Karnataka :BJPના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીને આપી ધમકી! કહ્યું જો મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો હું કોરોના કૌભાંડનો ખુલાસો કરીશ


  • Published By :
  • Published Date : 2023-12-28 08:40:34

અનેક વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવે છે જેમાં પાર્ટીને અલવિદા કહ્યા બાદ કૌભાંડો બહાર પાડવાની ધમકી આપતા હોય છે. પાર્ટીને છોડ્યા બાદ કેટલા કૌભાંડો થયા છે તે જણાવી પોતાની વેદના ઠાલવતા હોય છે. પરંતુ શું તમે કોઈ નેતા જે ભાજપમાં હોય એમને ધમકી આપતા જોયા છે? કોઈ ધારાસભ્યને એવું કહેતા સાંભળ્યા છે કે જો મને પાર્ટીમાંથી બહાર કાઢ્યો તો કૌભાંડો બહાર પાડી દઈશ? આવા કિસ્સાઓ ભાજપમાંથી તો બહુ ઓછી વખત સામે આવતા હોય છે પરંતુ કર્ણાટકમાં કંઈ આવું જ થયું. વિજયપુરના ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યાતનાલે પોતાની જ પાર્ટીને ધમકી આપી દીધી. ચેતવણી આપતા તેમણે કહ્યું કેજો તેમને પક્ષમાંથી કાઢવામાં આવશે, તો તેઓ કોવીડ સમયે થયેલા  40,000 કરોડના ગોટાળામાં સામેલ લોકોના નામ આપી દેશે. 

માસ્કને લઈ કહી આ વાત 

કર્ણાટકમાં યેદિયુરપ્પા સામેના સૌથી સીધા અને તીક્ષ્ણ હુમલાઓમાંના એકમાં, ભાજપના ધારાસભ્ય બાસનાગૌડા પાટીલ યાતનાલે મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર કોવિડ રોગચાળા દરમિયાન મોટી રકમ કમાવવાનો આરોપ મૂક્યો હતો. મીડિયા સાથે વાત કરતા યતનાલે કહ્યું કે ફેસ માસ્કની કિંમત બજારમાં માત્ર 45 રૂપિયા છે, યેદિયુરપ્પાએ સરકારને 485 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું, અને કિંમતમાં 10 ગણો વધારો કર્યો હતો.


40000 કરોડ કૌભાંડના પર્દાફાશ કરવાની આપી ધમકી!   

વધુમાં તેમણે કહ્યું કે માત્ર આટલું જ નહીં, તત્કાલીન સરકારે ક્વોરેન્ટાઇન કેન્દ્રો સ્થાપવા માટે લગભગ 10,000 બેડ ભાડે આપ્યા હતા. તેમણે દરેક બેડ માટે 20,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. તે રકમથી તેઓ સરળતાથી બે નવા બેડ ખરીદી શકતા હતા. યેદિયુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે ખુલ્લી લૂંટ હતી. તેમણે રૂ. 40,000 કરોડના ભંડોળનો ગેરઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ”આવા આક્ષેપો ભાજપના જ ધારાસભ્ય યતનલે કર્યા હતા.

હોસ્પિટલો પર પણ લગાવ્યા આરોપ!

તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન, હોસ્પિટલો સારવારના નામે દરેક કોવિડ દર્દી પાસેથી 8-10 લાખ રૂપિયા વસૂલ કરે છે. "જ્યારે મને કોવિડ માટે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે મારી પાસેથી 5.8 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા," સાથે તેમને એવું પણ કહ્યું કે ધારાસભ્ય હોવાને કારણે તેઓ સરકાર પાસેથી ફીની ભરપાઈ કરી શકે છે, પરંતુ ગરીબોનું શું કે જેઓ હોસ્પિટલના આટલા મોટા બિલ ચૂકવી શકતા નથી.


સિદ્ધારમૈયાએ આ અંગે આપી પ્રતિક્રિયા 

એક પ્રશ્નના જવાબમાં તેમણે ધમકી આપી હતી કે જો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ ભાજપના વધુ નેતાઓને ખુલ્લા પાડશે. "પાર્ટીને મને હાંકી કાઢવા દો, પછી હું તેમાંથી દરેકને ખુલ્લા પાડીશ કારણ કે હું આ લોકો વિશે ઘણું જાણું છું," એવી ધમકી આપી હતી. બીજેપી ધારાસભ્ય બસનગૌડા પાટિલના આ નિવેદન બાદ સીએમ સિદ્ધારમૈયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બીજેપી વિધાયક બસનગૌડા પાટિલના સાહસિક આરોપોને અમારા અગાઉના પુરાવા વધુ મજબૂત થયા છે. ભાજપ સરકાર 40 ટકા કમિશનવાળી સરકાર હતી.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.