કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશામાં SRP જવાને IPS અધિકારી સાથે કર્યું ગેરવર્તન, જવાનની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-07-27 20:08:30

ગુજરાતમાં દારૂ બંધીના કાયદાની ફજેતી થઈ રહી છે, સામાન્ય લોકો તો ઠીક પોલીસકર્મીઓ પણ દારૂ ઢીંચીને ફરજ બજાવતા જોવા મળે છે. ગાંધીનગરની કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશાધુતમાં SRP જવાને IPS અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર ફરજ બજાવતા સંત્રીએ દારુના નશામાં IPS અધિકારીની ગાડી રોકી હતી. હવે સમગ્ર મામલે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. આ મામલે પોલીસે SRP જવાનની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.


SRP જવાનની અટકાયત 


મળતી માહિતી પ્રમાણે, આજે ડબોડા પોલીસ સ્ટેશનમાં SRP જવાનની વિરુદ્ધ ફરિયાદ આવ્યા બાદ પોલીસે જવાનની અટકાયત કરી દીધી છે, ફરિયાદ મુજબ, ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં SRP જવાને દારુ પીને ધમાલ મચાવી હતી, આ SRP જવાન કરાઇ પોલીસ એકેડેમીના ગેટ નંબર 2 પર ફરજ બજાવતો હતો, આ દરમિયાન તેણે દારુ પીધો હતો અને નશાની હાલતમાં IPS સાથ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું, SRP જવાને IPS અધિકારીની ગાડી રોકીને ગેરવર્તન કર્યુ હતુ. SRP જવાનનું નામ પોલીસ કૉન્સ્ટેબલ ઉદાજી સોઢા છે, જ્યારે IPS અધિકારીનું નામ વિજયસિંહ ગુર્જર છે. આ ઘટના બાદ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને SRP જવાન ઉદાજી સોઢાની પોલીસ દ્વારા અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 


અગાઉ કરાઇ પોલીસ એકેડેમીમાંથી દારુની બૉટલ પકડાઈ હતી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યું છે. ગત જુન મહિનામાં કરાઈ એકેડેમીમાંથી પકડાયો દારૂ પકડાતા હંગામો મચી ગયો હતો. આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી હતું, અને તે મૂળ બનાસકાંઠાનો વતની છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી હતી. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી હતી.




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે