કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કોરોના પોઝિટિવ, નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-09 20:54:48

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી રહી છે. સરકારે સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેલા જ અનિવાર્ય કર્યા હતા ત્યારે હવે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. સાથે જ જનતાને સરકારને સહયોગ આપવાની અપીલ કરી છે. સતત બગડતી જતી સ્થિતિને જોતા સરકારે શ્વાસ લેવામાં જેમણે તકલીફ થતી હોય તેઓ અને ઈન્ફ્લૂએન્ઝા બીમારીવાળા લોકો માટે કોરોના ટેસ્ટિંગને અનિવાર્ય કરી દીધા છે.


કર્ણાટક સરકારે કર્યો આદેશ


કર્ણાટકમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર પણ સક્રિય બની છે, રાજ્યની કોંગ્રેસ સરકારે આદેશ બાદ કોરોનાના ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ કહ્યું કે- કર્ણાટકના ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન બીમારીવાળી વ્યક્તિઓ માટે કોવિડ 19 પરીક્ષણ ફરજિયાત કરી દેવાયા છે. સાથે જ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક પછી મંત્રીએ કહ્યું- દરરોજ 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે અને રાજ્યમાં ગભરાવવાની કોઈ વાત નથી. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 3.82 ટકા છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.