કર્ણાટકમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ, 13000 કર્મચારીઓને મળશે OPSનો લાભ


  • Published By :
  • Published Date : 2024-01-26 16:05:14

કોંગ્રેસ શાસિત કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ રાજ્યમાં ફરી એક વખત જુની પેન્શન સ્કિમ અમલી બનાવી છે. રાજ્ય સરકારે આ અંગેની એક નોટિફિકેશન પણ જાહેર કરી છે. આ નોટિફિકેશન મુજબ વર્ષ 2006ની ભરતી બાદ સરકારી નોકરીમાં જોડાયેલા લગભગ 13 હજાર કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે. સીએમ સિદ્ધારમૈયાએ આ અંગે જાહેરાત કરતા કહ્યું કે જ્યારે સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજના વિરૂધ્ધ હડતાલ પર હતા ત્યારે તેમણે તેમની માગણીઓ પુરી કરવાનું વચન આપ્યું હતું.  


કોંગ્રેસે ચૂંટણી વચન પાળ્યું


કોંગ્રેસના નેતા અને રાજ્યના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે આ નિર્ણયથી રાજ્યના 13 હજાર જેટલા સરકારી કર્મચારીઓને રાહત મળશે. અત્રે ઉલ્લેખનિ છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે OPSને ફરીથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જો કે તેમ છતાં તેલંગાણાને બાદ કરતા અન્ય રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓ રિટાયર્મેન્ટ  કેન્દ્રની વાજપાઈ સરકારે ડિસેમ્બર 2003માં જ જુની પેન્શન યોજના બંધ કરી હતી. સરકારે 1 એપ્રીલ 2004ના રોજ નવી પેન્શન સ્કીમ અમલમાં મુકી હતી. 



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.