પ્રધાનમંત્રીના વચન અને આંખોની તો લાજ રાખો સત્તાધીશો... 100 ટકા નળ સે જળ યોજના પૂર્ણ થયા હોવાના દાવા વચ્ચે પાણી માટે વલખા મારતી પ્રજા


  • Published By :
  • Published Date : 2023-04-12 14:23:33

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળથી જળ પહોંચે તે માટે સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. સરકારી ચોપડે આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ સરકારી અધિકારીઓ પાઈપ લગાવવાનું ભૂલી ગયા છે. એવા અનેક દ્રશ્યો જમાવટના કેમેરામાં કેદ થયા છે જે સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે.  


ગુજરાત સરકાર દાવો કરે છે કે નળથી જળ યોજના 100 ટકા પૂર્ણ  

લોકોને પાણી મળે તે માટે સરકાર દ્વારા જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ઘરમાં લોકોને પાણી મળે તે માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ એ થાય કે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે.  




15 ઓગષ્ટ 2019એ પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કરી હતી જાહેરાત  

જળ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેનો મતલબ એ થાય કે ગુજરાત 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ લાલકિલ્લા પરથી જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતુંકે આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરૂં પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. 

જો સાચે યોજના લોકો સુધી પહોંચી છે તો કેમ લોકોને પાણી માટે મારવા પડે છે વલખા? 

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વલસાડની શિક્ષણ સમિતિ દ્વારા લખવામાં આવેલો એક પત્ર ચર્ચામાં આવ્યો છે. આ પત્રનો વિષય છે વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવો. જે પત્ર સામે આવ્યો છે તે ધરમપૂરનો છે. ધરમપૂરમાં સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પત્રમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો ગામડાના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચી ગયું છે કે તો કેમ લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


પીએમ મોદી દ્વારા કહેવાયેલા શબ્દોની તો લાજ રાખો સરકાર  

100 ટકા યોજના લોકો સુધી પહોંચી ગઈ છે તે દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો ખરેખર સાચો છે? જો આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હશે 'ના'. હજી પણ એવા અનેક ગામો છે જ્યાં વસ્તી વધારે હોય છે પરંતુ સમગ્ર વસ્તી વચ્ચે માત્ર એક જ હેન્ડ પમ્પ જોવા મળે છે. પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે હમણાં તો ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન દરમિયાન પાણીનો વપરાશ એમ પણ વધતો હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે લોકોને પડતી તકલીફો, લોકોની સરકાર પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ ભલે સરકારી અધિકારીને ન દેખાતી હોય પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોની તો લાજ રાખો...               




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.