કરણી સેના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો Audio Viral! પદ્મિનીબા કોના પર બગડ્યા? સાંભળો Viral થયેલી Audio Clip


  • Published By :
  • Published Date : 2024-03-29 18:03:38

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાદ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ બધા વચ્ચે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે  આવ્યો છે. 

પરષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે!

જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં આ બેઠક મળે એ પહેલા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન ભાજપને આ વખતે ભારે પાડવાનું છે જ્યાં જુઓ ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે રૂપાલાના પૂતળાને સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું.


રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવા કરાઈ માગ 

ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા માગ પણ કરવામાં આવી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે નહીં તો ભાજપે ભોગવવું પડશે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ એક ક્ષત્રિય મહિલાનો પણ ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તેમાં રોષ દેખાઈ આવે છે....!  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.