મહિલાને થપ્પડ મારતો કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે પૂછ્યું- શું હકાલપટ્ટી થશે?


  • Published By :
  • Published Date : 2022-10-23 15:11:01

કર્ણાટકના મંત્રી વી સોમન્ના એક કાર્યક્રમમાં એક મહિલાને થપ્પડ મારતા કેમેરામાં કેદ થયા છે. કાર્યક્રમમાં તેઓ જમીનની માલિકીની વહેંચણી કરતા હતા. આ ઘટનાને લઈ લોકોમાં જબદસ્ત આક્રોશ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલીક મહિલા સુરક્ષાકર્મીઓ પણ જોઈ શકાય છે, પરંતુ થપ્પડ કાંડ બાદ તેઓ ચૂપ રહ્યાં. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને પૂછ્યું કે શું મંત્રીને બરતરફ કરવામાં આવશે?


મહિલા મંત્રીના પગે પડી પણ મંત્રી થપ્પડ મારી


કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. વી સોમન્ના કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોના વિતરણ માટે લાભાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેના કારણે વિવાદ થયો હતો. થપ્પડ માર્યાની ઘટના બાદ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ મંત્રીના પગને સ્પર્શ કર્યો હતો. મંત્રીએ તેના વર્તન માટે માફી માંગી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહિલાએ પાછળથી દાવો કર્યો કે મંત્રીએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.



કોંગ્રેસે મંત્રીની હકાલપટ્ટી કરી માગ


કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, "એક તરફ લોકોને 40 ટકા કમિશનનો ભારે ફટકો સહન કરવો પડે છે અને બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રીઓ દ્વારા મહિલાઓને થપ્પડ મારવામાં આવે છે. શું સીએમ બોમ્માઈ તમે આવા મંત્રીને બરતરફ કરશો?"



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .