Karnataka :BJPના ધારાસભ્યએ પોતાની જ પાર્ટીને આપી ધમકી! કહ્યું જો મને પાર્ટીમાંથી કાઢવામાં આવશે તો હું કોરોના કૌભાંડનો ખુલાસો કરીશ


  • Published By :
  • Published Date : 2023-12-28 08:40:34

અનેક વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ આવે છે જેમાં પાર્ટીને અલવિદા કહ્યા બાદ કૌભાંડો બહાર પાડવાની ધમકી આપતા હોય છે. પાર્ટીને છોડ્યા બાદ કેટલા કૌભાંડો થયા છે તે જણાવી પોતાની વેદના ઠાલવતા હોય છે. પરંતુ શું તમે કોઈ નેતા જે ભાજપમાં હોય એમને ધમકી આપતા જોયા છે? કોઈ ધારાસભ્યને એવું કહેતા સાંભળ્યા છે કે જો મને પાર્ટીમાંથી બહાર કાઢ્યો તો કૌભાંડો બહાર પાડી દઈશ? આવા કિસ્સાઓ ભાજપમાંથી તો બહુ ઓછી વખત સામે આવતા હોય છે પરંતુ કર્ણાટકમાં કંઈ આવું જ થયું. વિજયપુરના ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પાટીલ યાતનાલે પોતાની જ પાર્ટીને ધમકી આપી દીધી. ચેતવણી આપતા તેમણે કહ્યું કેજો તેમને પક્ષમાંથી કાઢવામાં આવશે, તો તેઓ કોવીડ સમયે થયેલા  40,000 કરોડના ગોટાળામાં સામેલ લોકોના નામ આપી દેશે. 

માસ્કને લઈ કહી આ વાત 

કર્ણાટકમાં યેદિયુરપ્પા સામેના સૌથી સીધા અને તીક્ષ્ણ હુમલાઓમાંના એકમાં, ભાજપના ધારાસભ્ય બાસનાગૌડા પાટીલ યાતનાલે મંગળવારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પર કોવિડ રોગચાળા દરમિયાન મોટી રકમ કમાવવાનો આરોપ મૂક્યો હતો. મીડિયા સાથે વાત કરતા યતનાલે કહ્યું કે ફેસ માસ્કની કિંમત બજારમાં માત્ર 45 રૂપિયા છે, યેદિયુરપ્પાએ સરકારને 485 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું, અને કિંમતમાં 10 ગણો વધારો કર્યો હતો.


40000 કરોડ કૌભાંડના પર્દાફાશ કરવાની આપી ધમકી!   

વધુમાં તેમણે કહ્યું કે માત્ર આટલું જ નહીં, તત્કાલીન સરકારે ક્વોરેન્ટાઇન કેન્દ્રો સ્થાપવા માટે લગભગ 10,000 બેડ ભાડે આપ્યા હતા. તેમણે દરેક બેડ માટે 20,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું હતું. તે રકમથી તેઓ સરળતાથી બે નવા બેડ ખરીદી શકતા હતા. યેદિયુરપ્પા મુખ્યમંત્રી હતા ત્યારે ખુલ્લી લૂંટ હતી. તેમણે રૂ. 40,000 કરોડના ભંડોળનો ગેરઉપયોગ કરવાની મંજૂરી આપી હતી, ”આવા આક્ષેપો ભાજપના જ ધારાસભ્ય યતનલે કર્યા હતા.

હોસ્પિટલો પર પણ લગાવ્યા આરોપ!

તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન, હોસ્પિટલો સારવારના નામે દરેક કોવિડ દર્દી પાસેથી 8-10 લાખ રૂપિયા વસૂલ કરે છે. "જ્યારે મને કોવિડ માટે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ત્યારે મારી પાસેથી 5.8 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા," સાથે તેમને એવું પણ કહ્યું કે ધારાસભ્ય હોવાને કારણે તેઓ સરકાર પાસેથી ફીની ભરપાઈ કરી શકે છે, પરંતુ ગરીબોનું શું કે જેઓ હોસ્પિટલના આટલા મોટા બિલ ચૂકવી શકતા નથી.


સિદ્ધારમૈયાએ આ અંગે આપી પ્રતિક્રિયા 

એક પ્રશ્નના જવાબમાં તેમણે ધમકી આપી હતી કે જો તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે તો તેઓ ભાજપના વધુ નેતાઓને ખુલ્લા પાડશે. "પાર્ટીને મને હાંકી કાઢવા દો, પછી હું તેમાંથી દરેકને ખુલ્લા પાડીશ કારણ કે હું આ લોકો વિશે ઘણું જાણું છું," એવી ધમકી આપી હતી. બીજેપી ધારાસભ્ય બસનગૌડા પાટિલના આ નિવેદન બાદ સીએમ સિદ્ધારમૈયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બીજેપી વિધાયક બસનગૌડા પાટિલના સાહસિક આરોપોને અમારા અગાઉના પુરાવા વધુ મજબૂત થયા છે. ભાજપ સરકાર 40 ટકા કમિશનવાળી સરકાર હતી.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.