કેરળ: PFIના 15 સભ્યોને ફાંસીની સજા, BJP નેતાનું ગળું કાપીને કરવામાં આવી હતી હત્યા


  • Published By :
  • Published Date : 2024-01-30 20:12:35

કેરળમાં ભાજપના નેતાની હત્યાના કેસમાં લગભગ ચાર વર્ષે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં દોષિત તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. આ હત્યામાં સામેલ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે.


માવેલીક્કર જિલ્લા કોર્ટે સંભળાવી સજા 


કેરળની એક અદાલતે ભાજપની ઓબીસી વિંગના નેતા રણજીત શ્રીનિવાસનની હત્યા કેસમાં 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. આ તમામ ગુનેગારો પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંકળાયેલા છે. કોર્ટે શનિવારે આ 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. આ ગુનેગારોને માવેલીક્કર જિલ્લા અદાલતે સજા સંભળાવી છે. માવેલીકારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. મૃતકના પરિવારજનોના વકીલે કહ્યું કે સજા પામેલા તમામ આરોપીઓ ટ્રેન્ડ કિલર સ્ક્વોડનો ભાગ છે. મૃતકને તેની માતા, પત્ની અને બાળકની સામે જે ક્રૂર અને નિર્દય રીતે મારવામાં આવ્યો તે દુર્લભ અપરાધોની શ્રેણીમાં આવે છે. મળતી માહિતી મુજબ, હત્યાની ઘટનામાં આઠ આરોપીઓ સંડોવાયેલા હતા, જ્યારે બાકીના આરોપીઓને ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, ત્યારબાદ માવેલીક્કર જિલ્લા અદાલતે તમામ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે.


આ છે 15 દોષિતો

ગયા અઠવાડિયે કોર્ટે 15 લોકોને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે નિઝામ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ સલામ ઉર્ફે સલામ પોનાદ, અબ્દુલ કલામ, સફરુદ્દીન અને મંશાદ તરીકે ઓળખાયેલા આઠ દોષિતો રણજીત શ્રીનિવાસની હત્યામાં સીધા સામેલ હતા. જ્યારે અન્ય ગુનેગારોની ઓળખ જસીબ રાજા, નવાસ, શમીર, નસીર, ઝાકિર હુસૈન, શાજી પૂવાથુંગલ અને શમનસ અશરફ તરીકે કરવામાં આવી છે. કોર્ટે તેમાંથી ચારને દોષિત ઠેરવ્યા હતા કારણ કે તેઓ હથિયારો સાથે ગુનાના સ્થળે આવ્યા હતા, જેથી શ્રીનિવાસ છટકી ન શકે અને કોઈ તેની મદદ ન કરી શકે. બાકીના ત્રણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.


શું હતો સમગ્ર મામલો?

આ હિચકારી ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર, 2021ના રોજ જ્યારે રણજીત શ્રીનિવાસ અલપ્પુઝા શહેરમાં તેમના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ ભાજપના નેતાને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઇજાના કારણે રણજીતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રણજીત તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .