ચૂંટણીની તારીખને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-01 14:56:35

મોરબીમાં બનેલી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. નદી પર બનેલો બ્રિજ અચાનક તૂટી પડતાં બ્રિજ પર ઉભેલા લોકો નદીમાં તણાઈ ગયા હતા. અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. ત્યારે આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોરબીમાં થયેલી ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું સાથે સાથે ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવામાં આવે તેવું નિવેદન આપ્યું છે.

ગુજરાત સરકાર તાત્કાલિક રાજીનામું આપે - અરવિંદ કેજરીવાલ 

મોરબીની દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરુ છું. ઈજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પણ પ્રાર્થના કરૂ છું. તેવામાં આ પુલ ધરાશાયી થયો એની વાત કરીએ તો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવા તરફના સંકેત મળી રહ્યા છે. વળી આ દુર્ઘટનામાં રિપોટ આધારે 150થી વધુ લોકોના મોત થયા છે. તેવામાં હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ નૈતિકતાના ધોરણે ફરજ પર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકારે રાજીનામું આપી તાત્કાલિક ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ.

Image

બ્રિજનું કામ કરનાર કંપની પર કેજરીવાલે કર્યા પ્રહાર

કેજરીવાલે આ બ્રિજનું સમારકામ કરનાર કંપનીના માલિક પર પણ નિશાન સાધ્યું છે જેમાં તેમણે કહ્યું કે આ કંપની પાસે બ્રિજ કેવી રીતે બનાવાનો અથવા મેઈનટેનન્સ કરવું એનો અનુભવ જ ન હતો, પછી આ જવાબદારી કેમ સોંપવામાં આવીએ મોટો પ્રશ્ન છે. તેવામાં કંપનીના માલિકને પાર્ટી અથવા કોઈ નેતા સાથે અંગત સારા સંબંધો હોઈ શકે છે. આના કારણે તેમને કોન્ટ્રાક્ટ મળ્યો હોઈ શકે છે.              




લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હતો. આપના બે નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મકિ માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે તે બંને નેતાઓ આવતી કાલે ભાજપમાં જોડાઈ શકે છે...

દેશની સર્વોચ્ચ ન્યાયાલે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજીને ફગાવી દીધી છે.!

રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે જગતના તાતની ચિંતા વધી છે.

ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.