KCGના ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટમાં ચાલી રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, જાણો કઈ રીતે


  • Published By :
  • Published Date : 2023-03-18 18:03:34

KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનો હેતું વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશ દ્વાર ખોલવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનના સુમેળ દ્વારા વિશ્વ સાથે સંબંધો સ્થાપિત કરી શકે. આ KCG હેઠળ 2016-17માં તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં ફિનિશિંગ સ્કૂલ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે આ સરસ પ્રોજેક્ટમાં પણ ગેરરીતીઓ થતી હોવાનું બહાર આવ્યું છે.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ શું છે? 


આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ માટે તૈયાર કરવા માટે 80 કલાકનો એક કોર્ષ શરૂ કરવામાં આવે છે. જે મુજબ વિદ્યાર્થીઓને એક દિવસમાં ચાર કલાક ભણાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે  છે. વિદ્યાર્થીઓને તેમનો રિઝ્યુમ બનાવવા ઉપરાંત તેમને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે તે પ્રકારની સોફ્ટ સ્કિલ શિખવાડવામાં આવે છે. સરકારે આ પ્રોજેકટ માટે કોલેજ દીઠ 1,22000 હજારનો ખર્ચ કરે છે. જેમાં ટ્રેનરને પ્રતિ કલાક 1 હજારનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  તે ઉપરાંત તેમને ટ્રાવેલ ખર્ચ અને રહેવાનો પેટે પણ એક હજારનું એલાઉન્સ મળતું હતું. આ ટ્રેનર એક કોલેજમાં 4 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરસ કામગીરી થતી હતી પણ પછી સરકારે આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપી દીધો.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ પ્રાઈવેટ હાથોમાં


સરકાર બદલાતા નવા  પ્રોજેક્ટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપવામાં આવ્યો. આ બે એજન્સીઓના નામ એચ. કુમાર અને પ્રક્ષાલ છે. આ બંને એજન્સીઓને પ્રોજેક્ટ હેઠળ 2,55,000 ચૂકવવામાં આવે છે. આ બંને એજન્સીઓ ટ્રેનરને પ્રતિ દિન 1500 રૂપિયા મહેનનાણું ચૂકવે છે. આ રીતે એક ટ્રેનર પાછળ એજન્સીઓને 20 દિવસ પેટે 30 હજારનો ખર્ચ થાય છે. હવે સૌથી ચોંકવનારી બાબત એ છે કે એજન્સીઓને સીધો 2 લાખથી વધુનો ફાયદો આ થાય છે. કારણ કે અગાઉની તુલનામાં ટ્રેનરને ઓછું મહેનતાણુ ચૂકવવામાં આવે છે. આ રીતે આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે.


પ્રોજેક્ટ હેઠળ શું ગોટાળો ચાલી રહ્યો છે?


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ સરકાર એચ કુમારે 80 કોલેજમાં જ્યારે પ્રક્ષાલે 77 કોલેજોમાં  ટ્રેનિંગ આપી છે. ગુજરાત સરકારે એચ કુમારને 5 કરોડ જ્યારે પ્રક્ષાલને 2 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર પેટે ચૂકવ્યા છે. જો કે જમાવટે જ્યારે આ ટ્રેનરો સાથે વાત કરી ત્યારે ખરો ગોટાળો બહાર આવ્યો હતો. આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે. ઘણા ટ્રેનરોને તો માત્ર 500 રૂપિયા જેટલું જ મહેનાણું ચૂકવવામાં આવે છે. ઘણા ટ્રેનરો તો કોલેજોમાં ભણાવવા પણ જતા નથી અને માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થઈ જાય છે. 


વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકસાન


જમાવટે મીડિયાએ જ્યારે આ પ્રોજેક્ટમાં ચાલતી ગેરરિતીઓ અંગે સંબંધિત લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે કે ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારના હાથમાં જ્યારે આ પ્રોજેક્ટ હતો તે સમયે કુશળ ટ્રેનરો વિદ્યાર્થીને ટ્રેન કરતા હતા. હવે આ બંને એજન્સીઓના ટ્રેનરો સમયસર કોલેજોની મુલાકાત પણ લેતા નથી. બિન કાર્યક્ષમ ટ્રેનરો ના કારણે વિદ્યાર્થીઓને બરાબર તાલિમ પણ મળતી નથી. વળી વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવતું નથી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠથી આ વ્યાપક ભ્રષ્ટાચાર  ચાલી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ અંતે વિદ્યાર્થીનો કોઈ જ લાભ ન થતો હોય તો આ પ્રોજેક્ટનો શું મતલબ? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.