KCGના ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટમાં ચાલી રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, જાણો કઈ રીતે


  • Published By :
  • Published Date : 2023-03-18 18:03:34

KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનો હેતું વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશ દ્વાર ખોલવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનના સુમેળ દ્વારા વિશ્વ સાથે સંબંધો સ્થાપિત કરી શકે. આ KCG હેઠળ 2016-17માં તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં ફિનિશિંગ સ્કૂલ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે આ સરસ પ્રોજેક્ટમાં પણ ગેરરીતીઓ થતી હોવાનું બહાર આવ્યું છે.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ શું છે? 


આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ માટે તૈયાર કરવા માટે 80 કલાકનો એક કોર્ષ શરૂ કરવામાં આવે છે. જે મુજબ વિદ્યાર્થીઓને એક દિવસમાં ચાર કલાક ભણાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે  છે. વિદ્યાર્થીઓને તેમનો રિઝ્યુમ બનાવવા ઉપરાંત તેમને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે તે પ્રકારની સોફ્ટ સ્કિલ શિખવાડવામાં આવે છે. સરકારે આ પ્રોજેકટ માટે કોલેજ દીઠ 1,22000 હજારનો ખર્ચ કરે છે. જેમાં ટ્રેનરને પ્રતિ કલાક 1 હજારનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  તે ઉપરાંત તેમને ટ્રાવેલ ખર્ચ અને રહેવાનો પેટે પણ એક હજારનું એલાઉન્સ મળતું હતું. આ ટ્રેનર એક કોલેજમાં 4 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરસ કામગીરી થતી હતી પણ પછી સરકારે આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપી દીધો.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ પ્રાઈવેટ હાથોમાં


સરકાર બદલાતા નવા  પ્રોજેક્ટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપવામાં આવ્યો. આ બે એજન્સીઓના નામ એચ. કુમાર અને પ્રક્ષાલ છે. આ બંને એજન્સીઓને પ્રોજેક્ટ હેઠળ 2,55,000 ચૂકવવામાં આવે છે. આ બંને એજન્સીઓ ટ્રેનરને પ્રતિ દિન 1500 રૂપિયા મહેનનાણું ચૂકવે છે. આ રીતે એક ટ્રેનર પાછળ એજન્સીઓને 20 દિવસ પેટે 30 હજારનો ખર્ચ થાય છે. હવે સૌથી ચોંકવનારી બાબત એ છે કે એજન્સીઓને સીધો 2 લાખથી વધુનો ફાયદો આ થાય છે. કારણ કે અગાઉની તુલનામાં ટ્રેનરને ઓછું મહેનતાણુ ચૂકવવામાં આવે છે. આ રીતે આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે.


પ્રોજેક્ટ હેઠળ શું ગોટાળો ચાલી રહ્યો છે?


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ સરકાર એચ કુમારે 80 કોલેજમાં જ્યારે પ્રક્ષાલે 77 કોલેજોમાં  ટ્રેનિંગ આપી છે. ગુજરાત સરકારે એચ કુમારને 5 કરોડ જ્યારે પ્રક્ષાલને 2 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર પેટે ચૂકવ્યા છે. જો કે જમાવટે જ્યારે આ ટ્રેનરો સાથે વાત કરી ત્યારે ખરો ગોટાળો બહાર આવ્યો હતો. આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે. ઘણા ટ્રેનરોને તો માત્ર 500 રૂપિયા જેટલું જ મહેનાણું ચૂકવવામાં આવે છે. ઘણા ટ્રેનરો તો કોલેજોમાં ભણાવવા પણ જતા નથી અને માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થઈ જાય છે. 


વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકસાન


જમાવટે મીડિયાએ જ્યારે આ પ્રોજેક્ટમાં ચાલતી ગેરરિતીઓ અંગે સંબંધિત લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે કે ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારના હાથમાં જ્યારે આ પ્રોજેક્ટ હતો તે સમયે કુશળ ટ્રેનરો વિદ્યાર્થીને ટ્રેન કરતા હતા. હવે આ બંને એજન્સીઓના ટ્રેનરો સમયસર કોલેજોની મુલાકાત પણ લેતા નથી. બિન કાર્યક્ષમ ટ્રેનરો ના કારણે વિદ્યાર્થીઓને બરાબર તાલિમ પણ મળતી નથી. વળી વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવતું નથી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠથી આ વ્યાપક ભ્રષ્ટાચાર  ચાલી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ અંતે વિદ્યાર્થીનો કોઈ જ લાભ ન થતો હોય તો આ પ્રોજેક્ટનો શું મતલબ? 



દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.

સુરેન્દ્રનગરમાં પાટડી ખાતે LCBના દરોડામાં ખુબ મોટાપાયે વિદેશી દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે. પાટડીના જરવલા ગામની સીમમાં આ ગેરકયદેસર વિદેશી દારૂનો જથ્થો ટ્રેકટરની ટ્રોલીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જેના લીધે, સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા SP પ્રેમસુખ ડેલુંની સૂચના મુજબ અલગ અલગ ટિમો બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરોડાની આ કામગીરીમાં હવે સ્થળ પર હાજર આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.