કરાઈ એકેડમી ફરી આવી ચર્ચામાં! પીઆઇ પાસેથી દારુની બોટલ મળી આવતા ચકચાર, આ મામલે કેસ કરાયો દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-06 14:11:36

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. પરંતુ હકીકત અને નરી વાસ્તવિક્તા શું છે તે આપણે સૌ જાણીએ છીએ. દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં અનેક વખત મળી આવતો હોય છે. લોકો તેમજ પોલીસ પણ અનેક વખત નશાની હાલતમાં દેખાતા હોય છે. કરાઈ પોલીસ એકેડમીમાં તાલીમ મેળવી રહેલા પીએઆઈ પાસેથી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે. દારૂની બોટલ મળી આવતા ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર જેની પાસેથી દારૂની બોટલ મળી આવી છે તેમનું નામ નિરંજન ચૌધરી છે અને તે મૂળ બનાસકાંઠાના વતની છે.


તાલીમાર્થી પાસેથી મળી આવી વિદેશી દારૂની બોટલ!

કરાઈ એકેડમી ખાતે પોલીસને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. નકલી પીએસઆઈ પકડાયા હોવાની ઘટના હજી તાજી છે ત્યારે ફરી એક વખત કરાઈ એકેદમી ચર્ચામાં આવી છે. કરાઈ એકેડમીમાં દારૂની બોટલ પકડાઈ છે. એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા નિરંજન ચૌધરી પાસેથી બોટલ મળી આવી છે. ટ્રેનિંગ સેન્ટરથી દારૂની બોટલ મળી આવતા પોલીસ બેળામાં ચર્ચા ઉદ્ભવી છે. પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા તેમજ સુરક્ષા રાખવવાની જવાબદારી પોલીસના શિરે હોય છે. ત્યારે કરાઈ એકેડમીમાંથી જ દારૂની બોટલ મળી આવતા ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. 


વિકાસ સહાયે કડક પગલાં લેવા આપી સૂચના! 

સમયાંતરે પોલીસ એકેડમીમાં તેમજ તાલીમ લઈ રહેલા તાલીમારથીઓની રહેવાની બેરેકોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે રૂટિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન તાલીમાર્થી પાસેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ બાબતની જાણ ઉપરી પોલીસ અધિકારીને કરવામાં આવી હતી. ડી.જી.પી વિકાસ સહાયને આ અંગે જાણ થતાં ત્વરીત પગલા લેવા સૂચના આપવામાં આવી હતી. 


પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ!

તાલીમાર્થી પીએસઆઈ વિરૂદ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આ મામલે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાલીમાર્થી પાસેથી દારૂની બોટલ ઝડપાઈ તે ભાવનગરના વતની હતા. એકેડમીની અંદર દારૂની બોટલ ક્યાંથી આવી અને કોણે લાવવામાં મદદ કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.