જમ્મુ-કાશ્મીર: સતત ત્રીજા દિવસે આતંકવાદીઓનો હુમલો, પરપ્રાંતિય મજૂર બાદ બારામુલામાં હેડ કોન્સ્ટેબલને ગોળી મારી હત્યા


  • Published By :
  • Published Date : 2023-10-31 23:09:06

આતંકવાદીઓએ મંગળવારે સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં હુમલો કર્યો અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે રજા પર ગયેલા પોલીસકર્મીઓએ બિનજરૂરી બહાર ફરવું નહીં. ફક્ત ઘરે જ રહો. જાહેર સ્થળોએ રમવા કે ચાલવાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.


કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડાર પર ફાયરિંગ


ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ટંગમાર્ગમાં મંગળવારે, આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને તેમના ઘરની નજીકથી ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમને સારવાર માટે એસડીએચ ટંગમાર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે શહીદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ મહત્વપૂર્ણ ઘડીમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.


કાશ્મિરમાં આતંકી હુમલા વધ્યા


અગાઉ સોમવારે, આતંકવાદીઓએ યુપી ઉન્નાવના એક પરપ્રાંતિય મજૂર મુકેશ કુમારને નિશાન બનાવ્યો હતો, જે પુલવામામાં આ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. રવિવારે, આતંકવાદીઓએ શ્રીનગરની ઇદગાહમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી દીધી હતી, જેઓ હજી પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. TRF ચીફ ઓપરેશનલ કમાન્ડર બાસિત અહેમદ ડાર, જે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની પાઈનના રહેવાસી છે,  મસરૂર પર હુમલા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તુર્કી પિસ્તોલથી મસરૂર પર નજીકથી ફાયરિંગ કર્યું હતું.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.