ગરીબોની કસ્તુરી અમીરો માટે પણ મોંઘી બની, ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.50એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-10-23 16:57:07

રાજ્યમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીને હવે મહિનો રહ્યો છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ફળોના ભાવ આસમાનો પહોંચ્યા છે. સામાન્ય લોકો માટે તહેવારો કઈ રીતે મનાવવા તે મોટો સવાલ બન્યો છે ત્યારે હવે ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીનો ભાવ હવે અમીરોને પણ રડાવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીનો ભાવ વધીને  પ્રતિ કિલોનો ભાવ 50 રૂપિયાએ પહોંચ્યો છે. હવે ડુંગળી મોંઘી થતાં ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. 


ડુંગળીનો ભાવ છૂટકમાં 20 રૂપિયા વધ્યો


ડુંગળીનો ઉપયોગ ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી કરી શકતા હોય છે. જોકે હવે ડુંગળીના ભાવએ આસમાનને આંબી રહ્યા છે. માત્ર બે જ દિવસ પહેલા ડુંગળી છૂટકમાં 20 રૂપિયા કિલો વેચાતી હતી. તે જ ડુંગળી હાલ 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. હાલ છૂટકમાં વેચાતી ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળીના નીચા ભાવ 30 રૂપિયા કિલો છે. જ્યારે ઊંચામાં 50 રૂપિયા કિલો છૂટક ડુંગળી વેચાય છે. જથ્થાબંધ ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો 21 ઓક્ટોબરે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ પ્રતિ મળ 290 નોંધાયા હતા. જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પ્રતિ મણ 620 રૂપિયા નોંધાયા હતા.


હજુ પણ ભાવ વધવાની આશંકા


હાલ છૂટકમાં ડુંગળી  રૂ.30થી 40 રૂપિયે વેચાઇ રહી છે. જેનો ભાવ 60થી 70 રૂપિયા સુધી પહોંચી તેવની શક્યતા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે. વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે. તેની સામે માગ પણ વધી છે. સારી ડુંગળી હાલ આગળથી નથી આવી રહી. જેના પરિણામે ભાવમાં વધારો થયો છે. જો કે, દિવાળી બાદ ભાવમાં આંશિક રાહત મળે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. 


શા માટે વધી રહ્યા છે ભાવ?


રાજ્યમાં ડુંગળીના ભાવ વધ્યા તેનું મોટું કારણ અન્ય રાજ્યમાંથી આવતી ડુંગળીની અછત છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજી તરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.