પ્રધાનમંત્રીના વચન અને આંખોની તો લાજ રાખો સત્તાધીશો... 100 ટકા નળ સે જળ યોજના પૂર્ણ થયા હોવાના દાવા વચ્ચે પાણી માટે વલખા મારતી પ્રજા


  • Published By :
  • Published Date : 2023-04-12 14:23:33

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળથી જળ પહોંચે તે માટે સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. સરકારી ચોપડે આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ સરકારી અધિકારીઓ પાઈપ લગાવવાનું ભૂલી ગયા છે. એવા અનેક દ્રશ્યો જમાવટના કેમેરામાં કેદ થયા છે જે સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે.  


ગુજરાત સરકાર દાવો કરે છે કે નળથી જળ યોજના 100 ટકા પૂર્ણ  

લોકોને પાણી મળે તે માટે સરકાર દ્વારા જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ઘરમાં લોકોને પાણી મળે તે માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ એ થાય કે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે.  




15 ઓગષ્ટ 2019એ પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કરી હતી જાહેરાત  

જળ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેનો મતલબ એ થાય કે ગુજરાત 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ લાલકિલ્લા પરથી જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતુંકે આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરૂં પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. 

જો સાચે યોજના લોકો સુધી પહોંચી છે તો કેમ લોકોને પાણી માટે મારવા પડે છે વલખા? 

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વલસાડની શિક્ષણ સમિતિ દ્વારા લખવામાં આવેલો એક પત્ર ચર્ચામાં આવ્યો છે. આ પત્રનો વિષય છે વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવો. જે પત્ર સામે આવ્યો છે તે ધરમપૂરનો છે. ધરમપૂરમાં સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પત્રમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો ગામડાના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચી ગયું છે કે તો કેમ લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


પીએમ મોદી દ્વારા કહેવાયેલા શબ્દોની તો લાજ રાખો સરકાર  

100 ટકા યોજના લોકો સુધી પહોંચી ગઈ છે તે દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો ખરેખર સાચો છે? જો આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હશે 'ના'. હજી પણ એવા અનેક ગામો છે જ્યાં વસ્તી વધારે હોય છે પરંતુ સમગ્ર વસ્તી વચ્ચે માત્ર એક જ હેન્ડ પમ્પ જોવા મળે છે. પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે હમણાં તો ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન દરમિયાન પાણીનો વપરાશ એમ પણ વધતો હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે લોકોને પડતી તકલીફો, લોકોની સરકાર પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ ભલે સરકારી અધિકારીને ન દેખાતી હોય પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોની તો લાજ રાખો...               




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.