કર્ણાટકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ, 13000 કર્મચારીઓને મળશે OPSનો લાભ


  • Published By :
  • Published Date : 2024-01-26 16:05:14

કોંગ્રેસ શાસિત કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યમાં ફરી એક વખત જુની પેન્શન સ્કિમ અમલી બનાવી છે. રાજ્ય સરકારે આ અંગેની એક નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ નોટિફિકેશન મુજબ વર્ષ 2006ની ભરતી બાદ સરકારી નોકરીમાં જોડાયેલા લગભગ 13 હજાર કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે જ્યારે સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના વિરૂધ્ધ હડતાલ પર હતા ત્યારે તેમણે તેમની માગણીઓ પુરી કરવાનું વચન આપ્યું હતું.  


કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું


કોંગ્રેસના નેતા અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યના 13 હજાર જેટલા સરકારી કર્મચારીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનિ છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે OPSને ફરીથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમ છતાં તેલંગાણાને બાદ કરતા અન્ય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ રિટાયર્મેન્ટ  કેન્દ્રની વાજપાઈ સરકારે ડિસેમ્બર 2003માં જ જુની પેન્શન યોજના બંધ કરી હતી. સરકારે 1 એપ્રીલ 2004ના રોજ નવી પેન્શન સ્કીમ અમલમાં મુકી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.