કર્ણાટકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ, 13000 કર્મચારીઓને મળશે OPSનો લાભ


  • Published By :
  • Published Date : 2024-01-26 16:05:14

કોંગ્રેસ શાસિત કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યમાં ફરી એક વખત જુની પેન્શન સ્કિમ અમલી બનાવી છે. રાજ્ય સરકારે આ અંગેની એક નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ નોટિફિકેશન મુજબ વર્ષ 2006ની ભરતી બાદ સરકારી નોકરીમાં જોડાયેલા લગભગ 13 હજાર કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે જ્યારે સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના વિરૂધ્ધ હડતાલ પર હતા ત્યારે તેમણે તેમની માગણીઓ પુરી કરવાનું વચન આપ્યું હતું.  


કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું


કોંગ્રેસના નેતા અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યના 13 હજાર જેટલા સરકારી કર્મચારીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનિ છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે OPSને ફરીથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમ છતાં તેલંગાણાને બાદ કરતા અન્ય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ રિટાયર્મેન્ટ  કેન્દ્રની વાજપાઈ સરકારે ડિસેમ્બર 2003માં જ જુની પેન્શન યોજના બંધ કરી હતી. સરકારે 1 એપ્રીલ 2004ના રોજ નવી પેન્શન સ્કીમ અમલમાં મુકી હતી. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.