મહિલાને થપ્પડ મારતો કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે પૂછ્યું- શું હકાલપટ્ટી થશે?


  • Published By :
  • Published Date : 2022-10-23 15:11:01

કર્ણાટકના મંત્રી વી સોમન્ના એક કાર્યક્રમમાં એક મહિલાને થપ્પડ મારતા કેમેરામાં કેદ થયા છે. કાર્યક્રમમાં તેઓ જમીનની માલિકીની વહેંચણી કરતા હતા. આ ઘટનાને લઈ લોકોમાં જબદસ્ત આક્રોશ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલીક મહિલા સુરક્ષાકર્મીઓ પણ જોઈ શકાય છે, પરંતુ થપ્પડ કાંડ બાદ તેઓ ચૂપ રહ્યાં. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને પૂછ્યું કે શું મંત્રીને બરતરફ કરવામાં આવશે?


મહિલા મંત્રીના પગે પડી પણ મંત્રી થપ્પડ મારી


કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. વી સોમન્ના કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોના વિતરણ માટે લાભાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેના કારણે વિવાદ થયો હતો. થપ્પડ માર્યાની ઘટના બાદ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ મંત્રીના પગને સ્પર્શ કર્યો હતો. મંત્રીએ તેના વર્તન માટે માફી માંગી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહિલાએ પાછળથી દાવો કર્યો કે મંત્રીએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.



કોંગ્રેસે મંત્રીની હકાલપટ્ટી કરી માગ


કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, "એક તરફ લોકોને 40 ટકા કમિશનનો ભારે ફટકો સહન કરવો પડે છે અને બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રીઓ દ્વારા મહિલાઓને થપ્પડ મારવામાં આવે છે. શું સીએમ બોમ્માઈ તમે આવા મંત્રીને બરતરફ કરશો?"



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.