મહિલાને થપ્પડ મારતો કર્ણાટકના મંત્રીનો વીડિયો વાયરલ, કોંગ્રેસે પૂછ્યું- શું હકાલપટ્ટી થશે?


  • Published By :
  • Published Date : 2022-10-23 15:11:01

કર્ણાટકના મંત્રી વી સોમન્ના એક કાર્યક્રમમાં એક મહિલાને થપ્પડ મારતા કેમેરામાં કેદ થયા છે. કાર્યક્રમમાં તેઓ જમીનની માલિકીની વહેંચણી કરતા હતા. આ ઘટનાને લઈ લોકોમાં જબદસ્ત આક્રોશ છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ મંત્રી પાસેથી ખુલાસો માંગ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલીક મહિલા સુરક્ષાકર્મીઓ પણ જોઈ શકાય છે, પરંતુ થપ્પડ કાંડ બાદ તેઓ ચૂપ રહ્યાં. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની નિંદા કરી અને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને પૂછ્યું કે શું મંત્રીને બરતરફ કરવામાં આવશે?


મહિલા મંત્રીના પગે પડી પણ મંત્રી થપ્પડ મારી


કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં શનિવારે સાંજે આ ઘટના બની હતી. વી સોમન્ના કર્ણાટકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મંત્રી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોના વિતરણ માટે લાભાર્થીઓની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી અને તેના કારણે વિવાદ થયો હતો. થપ્પડ માર્યાની ઘટના બાદ વીડિયોમાં જોવા મળે છે કે મહિલાએ મંત્રીના પગને સ્પર્શ કર્યો હતો. મંત્રીએ તેના વર્તન માટે માફી માંગી હોવાનું માનવામાં આવે છે, જ્યારે મહિલાએ પાછળથી દાવો કર્યો કે મંત્રીએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.



કોંગ્રેસે મંત્રીની હકાલપટ્ટી કરી માગ


કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, "એક તરફ લોકોને 40 ટકા કમિશનનો ભારે ફટકો સહન કરવો પડે છે અને બીજી તરફ સત્તાના નશામાં ધૂત મંત્રીઓ દ્વારા મહિલાઓને થપ્પડ મારવામાં આવે છે. શું સીએમ બોમ્માઈ તમે આવા મંત્રીને બરતરફ કરશો?"



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.