કેજરીવાલનો સવાલ, BJP લોકસભા ચૂંટણીમાં 90 કરોડમાંથી કેટલા મતોની ચોરી કરશે?


  • Published By :
  • Published Date : 2024-02-20 19:03:09

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણી કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે રિટર્નિગ ઓફિસરના પરિણામને ફગાવી દીધો છે. આપ ઉમેદવાર કુલદીપ કુમારને કોર્ટે વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આપના કન્વિનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. 


BJPએ 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ રચ્યું 


અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને સર્વોચ્ચ અદાલતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે  INDIA ગઢબંધનના 20 વોટ હતા અને બિજેપી પાસે માત્ર 16 વોટ હતા તેમ છતાં પણ બિજેપીએ ચંદીગઢ મેયરની ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. રિટર્નિગ અધિકારીની મદદથી મદદથી 8 વોટ રદ્દ કરવાનું કાવતરૂ બિજેપીએ રચ્યું હતું. બિજેપી દેશની લોકશાહીને કચડી રહી છે, તથા તમામ સ્વાયત્ત સંસ્થાઓને કચડી રહી છે. આવી સ્થિતીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ખૂબ જ મહત્વનો હતો. 


BJPએ 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે? 


અરવિંદ કેજરીવાલે કહ્યું કે સમગ્ર દેશએ જોયું કે બિજેપીએ આ ચૂંટણી ચોરી હતી. આ ચૂંટણીમાં કુલ 36 મત હતા બિજેપીએ 8 વોટ ચોરી લીધા, 25 ટકા ચોરી લીધા, હજું હમણા થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં 90 કરોડ મતો છે. જો બિજેપી 36 ટકામાંથી 25 ટકા મત ચોરી કરી શકે છે, તો વિચારો કે 90 કરોડમાંથી કેટલા મતો ચોરી કરશે. વિચારીને જ આત્મા કંપી જાય છે.  બિજેપીવાળા ચૂંટણીમાં ગડબડ કરે છે, બદમાશી કરે છે. મતોની ચોરી કરે છે, પરંતું ચંદીગઢ ચૂંટણીના સમયે સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયા. 


'લોકશાહી નહીં ટકે તો કંઈ નહીં બચે'


આખા દેશે વિચારવું પડશે કે લોકશાહી નહીં બચે તો કશું બચશે નહીં. આજે તેઓ જે આત્મવિશ્વાસ સાથે કહી રહ્યા છે કે 370 સીટો આવશે. તે એક રીતે દેશની જનતાને પડકાર ફેંકી રહ્યા છે કે અમને તમારા વોટની જરૂર નથી. અમને 370 બેઠકો મળી રહી છે. તેમને 370 બેઠકો વિશે આટલો વિશ્વાસ ક્યાંથી મળી રહ્યો છે, તેમણે કંઈક ખોટું કર્યું છે. જો કોઈપણ દેશમાં ચૂંટણી પહેલા પક્ષો સ્પષ્ટપણે કહેવા લાગે કે તેમને વોટની જરૂર નથી, તો વોટની જરૂર નથી. એ દેશમાં લોકશાહી નથી. લોકશાહી બચાવવા માટે આખા દેશે સાથે એક સાથે આવવું પડશે. તેથી તે પણ સ્પષ્ટ છે કે આ લોકો ચૂંટણી જીતતા નથી, તેઓ ચૂંટણીઓ ચોરી કરે છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .