Kedarnath, Yamunotri તેમજ Gangotri ધામના કપાટ 6 મહિના માટે થયા બંધ, હવે આ જગ્યા પર થશે બાબા કેદારની પૂજા


  • Published By :
  • Published Date : 2023-11-15 12:00:49

ચારધામ... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેરો ઉત્સાહ જાગતો હોય છે. અલગ પ્રકારની લાગણી અનેક લોકોના મનમાં થતી હોય છે. જે લોકોએ ચારધામના દર્શન કર્યા છે તેઓ પોતાના પ્રવાસને યાદ કરતા હોય છે  અને જેમણે નથી કર્યા તે કહેતા હોય છે કે જીવનમાં એક વખત ચારધામની યાત્રા કરવી છે. હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. અહીંયા ભારતના ચારધામની વાત નથી થઈ પરંતુ ઉત્તરાખંડના ચારધામ એવા કેદારનાથ ધામ, ગંગોત્રી, યમનોત્રી તેમજ બદ્રીનાથ ધામની વાત થઈ રહી છે. ચારધામ યાત્રાના દર્શનની પૂર્ણાહુતી થવાની શરૂઆત થઈ ગઈ છે. મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થયા જ્યારે આજે  કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ થશે. ભાઈબીજના દિવસે મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે.

કેદારનાથના કપાટ બંધ થશે

બાબા કેદારના જયજયકારથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર 

ભાઈબીજના પાવન અવસર પર ધામધૂમથી કેદારનાથ ધામના દ્વાર બંધ કરી દેવાયા છે. સવારે 8.30 વાગ્યે મંદિરના કપાટ બંધ કરી દેવાયા છે. જે વખતે દ્વાર બંધ થઈ રહ્યા હતા ત્યારે બાબા કેદારના જયજયકારથી ધામ ગુંજી ઉઠ્યું હતું. મંગળવારે કેદારનાથમાં બાબા કેદારની પંચમુખી મૂર્તિને ભંડારમાંથી મંદિરના એસેમ્બલી હોલમાં ધાર્મિક વિધિઓ અને પૂજા સાથે ખસેડવામાં આવી હતી. આજે સવારે ચાર વાગ્યે કેદારનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરવામાં આવી. પરંપરા અનુસાર પૂજા કરવામાં આવી હતી. બાબા કેદારના સ્વયંભૂ લિંગને સમાધિનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને તેને ફૂલો, અખંડ, પૂજા સામગ્રી અને રાખથી ઢાંકવામાં આવ્યું હતું.  

ચારધામ યાત્રા પૂર્ણતા તરફ


કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ થયા બંધ 

ગંગોત્રી ધામના કપાટ મંગળવારે બંધ થઈ ગયા હતા જ્યારે આજે કેદારનાથ તેમજ યમનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવશે. કેદારનાથ ધામના કપાટ બંધ થયા બાદ બાબા કેદાર 6 મહિના સુધી સમાધિમાં લીન રહેશે. ડોલીમાં બીરાજમાન થઈ બાબા કેદારની ભોગ મૂર્તિ ઓમકારેશ્વર મંદિર પહોંચશે. શિયાળાના 6 મહિના દરમિયાન કેદારનાથ ધામના કપાટ ભક્તો માટે બંધ હોય છે. 18 નવેમ્બરના દિવસે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે.  

Kedarnath Dham doors closed today on Bhai Dooj 15 November Special puja Uttarakhand news in hindi

19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન

 વર્ષ 2023 ની ચારધામ યાત્રા પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જેની શરૂઆત મંગળવારે ગંગોત્રી ધામના કપાટ બંધ થવાની સાથે થઈ છે. હવે ભાઈબીજના તહેવાર નિમિત્તે બુધવારના રોજ યમુનોત્રી ધામ અને વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ બંધ કરવામાં આવશે. બંને ધામોના કપાટ બંધ કરવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેદારનાથના કપાટ બંધ થયા પછી બાબા કેદારની પૂજા આગામી 6 મહિના સુધી ઓમકારેશ્વર મંદિરમાં થશે. મહત્વનું છે કે આ વખતે લાખો ભક્તોએ ચારધામની મુલાકાત લીધી છે. એક રિપોર્ટ અનુસાર 13 નવેમ્બર સુધી કેદારનાથ ધામની મુલાકાત 19 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓએ લીધી છે.  



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.