કરણી સેના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો Audio Viral! પદ્મિનીબા કોના પર બગડ્યા? સાંભળો Viral થયેલી Audio Clip


  • Published By :
  • Published Date : 2024-03-29 18:03:38

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાદ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ બધા વચ્ચે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે  આવ્યો છે. 

પરષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે!

જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં આ બેઠક મળે એ પહેલા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન ભાજપને આ વખતે ભારે પાડવાનું છે જ્યાં જુઓ ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે રૂપાલાના પૂતળાને સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું.


રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવા કરાઈ માગ 

ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા માગ પણ કરવામાં આવી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે નહીં તો ભાજપે ભોગવવું પડશે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ એક ક્ષત્રિય મહિલાનો પણ ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તેમાં રોષ દેખાઈ આવે છે....!  



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.