Karnataka :BJPના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીને આપી ધમકી! કહ્યું જો મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો હું કોરોના કૌભાંડનો ખુલાસો કરીશ


  • Published By :
  • Published Date : 2023-12-28 08:40:34

અનેક વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવે છે જેમાં પાર્ટીને અલવિદા કહ્યા બાદ કૌભાંડો બહાર પાડવાની ધમકી આપતા હોય છે. પાર્ટીને છોડ્યા બાદ કેટલા કૌભાંડો થયા છે તે જણાવી પોતાની વેદના ઠાલવતા હોય છે. પરંતુ શું તમે કોઈ નેતા જે ભાજપમાં હોય એમને ધમકી આપતા જોયા છે? કોઈ ધારાસભ્યને એવું કહેતા સાંભળ્યા છે કે જો મને પાર્ટીમાંથી બહાર કાઢ્યો તો કૌભાંડો બહાર પાડી દઈશ? આવા કિસ્સાઓ ભાજપમાંથી તો બહુ ઓછી વખત સામે આવતા હોય છે પરંતુ કર્ણાટકમાં કંઈ આવું જ થયું. વિજયપુરના ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યાતનાલે પોતાની જ પાર્ટીને ધમકી આપી દીધી. ચેતવણી આપતા તેમણે કહ્યું કેજો તેમને પક્ષમાંથી કાઢવામાં આવશે, તો તેઓ કોવીડ સમયે થયેલા  40,000 કરોડના ગોટાળામાં સામેલ લોકોના નામ આપી દેશે. 

માસ્કને લઈ કહી આ વાત 

કર્ણાટકમાં યેદિયુરપ્પા સામેના સૌથી સીધા અને તીક્ષ્ણ હુમલાઓમાંના એકમાં, ભાજપના ધારાસભ્ય બાસનાગૌડા પાટીલ યાતનાલે મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર કોવિડ રોગચાળા દરમિયાન મોટી રકમ કમાવવાનો આરોપ મૂક્યો હતો. મીડિયા સાથે વાત કરતા યતનાલે કહ્યું કે ફેસ માસ્કની કિંમત બજારમાં માત્ર 45 રૂપિયા છે, યેદિયુરપ્પાએ સરકારને 485 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું, અને કિંમતમાં 10 ગણો વધારો કર્યો હતો.


40000 કરોડ કૌભાંડના પર્દાફાશ કરવાની આપી ધમકી!   

વધુમાં તેમણે કહ્યું કે માત્ર આટલું જ નહીં, તત્કાલીન સરકારે ક્વોરેન્ટાઇન કેન્દ્રો સ્થાપવા માટે લગભગ 10,000 બેડ ભાડે આપ્યા હતા. તેમણે દરેક બેડ માટે 20,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. તે રકમથી તેઓ સરળતાથી બે નવા બેડ ખરીદી શકતા હતા. યેદિયુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે ખુલ્લી લૂંટ હતી. તેમણે રૂ. 40,000 કરોડના ભંડોળનો ગેરઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ”આવા આક્ષેપો ભાજપના જ ધારાસભ્ય યતનલે કર્યા હતા.

હોસ્પિટલો પર પણ લગાવ્યા આરોપ!

તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન, હોસ્પિટલો સારવારના નામે દરેક કોવિડ દર્દી પાસેથી 8-10 લાખ રૂપિયા વસૂલ કરે છે. "જ્યારે મને કોવિડ માટે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે મારી પાસેથી 5.8 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા," સાથે તેમને એવું પણ કહ્યું કે ધારાસભ્ય હોવાને કારણે તેઓ સરકાર પાસેથી ફીની ભરપાઈ કરી શકે છે, પરંતુ ગરીબોનું શું કે જેઓ હોસ્પિટલના આટલા મોટા બિલ ચૂકવી શકતા નથી.


સિદ્ધારમૈયાએ આ અંગે આપી પ્રતિક્રિયા 

એક પ્રશ્નના જવાબમાં તેમણે ધમકી આપી હતી કે જો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ ભાજપના વધુ નેતાઓને ખુલ્લા પાડશે. "પાર્ટીને મને હાંકી કાઢવા દો, પછી હું તેમાંથી દરેકને ખુલ્લા પાડીશ કારણ કે હું આ લોકો વિશે ઘણું જાણું છું," એવી ધમકી આપી હતી. બીજેપી ધારાસભ્ય બસનગૌડા પાટિલના આ નિવેદન બાદ સીએમ સિદ્ધારમૈયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બીજેપી વિધાયક બસનગૌડા પાટિલના સાહસિક આરોપોને અમારા અગાઉના પુરાવા વધુ મજબૂત થયા છે. ભાજપ સરકાર 40 ટકા કમિશનવાળી સરકાર હતી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.