ચૂંટણીની તારીખને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-11-01 14:56:35

મોરબીમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. નદી પર બનેલો બ્રિજ અચાનક તૂટી પડતાં બ્રિજ પર ઉભેલા લોકો નદીમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તેવું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકાર તાત્કાલિક રાજીનામું આપે - અરવિંદ કેજરીવાલ 

મોરબીની દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરૂ છું. તેવામાં આ પુલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોટ આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

Image

બ્રિજનું કામ કરનાર કંપની પર કેજરીવાલે કર્યા પ્રહાર

કેજરીવાલે આ બ્રિજનું સમારકામ કરનાર કંપનીના માલિક પર પણ નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ કંપની પાસે બ્રિજ કેવી રીતે બનાવાનો અથવા મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ ન હતો, પછી આ જવાબદારી કેમ સોંપવામાં આવીએ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈ નેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ શકે છે.              




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .