કેરળ: PFIના 15 સભ્યોને ફાંસીની સજા, BJP નેતાનું ગળું કાપીને કરવામાં આવી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:12:35

કેરળમાં ભાજપના નેતાની હત્યાના કેસમાં લગભગ ચાર વર્ષે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં દોષિત તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ હત્યામાં સામેલ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે.


માવેલીક્કર જિલ્લા કોર્ટે સંભળાવી સજા 


કેરળની એક અદાલતે ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે. કોર્ટે શનિવારે આ 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. આ ગુનેગારોને માવેલીક્કર જિલ્લા અદાલતે સજા સંભળાવી છે. માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. મૃતકના પરિવારજનોના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેન્ડ કિલર સ્ક્વોડનો ભાગ છે. મૃતકને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. મળતી માહિતી મુજબ, હત્યાની ઘટનામાં આઠ આરોપીઓ સંડોવાયેલા હતા, જ્યારે બાકીના આરોપીઓને ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ માવેલીક્કર જિલ્લા અદાલતે તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે.


આ છે 15 દોષિતો

ગયા અઠવાડિયે કોર્ટે 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિઝામ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ ઉર્ફે સલામ પોનાદ, અબ્દુલ કલામ, સફરુદ્દીન અને મંશાદ તરીકે ઓળખાયેલા આઠ દોષિતો રણજીત શ્રીનિવાસની હત્યામાં સીધા સામેલ હતા. જ્યારે અન્ય ગુનેગારોની ઓળખ જસીબ રાજા, નવાસ, શમીર, નસીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શમનસ અશરફ તરીકે કરવામાં આવી છે. કોર્ટે તેમાંથી ચારને દોષિત ઠેરવ્યા હતા કારણ કે તેઓ હથિયારો સાથે ગુનાના સ્થળે આવ્યા હતા, જેથી શ્રીનિવાસ છટકી ન શકે અને કોઈ તેની મદદ ન કરી શકે. બાકીના ત્રણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

આ હિચકારી ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર, 2021ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.