ગુજરાતના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું આ વખતે મૂકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે


  • Published By :
  • Published Date : 2022-11-14 14:45:32

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટી ચૂંટણી  પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારથી દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સીટો મેળવવા પ્રયાસ કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન કેજરીવાલે કહ્યું આ વખતે મુકાબલો ભાજપ અને આપ વચ્ચે રહેશે. 


કોંગ્રેસ ખતમ થઈ રહી છે - અરવિંદ કેજરીવાલ 

અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનમાં કહ્યું કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસ ખતમ થઈ રહી છે. 27 વર્ષના કુશાસનથી લોકો ત્રસ્ત છે, એ લોકો આમ આદમી પાર્ટીને વોટ કરશે. આ વખતે મુકાબકો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાનો છે. 

Image

અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાતના પ્રવાસે 

ગુજરાતમાં ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તો ટક્કર થતી હતી પરંતુ આ વખતે ત્રીજા પક્ષની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ છે. આમ આદમી પાર્ટી પોતાના પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. આપનો પ્રચાર દિલ્હીના મુખ્યમંત્રી તેમજ પંજાબના મુખ્યમંત્રી આવી રહ્યા છે. બંને રાજ્યોના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. રોડ-શો કરી આપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને લઈ નિવેદન આપ્યું છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.