કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચે ટસલ વધી, સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા, સમગ્ર મામલો શું છે? જાણો


  • Published By :
  • Published Date : 2023-11-02 17:08:17

કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની ટસલ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કેરળ સરકારે વિધાનસભામાં પસાર કરવામાં આવેલા બિલને મંજુરી આપવામાં રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા વિલંબ મામલે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે. કેરળ સરકારે રાજ્યપાલ દ્વારા બિલને મંજુરી આપવામાં આવેલા વિલંબને બંધારણીય અધિકારોનો દુરુપયોગ ગણાવ્યો છે. હવે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની આ લડાઈમાં સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર છે.


કેરળ સરકારે શું માગ કરી?


સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કેરળ સરકારે રાજ્યપાલને કોઈ પણ પ્રકારના વિલંબ વિના પેન્ડિગ રહેલા તમામ બિલને સત્વરે મંજુરીની સુચના આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ રજુઆત કરી છે. કેરળ સરકારે કહ્યું છે કે રાજ્યપાલ સમક્ષ રજુ કરાવમાં આવેલા બિલને યોગ્ય સમયની અંદર જ નિકાલ કરવામાં માટે તે બંધાયેલા છે.  


8થી વધુ બિલ પેન્ડિગ


કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા રાજ્ય સરકારના બિલની મંજૂરીમાં વિલંબ કરવાથી રોકવાના કાનુની અને બંધારણીય ઉપાય કરવાની ગુહાર લગાવી છે. કેરળ સરકારે સુપ્રીમમાં કરેલી અરજીમાં રજુઆત કરી છે કે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન રાજ્ય વિધાનસભા દ્વારા પસાર બિલ પર વિચાર કરવામાં વિલંબ કરી રહ્યા છે. તેમના દ્વારા આઠથી વધુ લોક કલ્યાણથી સંબંધીત બિલ પર વિચાર કરવામાં બિનજરૂરી વિલંબ કરીને રાજ્યપાલ તેમના બંધારણીય કર્તવ્યોમાં નિષ્ફળ રહ્યા છે.


કેરળ ત્રીજુ રાજ્ય બન્યું


ઉલ્લેખનિય છે કે કેરળ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ પહેલાં પંજાબ સરકાર, તમિલનાડુ સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને તમિલનાડુ સરકાર પણ તેમના પેન્ડિગ બિલોને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ સરકારે 28 ઓક્ટોબર અને તમિલનાડુ સરકારે 31 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પંજાબ વિધાનસભાના 8 બિલ અને તમિલનાડુ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા  12 બિલ હજુ પણ રાજ્યપાલની મંજુરી વગર પેન્ડિગ પડ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.