પ્રધાનમંત્રીના વચન અને આંખોની તો લાજ રાખો સત્તાધીશો... 100 ટકા નળ સે જળ યોજના પૂર્ણ થયા હોવાના દાવા વચ્ચે પાણી માટે વલખા મારતી પ્રજા


  • Published By :
  • Published Date : 2023-04-12 14:23:33

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નળથી જળ પહોંચે તે માટે સરકાર દ્વારા હજારો કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે. સરકારી ચોપડે આ કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. અનેક ગામો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ સરકારી અધિકારીઓ પાઈપ લગાવવાનું ભૂલી ગયા છે. એવા અનેક દ્રશ્યો જમાવટના કેમેરામાં કેદ થયા છે જે સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાને ખોટા સાબિત કરે છે.  


ગુજરાત સરકાર દાવો કરે છે કે નળથી જળ યોજના 100 ટકા પૂર્ણ  

લોકોને પાણી મળે તે માટે સરકાર દ્વારા જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ઘરમાં લોકોને પાણી મળે તે માટે આ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી હતી. ઓક્ટોબર 2022માં ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. એનો મતલબ એ થાય કે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે.  




15 ઓગષ્ટ 2019એ પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કરી હતી જાહેરાત  

જળ જીવન મિશન અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારને 100 ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેનો મતલબ એ થાય કે ગુજરાત 100 ટકા નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજ્ય બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ 2019ના રોજ લાલકિલ્લા પરથી જળ જીવન મિશનની ઘોષણા કરી હતી. જાહેરાત કરતા તેમણે કહ્યું હતુંકે આ મિશનનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100 ટકા નળ જોડાણ દ્વારા પાણી પૂરૂં પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે. 

જો સાચે યોજના લોકો સુધી પહોંચી છે તો કેમ લોકોને પાણી માટે મારવા પડે છે વલખા? 

હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર પાણીની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે વલસાડની શિક્ષણ સમિતિ દ્વારા લખવામાં આવેલો એક પત્ર ચર્ચામાં આવ્યો છે. આ પત્રનો વિષય છે વધુ ગરમી અને પાણીની સમસ્યાને કારણે સરકારી પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવો. જે પત્ર સામે આવ્યો છે તે ધરમપૂરનો છે. ધરમપૂરમાં સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પત્રમાં પાણીની સમસ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જો ગામડાના દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચી ગયું છે કે તો કેમ લોકોને પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે.


પીએમ મોદી દ્વારા કહેવાયેલા શબ્દોની તો લાજ રાખો સરકાર  

100 ટકા યોજના લોકો સુધી પહોંચી ગઈ છે તે દાવો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દાવો ખરેખર સાચો છે? જો આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ હશે 'ના'. હજી પણ એવા અનેક ગામો છે જ્યાં વસ્તી વધારે હોય છે પરંતુ સમગ્ર વસ્તી વચ્ચે માત્ર એક જ હેન્ડ પમ્પ જોવા મળે છે. પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે હમણાં તો ઉનાળાની સિઝન છે. ઉનાળાની સિઝન દરમિયાન પાણીનો વપરાશ એમ પણ વધતો હોય છે. ત્યારે કહેવાનું મન થાય કે લોકોને પડતી તકલીફો, લોકોની સરકાર પાસેથી રાખવામાં આવેલી અપેક્ષાઓ ભલે સરકારી અધિકારીને ન દેખાતી હોય પરંતુ નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલી વાતોની તો લાજ રાખો...               




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.