ગરીબોની કસ્તુરી અમીરો માટે પણ મોંઘી બની, ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ રૂ.50એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-10-23 16:57:07

રાજ્યમાં તહેવારોની સીઝન ચાલી રહી છે અને વર્ષનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીને હવે મહિનો રહ્યો છે ત્યારે જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ફળોના ભાવ આસમાનો પહોંચ્યા છે. સામાન્ય લોકો માટે તહેવારો કઈ રીતે મનાવવા તે મોટો સવાલ બન્યો છે ત્યારે હવે ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીનો ભાવ હવે અમીરોને પણ રડાવી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીનો ભાવ વધીને  પ્રતિ કિલોનો ભાવ 50 રૂપિયાએ પહોંચ્યો છે. હવે ડુંગળી મોંઘી થતાં ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. 


ડુંગળીનો ભાવ છૂટકમાં 20 રૂપિયા વધ્યો


ડુંગળીનો ઉપયોગ ગરીબમાં ગરીબ લોકો પણ સરળતાથી કરી શકતા હોય છે. જોકે હવે ડુંગળીના ભાવએ આસમાનને આંબી રહ્યા છે. માત્ર બે જ દિવસ પહેલા ડુંગળી છૂટકમાં 20 રૂપિયા કિલો વેચાતી હતી. તે જ ડુંગળી હાલ 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. હાલ છૂટકમાં વેચાતી ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળીના નીચા ભાવ 30 રૂપિયા કિલો છે. જ્યારે ઊંચામાં 50 રૂપિયા કિલો છૂટક ડુંગળી વેચાય છે. જથ્થાબંધ ડુંગળીના ભાવની વાત કરવામાં આવે તો 21 ઓક્ટોબરે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ પ્રતિ મળ 290 નોંધાયા હતા. જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પ્રતિ મણ 620 રૂપિયા નોંધાયા હતા.


હજુ પણ ભાવ વધવાની આશંકા


હાલ છૂટકમાં ડુંગળી  રૂ.30થી 40 રૂપિયે વેચાઇ રહી છે. જેનો ભાવ 60થી 70 રૂપિયા સુધી પહોંચી તેવની શક્યતા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીનો ભાવ 400થી 600 રૂપિયા બોલાઇ રહ્યો છે. વેપારીઓનું માનીએ તો, હાલ ડુંગળીની આવક ઘટી છે. તેની સામે માગ પણ વધી છે. સારી ડુંગળી હાલ આગળથી નથી આવી રહી. જેના પરિણામે ભાવમાં વધારો થયો છે. જો કે, દિવાળી બાદ ભાવમાં આંશિક રાહત મળે તેવું વેપારીઓ માની રહ્યા છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. 


શા માટે વધી રહ્યા છે ભાવ?


રાજ્યમાં ડુંગળીના ભાવ વધ્યા તેનું મોટું કારણ અન્ય રાજ્યમાંથી આવતી ડુંગળીની અછત છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજી તરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.