કરણી સેના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો Audio Viral! પદ્મિનીબા કોના પર બગડ્યા? સાંભળો Viral થયેલી Audio Clip


  • Published By :
  • Published Date : 2024-03-29 18:03:38

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાદ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ બધા વચ્ચે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે  આવ્યો છે. 

પરષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે!

જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં આ બેઠક મળે એ પહેલા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન ભાજપને આ વખતે ભારે પાડવાનું છે જ્યાં જુઓ ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે રૂપાલાના પૂતળાને સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું.


રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવા કરાઈ માગ 

ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા માગ પણ કરવામાં આવી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે નહીં તો ભાજપે ભોગવવું પડશે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ એક ક્ષત્રિય મહિલાનો પણ ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તેમાં રોષ દેખાઈ આવે છે....!  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.