કર્ણાટક:વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાણીનું નિધન, ગંભીર બીમારીથી પીડિત હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:52:11

આનંદ મામાની સૌદત્તી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away - India Today

કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાનીનું આજે નિધન થયું છે. તેઓ 56 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું કે મામાની ગંભીર બીમારીથી પીડિત હતા. તેમને ડાયાબિટીસ અને લિવર ઈન્ફેક્શન હતું. તેમણે રવિવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણ થતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.


બોમાઈએ ટ્વીટ કર્યું, “અમારી પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ ચંદ્રશેખર મામાનીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે, મામાની સૌદત્તી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આનંદ મામાનીના પિતા ચંદ્રશેખર એમ મામાનીએ પણ 1990ના દાયકામાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.


ઓમ બિરલાએ પણ ટ્વિટર પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે