કર્ણાટક:વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાણીનું નિધન, ગંભીર બીમારીથી પીડિત હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:52:11

આનંદ મામાની સૌદત્તી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away - India Today

કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાનીનું આજે નિધન થયું છે. તેઓ 56 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું કે મામાની ગંભીર બીમારીથી પીડિત હતા. તેમને ડાયાબિટીસ અને લિવર ઈન્ફેક્શન હતું. તેમણે રવિવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણ થતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.


બોમાઈએ ટ્વીટ કર્યું, “અમારી પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ ચંદ્રશેખર મામાનીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે, મામાની સૌદત્તી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આનંદ મામાનીના પિતા ચંદ્રશેખર એમ મામાનીએ પણ 1990ના દાયકામાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.


ઓમ બિરલાએ પણ ટ્વિટર પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .