કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 17:09:10

કેજરીવાલએ આપ્યો 150 બેઠક જીતવાનો રોડમેપ !!!!!

અરવિંદ કેજરીવાલ વલસાડમાં જનસભા સંબોધન કરતાં ચૂંટણી પરિણામ વિશે મોટી જાહેરાત કરી તેમણે કહ્યું આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. તથા IBના રિપોર્ટ પ્રમાણે 93-94 બેઠકો અમારી પાર્ટીની પાક્કી છે. જોકે દરમિયાન તેમણે જનતાનો સાથ માગ્યો છે અને કહ્યું કે જો ધક્કો મારશો તો અમારી સરકારને તો અવશ્ય 150 બેઠકો સાથે જીત મળશે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે ચૂંટણી જીત્યા પછી સૌથી પહેલા શું કામ કરશે એની પણ જાહેરાત કરી હતી. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ

 

કેજરીવાલે 150 બેઠક જીતવાની વાત કરી

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું AAP ઈમાનદાર પાર્ટી છે. IBના રિપોર્ટ પ્રમાણે અમારી સરકાર ચૂંટણીમાં 93-94 બેઠક જીતતી નજરે પડી રહી છે. પરંતુ હજુ પણ માર્જિન રસાકસી ભર્યું છે. કેજરીવાલે જનતાને જણાવ્યું કે જો તમે સપોર્ટ આપશો તો દરેક ગેરન્ટી પૂરી પાડીશ અને જીતનો રોડમેપ તૈયાર કરીશ. જેના પરિણામે તમે જો અમારી સરકારને મદદરૂપી ધક્કો મારશો તો અમે 150 બેઠકો જીતી શકીશું.

 

અરવિંદ કેજરીવાલ 9 ઓક્ટોમ્બરે બપોરે વલસાડ જન સભાને સંબોધવા ગયા હતા. ત્યારે સાંજે 4 વાગે સુરતના કડોદરા ખાતે વધુ એક જન સભા યોજશે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.