કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કોરોના પોઝિટિવ, નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-09 20:54:48

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી રહી છે. સરકારે સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેલા જ અનિવાર્ય કર્યા હતા ત્યારે હવે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. સાથે જ જનતાને સરકારને સહયોગ આપવાની અપીલ કરી છે. સતત બગડતી જતી સ્થિતિને જોતા સરકારે શ્વાસ લેવામાં જેમણે તકલીફ થતી હોય તેઓ અને ઈન્ફ્લૂએન્ઝા બીમારીવાળા લોકો માટે કોરોના ટેસ્ટિંગને અનિવાર્ય કરી દીધા છે.


કર્ણાટક સરકારે કર્યો આદેશ


કર્ણાટકમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર પણ સક્રિય બની છે, રાજ્યની કોંગ્રેસ સરકારે આદેશ બાદ કોરોનાના ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ કહ્યું કે- કર્ણાટકના ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન બીમારીવાળી વ્યક્તિઓ માટે કોવિડ 19 પરીક્ષણ ફરજિયાત કરી દેવાયા છે. સાથે જ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક પછી મંત્રીએ કહ્યું- દરરોજ 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે અને રાજ્યમાં ગભરાવવાની કોઈ વાત નથી. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 3.82 ટકા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.