કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:09:10

કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!

અરવિંદ કેજરીવાલ વલસાડમાં જનસભા સંબોધન કરતાં ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી તેમણે કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તથા IBના રિપોર્ટ પ્રમાણે 93-94 બેઠકો અમારી પાર્ટીની પાક્કી છે. જોકે દરમિયાન તેમણે જનતાનો સાથ માગ્યો છે અને કહ્યું કે જો ધક્કો મારશો તો અમારી સરકારને તો અવશ્ય 150 બેઠકો સાથે જીત મળશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીત્યા પછી સૌથી પહેલા શું કામ કરશે એની પણ જાહેરાત કરી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ

 

કેજરીવાલે 150 બેઠક જીતવાની વાત કરી

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું AAP ઈમાનદાર પાર્ટી છે. IBના રિપોર્ટ પ્રમાણે અમારી સરકાર ચૂંટણીમાં 93-94 બેઠક જીતતી નજરે પડી રહી છે. પરંતુ હજુ પણ માર્જિન રસાકસી ભર્યું છે. કેજરીવાલે જનતાને જણાવ્યું કે જો તમે સપોર્ટ આપશો તો દરેક ગેરન્ટી પૂરી પાડીશ અને જીતનો રોડમેપ તૈયાર કરીશ. જેના પરિણામે તમે જો અમારી સરકારને મદદરૂપી ધક્કો મારશો તો અમે 150 બેઠકો જીતી શકીશું.

 

અરવિંદ કેજરીવાલ 9 ઓક્ટોમ્બરે બપોરે વલસાડ જન સભાને સંબોધવા ગયા હતા. ત્યારે સાંજે 4 વાગે સુરતના કડોદરા ખાતે વધુ એક જન સભા યોજશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"