ચૂંટણીની તારીખને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-11-01 14:56:35

મોરબીમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. નદી પર બનેલો બ્રિજ અચાનક તૂટી પડતાં બ્રિજ પર ઉભેલા લોકો નદીમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તેવું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકાર તાત્કાલિક રાજીનામું આપે - અરવિંદ કેજરીવાલ 

મોરબીની દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરૂ છું. તેવામાં આ પુલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોટ આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

Image

બ્રિજનું કામ કરનાર કંપની પર કેજરીવાલે કર્યા પ્રહાર

કેજરીવાલે આ બ્રિજનું સમારકામ કરનાર કંપનીના માલિક પર પણ નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ કંપની પાસે બ્રિજ કેવી રીતે બનાવાનો અથવા મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ ન હતો, પછી આ જવાબદારી કેમ સોંપવામાં આવીએ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈ નેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ શકે છે.              




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.