Kedarnath, Yamunotri તેમજ Gangotri ધામના કપાટ 6 મહિના માટે થયા બંધ, હવે આ જગ્યા પર થશે બાબા કેદારની પૂજા


  • Published By :
  • Published Date : 2023-11-15 12:00:49

ચારધામ... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેરો ઉત્સાહ જાગતો હોય છે. અલગ પ્રકારની લાગણી અનેક લોકોના મનમાં થતી હોય છે. જે લોકોએ ચારધામના દર્શન કર્યા છે તેઓ પોતાના પ્રવાસને યાદ કરતા હોય છે  અને જેમણે નથી કર્યા તે કહેતા હોય છે કે જીવનમાં એક વખત ચારધામની યાત્રા કરવી છે. હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. અહીંયા ભારતના ચારધામની વાત નથી થઈ પરંતુ ઉત્તરાખંડના ચારધામ એવા કેદારનાથ ધામ, ગંગોત્રી, યમનોત્રી તેમજ બદ્રીનાથ ધામની વાત થઈ રહી છે. ચારધામ યાત્રાના દર્શનની પૂર્ણાહુતી થવાની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થયા જ્યારે આજે  કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ થશે. ભાઈબીજના દિવસે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે.

કેદારનાથના કપાટ બંધ થશે

બાબા કેદારના જયજયકારથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર 

ભાઈબીજના પાવન અવસર પર ધામધૂમથી કેદારનાથ ધામના દ્વાર બંધ કરી દેવાયા છે. સવારે 8.30 વાગ્યે મંદિરના કપાટ બંધ કરી દેવાયા છે. જે વખતે દ્વાર બંધ થઈ રહ્યા હતા ત્યારે બાબા કેદારના જયજયકારથી ધામ ગુંજી ઉઠ્યું હતું. મંગળવારે કેદારનાથમાં બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના એસેમ્બલી હોલમાં ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે ખસેડવામાં આવી હતી. આજે સવારે ચાર વાગ્યે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરવામાં આવી. પરંપરા અનુસાર પૂજા કરવામાં આવી હતી. બાબા કેદારના સ્વયંભૂ લિંગને સમાધિનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તેને ફૂલો, અખંડ, પૂજા સામગ્રી અને રાખથી ઢાંકવામાં આવ્યું હતું.  

ચારધામ યાત્રા પૂર્ણતા તરફ


કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ થયા બંધ 

ગંગોત્રી ધામના કપાટ મંગળવારે બંધ થઈ ગયા હતા જ્યારે આજે કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ બંધ થયા બાદ બાબા કેદાર 6 મહિના સુધી સમાધિમાં લીન રહેશે. ડોલીમાં બીરાજમાન થઈ બાબા કેદારની ભોગ મૂર્તિ ઓમકારેશ્વર મંદિર પહોંચશે. શિયાળાના 6 મહિના દરમિયાન કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ હોય છે. 18 નવેમ્બરના દિવસે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે.  

Kedarnath Dham doors closed today on Bhai Dooj 15 November Special puja Uttarakhand news in hindi

19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન

 વર્ષ 2023 ની ચારધામ યાત્રા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જેની શરૂઆત મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની સાથે થઈ છે. હવે ભાઈબીજના તહેવાર નિમિત્તે બુધવારના રોજ યમુનોત્રી ધામ અને વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. બંને ધામોના કપાટ બંધ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેદારનાથના કપાટ બંધ થયા પછી બાબા કેદારની પૂજા આગામી 6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે. મહત્વનું છે કે આ વખતે લાખો ભક્તોએ ચારધામની મુલાકાત લીધી છે. એક રિપોર્ટ અનુસાર 13 નવેમ્બર સુધી કેદારનાથ ધામની મુલાકાત 19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ લીધી છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.