કર્ણાટક:વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાણીનું નિધન, ગંભીર બીમારીથી પીડિત હતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 09:52:11

આનંદ મામાની સૌદત્તી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

Karnataka Assembly Deputy Speaker Anand Mamani passes away - India Today

કર્ણાટક વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ મામાનીનું આજે નિધન થયું છે. તેઓ 56 વર્ષના હતા. પરિવારજનોએ જણાવ્યું કે મામાની ગંભીર બીમારીથી પીડિત હતા. તેમને ડાયાબિટીસ અને લિવર ઈન્ફેક્શન હતું. તેમણે રવિવારે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનની જાણ થતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ હોસ્પિટલ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.


બોમાઈએ ટ્વીટ કર્યું, “અમારી પાર્ટીના ધારાસભ્ય અને રાજ્ય વિધાનસભાના ઉપાધ્યક્ષ આનંદ ચંદ્રશેખર મામાનીના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

તમને જણાવી દઈએ કે, મામાની સૌદત્તી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય હતા. તેઓ ત્રીજી વખત આ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. આનંદ મામાનીના પિતા ચંદ્રશેખર એમ મામાનીએ પણ 1990ના દાયકામાં ડેપ્યુટી સ્પીકર તરીકે સેવા આપી હતી.


ઓમ બિરલાએ પણ ટ્વિટર પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.