KCGના ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટમાં ચાલી રહ્યો છે મોટો ભ્રષ્ટાચાર, જાણો કઈ રીતે


  • Published By :
  • Published Date : 2023-03-18 18:03:34

KCG એટલે કે નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ ચાલતી સંસ્થા છે. આ સંસ્થાનો હેતું વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના પ્રવેશ દ્વાર ખોલવાનો છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જ્ઞાનના સુમેળ દ્વારા વિશ્વ સાથે સંબંધો સ્થાપિત કરી શકે. આ KCG હેઠળ 2016-17માં તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યકાળમાં ફિનિશિંગ સ્કૂલ નામનો એક પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જો કે આ સરસ પ્રોજેક્ટમાં પણ ગેરરીતીઓ થતી હોવાનું બહાર આવ્યું છે.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ શું છે? 


આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વિવિધ સોફ્ટ સ્કિલ માટે તૈયાર કરવા માટે 80 કલાકનો એક કોર્ષ શરૂ કરવામાં આવે છે. જે મુજબ વિદ્યાર્થીઓને એક દિવસમાં ચાર કલાક ભણાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવે  છે. વિદ્યાર્થીઓને તેમનો રિઝ્યુમ બનાવવા ઉપરાંત તેમને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકે તે પ્રકારની સોફ્ટ સ્કિલ શિખવાડવામાં આવે છે. સરકારે આ પ્રોજેકટ માટે કોલેજ દીઠ 1,22000 હજારનો ખર્ચ કરે છે. જેમાં ટ્રેનરને પ્રતિ કલાક 1 હજારનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  તે ઉપરાંત તેમને ટ્રાવેલ ખર્ચ અને રહેવાનો પેટે પણ એક હજારનું એલાઉન્સ મળતું હતું. આ ટ્રેનર એક કોલેજમાં 4 કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આ પ્રોજેક્ટ હેઠળ સરસ કામગીરી થતી હતી પણ પછી સરકારે આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપી દીધો.


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ પ્રાઈવેટ હાથોમાં


સરકાર બદલાતા નવા  પ્રોજેક્ટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના કાર્યકાળમાં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ એજન્સીઓને આપવામાં આવ્યો. આ બે એજન્સીઓના નામ એચ. કુમાર અને પ્રક્ષાલ છે. આ બંને એજન્સીઓને પ્રોજેક્ટ હેઠળ 2,55,000 ચૂકવવામાં આવે છે. આ બંને એજન્સીઓ ટ્રેનરને પ્રતિ દિન 1500 રૂપિયા મહેનનાણું ચૂકવે છે. આ રીતે એક ટ્રેનર પાછળ એજન્સીઓને 20 દિવસ પેટે 30 હજારનો ખર્ચ થાય છે. હવે સૌથી ચોંકવનારી બાબત એ છે કે એજન્સીઓને સીધો 2 લાખથી વધુનો ફાયદો આ થાય છે. કારણ કે અગાઉની તુલનામાં ટ્રેનરને ઓછું મહેનતાણુ ચૂકવવામાં આવે છે. આ રીતે આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે.


પ્રોજેક્ટ હેઠળ શું ગોટાળો ચાલી રહ્યો છે?


ફિનિશિંગ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ સરકાર એચ કુમારે 80 કોલેજમાં જ્યારે પ્રક્ષાલે 77 કોલેજોમાં  ટ્રેનિંગ આપી છે. ગુજરાત સરકારે એચ કુમારને 5 કરોડ જ્યારે પ્રક્ષાલને 2 કરોડ રૂપિયા વર્ક ઓર્ડર પેટે ચૂકવ્યા છે. જો કે જમાવટે જ્યારે આ ટ્રેનરો સાથે વાત કરી ત્યારે ખરો ગોટાળો બહાર આવ્યો હતો. આ બંને એજન્સીઓ ટ્રેનરોનું શોષણ કરે છે. ઘણા ટ્રેનરોને તો માત્ર 500 રૂપિયા જેટલું જ મહેનાણું ચૂકવવામાં આવે છે. ઘણા ટ્રેનરો તો કોલેજોમાં ભણાવવા પણ જતા નથી અને માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થઈ જાય છે. 


વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે નુકસાન


જમાવટે મીડિયાએ જ્યારે આ પ્રોજેક્ટમાં ચાલતી ગેરરિતીઓ અંગે સંબંધિત લોકો સાથે વાત કરી ત્યારે ખબર પડી કે કે ભયાનક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સરકારના હાથમાં જ્યારે આ પ્રોજેક્ટ હતો તે સમયે કુશળ ટ્રેનરો વિદ્યાર્થીને ટ્રેન કરતા હતા. હવે આ બંને એજન્સીઓના ટ્રેનરો સમયસર કોલેજોની મુલાકાત પણ લેતા નથી. બિન કાર્યક્ષમ ટ્રેનરો ના કારણે વિદ્યાર્થીઓને બરાબર તાલિમ પણ મળતી નથી. વળી વિદ્યાર્થીઓને પુરતું શિક્ષણ સાહિત્ય પણ આપવામાં આવતું નથી. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચેની સાઠગાંઠથી આ વ્યાપક ભ્રષ્ટાચાર  ચાલી રહ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ પાછળ લખલૂંટ ખર્ચ કરે છે પણ અંતે વિદ્યાર્થીનો કોઈ જ લાભ ન થતો હોય તો આ પ્રોજેક્ટનો શું મતલબ? 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."