કર્ણાટક:હવે વિદ્યાર્થીઓને ભગવદ ગીતા ભણાવવામાં આવશે, શાળા-કોલેજોના નવા સત્રમાં સામેલ કરવામાં આવશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:23:13

કર્ણાટક વિધાનસભામાં આજે શિક્ષણ મંત્રીને નવા શૈક્ષણિક સત્રમાં ભગવદ ગીતાના શિક્ષણને સામેલ કરવા પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ વર્ષથી જ ભગવદ ગીતાનું શિક્ષણ બાળકોને આપવામાં આવશે


કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે સોમવારે જાહેરાત કરી હતી કે રાજ્યના વિદ્યાર્થીઓએ હવે ભગવદ ગીતા વાંચવી જરૂરી રહેશે. આ ક્રમમાં અહીંની શાળા-કોલેજોમાં શરૂ થતા નવા સત્રમાં ભગવદ ગીતાનો અભ્યાસ સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ સોમવારે વિધાનસભામાં આ વાત કહી હતી.

ಶಾಲಾ ಮಕ್ಕಳನ್ನು ನೈತಿಕವಾಗಿ ತಯಾರಿ ಮಾಡುವ ಚಿಂತನೆ; ಹಾಗಾಗಿ ಪಠ್ಯದಲ್ಲಿ ಭಗವದ್ಗೀತೆ  ಸೇರಿಸಲಾಗುತ್ತದೆ: ಸಚಿವ ನಾಗೇಶ್ | Bhagavad gita to be taught in schools says  Education Minister BC ...

કર્ણાટકના શિક્ષણ પ્રધાન બીસી નાગેશ


નવા અભ્યાસ સત્રમાં ફેરફારો થશે

Bhagavad Gita wasn't always India's defining book. Another text was far  more popular globally

શિક્ષણ મંત્રીએ કહ્યું, “અમે નવા અભ્યાસ સત્રમાં ભગવદ ગીતાને સામેલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. તેનું શિક્ષણ નૈતિક શિક્ષણ હેઠળ આપવામાં આવશે. આ ચર્ચા ચાલુ રહે છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે અને અમે તેના પર ટૂંક સમયમાં નિર્ણય લઈશું. વાસ્તવમાં આજે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના MLC MK પ્રનેશે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું, 'સરકારે કહ્યું કે કર્ણાટકમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતા શીખવવાનો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી. શું સરકાર ભગવદ ગીતા શીખવવામાં ખચકાય છે? સરકારે અગાઉ આમાં રસ દાખવ્યો હતો જે નિવેદન બહાર પાડતી વખતે વાયુવેગે પ્રસરી ગયો હતો, આવું શા માટે? આ બાબત વિવિધ લઘુમતી જૂથોમાં વિવાદ સર્જી શકે છે કારણ કે જ્યારે શિક્ષણ મંત્રીએ અગાઉ જાહેરાત કરી હતી ત્યારે કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. 


હિન્દુ ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા છે, અન્ય ધર્મોને પણ સન્માન મળવું જોઈએ- સિદ્ધારમૈયા 

કર્ણાટકના પૂર્વ CM સિદ્ધારમૈયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જણાવ્યુ

વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે હિંદુ ધર્મમાં માનીએ છીએ અને અન્ય ધર્મોનું સમાન સન્માન કરીએ છીએ. બાળકોને ભગવદ ગીતા, બાઈબલ, કુરાન શીખવવામાં અમને કોઈ વાંધો નથી. પરંતુ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.