કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશામાં SRP જવાને IPS અધિકારી સાથે કર્યું ગેરવર્તન, જવાનની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-07-27 20:08:30

ગુજરાતમાં દારૂ બંધીના કાયદાની ફજેતી થઈ રહી છે, સામાન્ય લોકો તો ઠીક પોલીસકર્મીઓ પણ દારૂ ઢીંચીને ફરજ બજાવતા જોવા મળે છે. ગાંધીનગરની કરાઇ પોલીસ એકેડેમીમાં દારુના નશાધુતમાં SRP જવાને IPS અધિકારી સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હોવાનો મામલો સામે આવ્યો છે. કરાઈ પોલીસ એકેડમીના ગેટ પર ફરજ બજાવતા સંત્રીએ દારુના નશામાં IPS અધિકારીની ગાડી રોકી હતી. હવે સમગ્ર મામલે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. આ મામલે પોલીસે SRP જવાનની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.


SRP જવાનની અટકાયત 


મળતી માહિતી પ્રમાણે, આજે ડબોડા પોલીસ સ્ટેશનમાં SRP જવાનની વિરુદ્ધ ફરિયાદ આવ્યા બાદ પોલીસે જવાનની અટકાયત કરી દીધી છે, ફરિયાદ મુજબ, ગાંધીનગર નજીક આવેલી કરાઇ પોલીસ એકેડેમીમાં SRP જવાને દારુ પીને ધમાલ મચાવી હતી, આ SRP જવાન કરાઇ પોલીસ એકેડેમીના ગેટ નંબર 2 પર ફરજ બજાવતો હતો, આ દરમિયાન તેણે દારુ પીધો હતો અને નશાની હાલતમાં IPS સાથ ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું, SRP જવાને IPS અધિકારીની ગાડી રોકીને ગેરવર્તન કર્યુ હતુ. SRP જવાનનું નામ પોલીસ કૉન્સ્ટેબલ ઉદાજી સોઢા છે, જ્યારે IPS અધિકારીનું નામ વિજયસિંહ ગુર્જર છે. આ ઘટના બાદ સમગ્ર મામલો ડભોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને SRP જવાન ઉદાજી સોઢાની પોલીસ દ્વારા અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. 


અગાઉ કરાઇ પોલીસ એકેડેમીમાંથી દારુની બૉટલ પકડાઈ હતી


અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં આવેલી કરાઈ પોલીસ તાલીમ કેન્દ્ર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યું છે. ગત જુન મહિનામાં કરાઈ એકેડેમીમાંથી પકડાયો દારૂ પકડાતા હંગામો મચી ગયો હતો. આ મામલે એક પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ તાલીમ કેન્દ્ર કરાઇ ખાતેથી તાલીમ મેળવી રહેલા પીઆઈ પાસેથી દારૂની બૉટલ મળી આવી હતી. આ દારુની બૉટલ પીઆઇની બેરેકમાંથી આવ્યા બાદ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દારુ જેની બેરેકમાંથી મળી આવી તે તાલીમાર્થી પીઆઇનું નામ નિરંજન ચૌધરી હતું, અને તે મૂળ બનાસકાંઠાનો વતની છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી હતી. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી હતી.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.