કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશામાં SRP જવાને IPS અધિકારી સાથે કર્યું ગેરવર્તન, જવાનની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-07-27 20:08:30

ગુજરાતમાં દારૂ બંધીના કાયદાની ફજેતી થઈ રહી છે, સામાન્ય લોકો તો ઠીક પોલીસકર્મીઓ પણ દારૂ ઢીંચીને ફરજ બજાવતા જોવા મળે છે. ગાંધીનગરની કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશાધુતમાં SRP જવાને IPS અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર ફરજ બજાવતા સંત્રીએ દારુના નશામાં IPS અધિકારીની ગાડી રોકી હતી. હવે સમગ્ર મામલે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. આ મામલે પોલીસે SRP જવાનની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.


SRP જવાનની અટકાયત 


મળતી માહિતી પ્રમાણે, આજે ડબોડા પોલીસ સ્ટેશનમાં SRP જવાનની વિરુદ્ધ ફરિયાદ આવ્યા બાદ પોલીસે જવાનની અટકાયત કરી દીધી છે, ફરિયાદ મુજબ, ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં SRP જવાને દારુ પીને ધમાલ મચાવી હતી, આ SRP જવાન કરાઇ પોલીસ એકેડેમીના ગેટ નંબર 2 પર ફરજ બજાવતો હતો, આ દરમિયાન તેણે દારુ પીધો હતો અને નશાની હાલતમાં IPS સાથ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું, SRP જવાને IPS અધિકારીની ગાડી રોકીને ગેરવર્તન કર્યુ હતુ. SRP જવાનનું નામ પોલીસ કૉન્સ્ટેબલ ઉદાજી સોઢા છે, જ્યારે IPS અધિકારીનું નામ વિજયસિંહ ગુર્જર છે. આ ઘટના બાદ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને SRP જવાન ઉદાજી સોઢાની પોલીસ દ્વારા અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 


અગાઉ કરાઇ પોલીસ એકેડેમીમાંથી દારુની બૉટલ પકડાઈ હતી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યું છે. ગત જુન મહિનામાં કરાઈ એકેડેમીમાંથી પકડાયો દારૂ પકડાતા હંગામો મચી ગયો હતો. આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી હતું, અને તે મૂળ બનાસકાંઠાનો વતની છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી હતી. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી હતી.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.