જમ્મુ-કાશ્મીર: સતત ત્રીજા દિવસે આતંકવાદીઓનો હુમલો, પરપ્રાંતિય મજૂર બાદ બારામુલામાં હેડ કોન્સ્ટેબલને ગોળી મારી હત્યા


  • Published By :
  • Published Date : 2023-10-31 23:09:06

આતંકવાદીઓએ મંગળવારે સતત ત્રીજા દિવસે કાશ્મીર ખીણમાં હુમલો કર્યો અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં એક હેડ કોન્સ્ટેબલની હત્યા કરી દીધી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે રજા પર ગયેલા પોલીસકર્મીઓએ બિનજરૂરી બહાર ફરવું નહીં. ફક્ત ઘરે જ રહો. જાહેર સ્થળોએ રમવા કે ચાલવાથી દૂર રહેવા પણ કહેવામાં આવ્યું છે.


કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડાર પર ફાયરિંગ


ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ટંગમાર્ગમાં મંગળવારે, આતંકવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલ ગુલામ મોહમ્મદ ડારને તેમના ઘરની નજીકથી ગોળી મારી દીધી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું તેમને સારવાર માટે એસડીએચ ટંગમાર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દમ તોડી દીધો હતો. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમે શહીદને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આ મહત્વપૂર્ણ ઘડીમાં તેમના પરિવાર સાથે ઊભા છીએ. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.


કાશ્મિરમાં આતંકી હુમલા વધ્યા


અગાઉ સોમવારે, આતંકવાદીઓએ યુપી ઉન્નાવના એક પરપ્રાંતિય મજૂર મુકેશ કુમારને નિશાન બનાવ્યો હતો, જે પુલવામામાં આ વિસ્તારમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. રવિવારે, આતંકવાદીઓએ શ્રીનગરની ઇદગાહમાં ક્રિકેટ રમી રહેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મસરૂરને ગોળી મારી દીધી હતી, જેઓ હજી પણ હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. TRF ચીફ ઓપરેશનલ કમાન્ડર બાસિત અહેમદ ડાર, જે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની પાઈનના રહેવાસી છે,  મસરૂર પર હુમલા પાછળ તેનો હાથ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તુર્કી પિસ્તોલથી મસરૂર પર નજીકથી ફાયરિંગ કર્યું હતું.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે