ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું આ વખતે મૂકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે


  • Published By :
  • Published Date : 2022-11-14 14:45:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણી  પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારથી દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સીટો મેળવવા પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે કહ્યું આ વખતે મુકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે. 


કોંગ્રેસ ખતમ થઈ રહી છે - અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસ ખતમ થઈ રહી છે. 27 વર્ષના કુશાસનથી લોકો ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીને વોટ કરશે. આ વખતે મુકાબકો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાનો છે. 

Image

અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો ટક્કર થતી હતી પરંતુ આ વખતે ત્રીજા પક્ષની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આપનો પ્રચાર દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે. બંને રાજ્યોના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રોડ-શો કરી આપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.