કરાઈ એકેડમી ફરી આવી ચર્ચામાં! પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચકચાર, આ મામલે કેસ કરાયો દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-06 14:11:36

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત અને નરી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં અનેક વખત મળી આવતો હોય છે. લોકો તેમજ પોલીસ પણ અનેક વખત નશાની હાલતમાં દેખાતા હોય છે. કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પીએઆઈ પાસેથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની બોટલ મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જેની પાસેથી દારૂની બોટલ મળી આવી છે તેમનું નામ નિરંજન ચૌધરી છે અને તે મૂળ બનાસકાંઠાના વતની છે.


તાલીમાર્થી પાસેથી મળી આવી વિદેશી દારૂની બોટલ!

કરાઈ એકેડમી ખાતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. નકલી પીએસઆઈ પકડાયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ફરી એક વખત કરાઈ એકેદમી ચર્ચામાં આવી છે. કરાઈ એકેડમીમાં દારૂની બોટલ પકડાઈ છે. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા નિરંજન ચૌધરી પાસેથી બોટલ મળી આવી છે. ટ્રેનિંગ સેન્ટરથી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેળામાં ચર્ચા ઉદ્ભવી છે. પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા રાખવવાની જવાબદારી પોલીસના શિરે હોય છે. ત્યારે કરાઈ એકેડમીમાંથી જ દારૂની બોટલ મળી આવતા ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 


વિકાસ સહાયે કડક પગલાં લેવા આપી સૂચના! 

સમયાંતરે પોલીસ એકેડમીમાં તેમજ તાલીમ લઈ રહેલા તાલીમારથીઓની રહેવાની બેરેકોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે રૂટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તાલીમાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતની જાણ ઉપરી પોલીસ અધિકારીને કરવામાં આવી હતી. ડી.જી.પી વિકાસ સહાયને આ અંગે જાણ થતાં ત્વરીત પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

તાલીમાર્થી પીએસઆઈ વિરૂદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાલીમાર્થી પાસેથી દારૂની બોટલ ઝડપાઈ તે ભાવનગરના વતની હતા. એકેડમીની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણે લાવવામાં મદદ કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.