કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટસલ વધી, સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-02 17:08:17

કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની ટસલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેરળ સરકારે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલને મંજુરી આપવામાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા વિલંબ મામલે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી આપવામાં આવેલા વિલંબને બંધારણીય અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે.


કેરળ સરકારે શું માગ કરી?


સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પેન્ડિગ રહેલા તમામ બિલને સત્વરે મંજુરીની સુચના આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે રાજ્યપાલ સમક્ષ રજુ કરાવમાં આવેલા બિલને યોગ્ય સમયની અંદર જ નિકાલ કરવામાં માટે તે બંધાયેલા છે.  


8થી વધુ બિલ પેન્ડિગ


કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા રાજ્ય સરકારના બિલની મંજૂરીમાં વિલંબ કરવાથી રોકવાના કાનુની અને બંધારણીય ઉપાય કરવાની ગુહાર લગાવી છે. કેરળ સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં રજુઆત કરી છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય વિધાનસભા દ્વારા પસાર બિલ પર વિચાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. તેમના દ્વારા આઠથી વધુ લોક કલ્યાણથી સંબંધીત બિલ પર વિચાર કરવામાં બિનજરૂરી વિલંબ કરીને રાજ્યપાલ તેમના બંધારણીય કર્તવ્યોમાં નિષ્ફળ રહ્યા છે.


કેરળ ત્રીજુ રાજ્ય બન્યું


ઉલ્લેખનિય છે કે કેરળ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલાં પંજાબ સરકાર, તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને તમિલનાડુ સરકાર પણ તેમના પેન્ડિગ બિલોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ સરકારે 28 ઓક્ટોબર અને તમિલનાડુ સરકારે 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ વિધાનસભાના 8 બિલ અને તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા  12 બિલ હજુ પણ રાજ્યપાલની મંજુરી વગર પેન્ડિગ પડ્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.