કેજરીવાલનો સવાલ, BJP લોકસભા ચૂંટણીમાં 90 કરોડમાંથી કેટલા મતોની ચોરી કરશે?


  • Published By :
  • Published Date : 2024-02-20 19:03:09

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રિટર્નિગ ઓફિસરના પરિણામને ફગાવી દીધો છે. આપ ઉમેદવાર કુલદીપ કુમારને કોર્ટે વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. 


BJPએ 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ રચ્યું 


અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે  INDIA ગઢબંધનના 20 વોટ હતા અને બિજેપી પાસે માત્ર 16 વોટ હતા તેમ છતાં પણ બિજેપીએ ચંદીગઢ મેયરની ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. રિટર્નિગ અધિકારીની મદદથી મદદથી 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ બિજેપીએ રચ્યું હતું. બિજેપી દેશની લોકશાહીને કચડી રહી છે, તથા તમામ સ્વાયત્ત સંસ્થાઓને કચડી રહી છે. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો હતો. 


BJPએ 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે? 


અરવિંદ કેજરીવાલે કહ્યું કે સમગ્ર દેશએ જોયું કે બિજેપીએ આ ચૂંટણી ચોરી હતી. આ ચૂંટણીમાં કુલ 36 મત હતા બિજેપીએ 8 વોટ ચોરી લીધા, 25 ટકા ચોરી લીધા, હજું હમણા થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં 90 કરોડ મતો છે. જો બિજેપી 36 ટકામાંથી 25 ટકા મત ચોરી કરી શકે છે, તો વિચારો કે 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે. વિચારીને જ આત્મા કંપી જાય છે.  બિજેપીવાળા ચૂંટણીમાં ગડબડ કરે છે, બદમાશી કરે છે. મતોની ચોરી કરે છે, પરંતું ચંદીગઢ ચૂંટણીના સમયે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા. 


'લોકશાહી નહીં ટકે તો કંઈ નહીં બચે'


આખા દેશે વિચારવું પડશે કે લોકશાહી નહીં બચે તો કશું બચશે નહીં. આજે તેઓ જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 370 સીટો આવશે. તે એક રીતે દેશની જનતાને પડકાર ફેંકી રહ્યા છે કે અમને તમારા વોટની જરૂર નથી. અમને 370 બેઠકો મળી રહી છે. તેમને 370 બેઠકો વિશે આટલો વિશ્વાસ ક્યાંથી મળી રહ્યો છે, તેમણે કંઈક ખોટું કર્યું છે. જો કોઈપણ દેશમાં ચૂંટણી પહેલા પક્ષો સ્પષ્ટપણે કહેવા લાગે કે તેમને વોટની જરૂર નથી, તો વોટની જરૂર નથી. એ દેશમાં લોકશાહી નથી. લોકશાહી બચાવવા માટે આખા દેશે સાથે એક સાથે આવવું પડશે. તેથી તે પણ સ્પષ્ટ છે કે આ લોકો ચૂંટણી જીતતા નથી, તેઓ ચૂંટણીઓ ચોરી કરે છે.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.