કેજરીવાલનો સવાલ, BJP લોકસભા ચૂંટણીમાં 90 કરોડમાંથી કેટલા મતોની ચોરી કરશે?


  • Published By :
  • Published Date : 2024-02-20 19:03:09

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રિટર્નિગ ઓફિસરના પરિણામને ફગાવી દીધો છે. આપ ઉમેદવાર કુલદીપ કુમારને કોર્ટે વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. 


BJPએ 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ રચ્યું 


અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે  INDIA ગઢબંધનના 20 વોટ હતા અને બિજેપી પાસે માત્ર 16 વોટ હતા તેમ છતાં પણ બિજેપીએ ચંદીગઢ મેયરની ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. રિટર્નિગ અધિકારીની મદદથી મદદથી 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ બિજેપીએ રચ્યું હતું. બિજેપી દેશની લોકશાહીને કચડી રહી છે, તથા તમામ સ્વાયત્ત સંસ્થાઓને કચડી રહી છે. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો હતો. 


BJPએ 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે? 


અરવિંદ કેજરીવાલે કહ્યું કે સમગ્ર દેશએ જોયું કે બિજેપીએ આ ચૂંટણી ચોરી હતી. આ ચૂંટણીમાં કુલ 36 મત હતા બિજેપીએ 8 વોટ ચોરી લીધા, 25 ટકા ચોરી લીધા, હજું હમણા થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં 90 કરોડ મતો છે. જો બિજેપી 36 ટકામાંથી 25 ટકા મત ચોરી કરી શકે છે, તો વિચારો કે 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે. વિચારીને જ આત્મા કંપી જાય છે.  બિજેપીવાળા ચૂંટણીમાં ગડબડ કરે છે, બદમાશી કરે છે. મતોની ચોરી કરે છે, પરંતું ચંદીગઢ ચૂંટણીના સમયે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા. 


'લોકશાહી નહીં ટકે તો કંઈ નહીં બચે'


આખા દેશે વિચારવું પડશે કે લોકશાહી નહીં બચે તો કશું બચશે નહીં. આજે તેઓ જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 370 સીટો આવશે. તે એક રીતે દેશની જનતાને પડકાર ફેંકી રહ્યા છે કે અમને તમારા વોટની જરૂર નથી. અમને 370 બેઠકો મળી રહી છે. તેમને 370 બેઠકો વિશે આટલો વિશ્વાસ ક્યાંથી મળી રહ્યો છે, તેમણે કંઈક ખોટું કર્યું છે. જો કોઈપણ દેશમાં ચૂંટણી પહેલા પક્ષો સ્પષ્ટપણે કહેવા લાગે કે તેમને વોટની જરૂર નથી, તો વોટની જરૂર નથી. એ દેશમાં લોકશાહી નથી. લોકશાહી બચાવવા માટે આખા દેશે સાથે એક સાથે આવવું પડશે. તેથી તે પણ સ્પષ્ટ છે કે આ લોકો ચૂંટણી જીતતા નથી, તેઓ ચૂંટણીઓ ચોરી કરે છે.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .