જમ્મુ-કાશ્મીર: સતત ત્રીજા દિવસે આતંકવાદીઓનો હુમલો, પરપ્રાંતિય મજૂર બાદ બારામુલામાં હેડ કોન્સ્ટેબલને ગોળી મારી હત્યા


  • Published By :
  • Published Date : 2023-10-31 23:09:06

આતંકવાદીઓએ મંગળવારે સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં હુમલો કર્યો અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે રજા પર ગયેલા પોલીસકર્મીઓએ બિનજરૂરી બહાર ફરવું નહીં. ફક્ત ઘરે જ રહો. જાહેર સ્થળોએ રમવા કે ચાલવાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.


કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડાર પર ફાયરિંગ


ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ટંગમાર્ગમાં મંગળવારે, આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને તેમના ઘરની નજીકથી ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમને સારવાર માટે એસડીએચ ટંગમાર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે શહીદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ મહત્વપૂર્ણ ઘડીમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.


કાશ્મિરમાં આતંકી હુમલા વધ્યા


અગાઉ સોમવારે, આતંકવાદીઓએ યુપી ઉન્નાવના એક પરપ્રાંતિય મજૂર મુકેશ કુમારને નિશાન બનાવ્યો હતો, જે પુલવામામાં આ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. રવિવારે, આતંકવાદીઓએ શ્રીનગરની ઇદગાહમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી દીધી હતી, જેઓ હજી પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. TRF ચીફ ઓપરેશનલ કમાન્ડર બાસિત અહેમદ ડાર, જે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની પાઈનના રહેવાસી છે,  મસરૂર પર હુમલા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તુર્કી પિસ્તોલથી મસરૂર પર નજીકથી ફાયરિંગ કર્યું હતું.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.