કર્ણાટક:વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાણીનું નિધન, ગંભીર બીમારીથી પીડિત હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:52:11

આનંદ મામાની સૌદત્તી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away - India Today

કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાનીનું આજે નિધન થયું છે. તેઓ 56 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું કે મામાની ગંભીર બીમારીથી પીડિત હતા. તેમને ડાયાબિટીસ અને લિવર ઈન્ફેક્શન હતું. તેમણે રવિવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણ થતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.


બોમાઈએ ટ્વીટ કર્યું, “અમારી પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ ચંદ્રશેખર મામાનીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે, મામાની સૌદત્તી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આનંદ મામાનીના પિતા ચંદ્રશેખર એમ મામાનીએ પણ 1990ના દાયકામાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.


ઓમ બિરલાએ પણ ટ્વિટર પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.