મહિલાને થપ્પડ મારતો કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે પૂછ્યું- શું હકાલપટ્ટી થશે?


  • Published By :
  • Published Date : 2022-10-23 15:11:01

કર્ણાટકના મંત્રી વી સોમન્ના એક કાર્યક્રમમાં એક મહિલાને થપ્પડ મારતા કેમેરામાં કેદ થયા છે. કાર્યક્રમમાં તેઓ જમીનની માલિકીની વહેંચણી કરતા હતા. આ ઘટનાને લઈ લોકોમાં જબદસ્ત આક્રોશ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલીક મહિલા સુરક્ષાકર્મીઓ પણ જોઈ શકાય છે, પરંતુ થપ્પડ કાંડ બાદ તેઓ ચૂપ રહ્યાં. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને પૂછ્યું કે શું મંત્રીને બરતરફ કરવામાં આવશે?


મહિલા મંત્રીના પગે પડી પણ મંત્રી થપ્પડ મારી


કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. વી સોમન્ના કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોના વિતરણ માટે લાભાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેના કારણે વિવાદ થયો હતો. થપ્પડ માર્યાની ઘટના બાદ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ મંત્રીના પગને સ્પર્શ કર્યો હતો. મંત્રીએ તેના વર્તન માટે માફી માંગી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહિલાએ પાછળથી દાવો કર્યો કે મંત્રીએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.



કોંગ્રેસે મંત્રીની હકાલપટ્ટી કરી માગ


કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, "એક તરફ લોકોને 40 ટકા કમિશનનો ભારે ફટકો સહન કરવો પડે છે અને બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રીઓ દ્વારા મહિલાઓને થપ્પડ મારવામાં આવે છે. શું સીએમ બોમ્માઈ તમે આવા મંત્રીને બરતરફ કરશો?"



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.