કરણી સેના મહિલા મોરચા અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો Audio Viral! પદ્મિનીબા કોના પર બગડ્યા? સાંભળો Viral થયેલી Audio Clip


  • Published By :
  • Published Date : 2024-03-29 18:03:38

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર સમાજના લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિવાદ શાંત થાય તેવું લાગી નથી રહ્યું. આ બધા વચ્ચે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબાનો એક ઓડિયો ક્લીપ સામે  આવ્યો છે. 

પરષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને ભારે પડી શકે છે!

જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોંડલમાં આ બેઠક મળે એ પહેલા આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, જયરાજસિંહ આપણા વડીલ ભાઈ છે, પરંતુ આમા જો સમાધાનની વાત આવશે તો આમાં આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની થતી નથી. પરષોત્તમ રૂપાલાનું એક નિવેદન ભાજપને આ વખતે ભારે પાડવાનું છે જ્યાં જુઓ ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઈકાલે રૂપાલાના પૂતળાને સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના મુખ્ય કાર્યાલય બહાર તેમનું પૂતળાદહન કરાયું.


રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલાને બદલવા કરાઈ માગ 

ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા માગ પણ કરવામાં આવી કે રાજકોટ લોકસભાની બેઠક પરથી ભાજપ ઉમેદવાર બદલે નહીં તો ભાજપે ભોગવવું પડશે. જો કે પૂતળા દહન મુદ્દે 10 ક્ષત્રિય સમાજના આગેવાનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ એક ક્ષત્રિય મહિલાનો પણ ઓડિયો વાયરલ થયો. મહત્વનું છે કે જે ઓડિયો ક્લીપ વાયરલ થયો છે તેમાં રોષ દેખાઈ આવે છે....!  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે