામાં આવી હતી. ડી.જી.પી વિકાસ સહાયને આ અંગે જાણ થતાં ત્વરીત પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

તાલીમાર્થી પીએસઆઈ વિરૂદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાલીમાર્થી પાસેથી દારૂની બોટલ ઝડપાઈ તે ભાવનગરના વતની હતા. એકેડમીની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણે લાવવામાં મદદ કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.