કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:09:10

કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!

અરવિંદ કેજરીવાલ વલસાડમાં જનસભા સંબોધન કરતાં ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી તેમણે કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તથા IBના રિપોર્ટ પ્રમાણે 93-94 બેઠકો અમારી પાર્ટીની પાક્કી છે. જોકે દરમિયાન તેમણે જનતાનો સાથ માગ્યો છે અને કહ્યું કે જો ધક્કો મારશો તો અમારી સરકારને તો અવશ્ય 150 બેઠકો સાથે જીત મળશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીત્યા પછી સૌથી પહેલા શું કામ કરશે એની પણ જાહેરાત કરી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ

 

કેજરીવાલે 150 બેઠક જીતવાની વાત કરી

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું AAP ઈમાનદાર પાર્ટી છે. IBના રિપોર્ટ પ્રમાણે અમારી સરકાર ચૂંટણીમાં 93-94 બેઠક જીતતી નજરે પડી રહી છે. પરંતુ હજુ પણ માર્જિન રસાકસી ભર્યું છે. કેજરીવાલે જનતાને જણાવ્યું કે જો તમે સપોર્ટ આપશો તો દરેક ગેરન્ટી પૂરી પાડીશ અને જીતનો રોડમેપ તૈયાર કરીશ. જેના પરિણામે તમે જો અમારી સરકારને મદદરૂપી ધક્કો મારશો તો અમે 150 બેઠકો જીતી શકીશું.

 

અરવિંદ કેજરીવાલ 9 ઓક્ટોમ્બરે બપોરે વલસાડ જન સભાને સંબોધવા ગયા હતા. ત્યારે સાંજે 4 વાગે સુરતના કડોદરા ખાતે વધુ એક જન સભા યોજશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .