કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત કોરોના પોઝિટિવ, નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-09 20:54:48

કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને તેમના નિવાસ સ્થાને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધી રહેલા સંક્રમિતોની સંખ્યાએ સરકારની ચિંતા વધારી રહી છે. સરકારે સાર્વજનિક સ્થાનો પર માસ્ક પહેલા જ અનિવાર્ય કર્યા હતા ત્યારે હવે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે. સાથે જ જનતાને સરકારને સહયોગ આપવાની અપીલ કરી છે. સતત બગડતી જતી સ્થિતિને જોતા સરકારે શ્વાસ લેવામાં જેમણે તકલીફ થતી હોય તેઓ અને ઈન્ફ્લૂએન્ઝા બીમારીવાળા લોકો માટે કોરોના ટેસ્ટિંગને અનિવાર્ય કરી દીધા છે.


કર્ણાટક સરકારે કર્યો આદેશ


કર્ણાટકમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર પણ સક્રિય બની છે, રાજ્યની કોંગ્રેસ સરકારે આદેશ બાદ કોરોનાના ટેસ્ટિંગ ફરજિયાત કરી દેવાયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુએ કહ્યું કે- કર્ણાટકના ઈન્ફ્લૂએન્ઝા જેવી બીમારી કે ગંભીર શ્વસન બીમારીવાળી વ્યક્તિઓ માટે કોવિડ 19 પરીક્ષણ ફરજિયાત કરી દેવાયા છે. સાથે જ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે બેઠક પછી મંત્રીએ કહ્યું- દરરોજ 7000થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે અને રાજ્યમાં ગભરાવવાની કોઈ વાત નથી. રાજ્યમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 3.82 ટકા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.