બરોડા ડેરીમાં કથિત કૌભાંડને લઈ કેતન ઈનામદારે આપ્યું નિવેદન, સોમવાર સુધી સરકારને આપ્યો સમય


  • Published By :
  • Published Date : 2023-02-18 17:27:56

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચાર, સગાવાદ તથા ગેરવહીવટના આક્ષેપોના વિરોધમાં કેતન ઈનામદારે એક સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં સાવલી, ડેસર તથા અન્ય જિલ્લાઓમાંથી પશુ પાલકોએ ભાગ લીધો હતો. ડેરીના સત્તાધીશોને ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો હું સોમવારથી ધરણાં પર ઉતરીશ. 


કેતન ઈનામદારે ધરણા કરવાની આપી ચીમકી 

મીડિયાને સંબોધતા કેતન ઈનામદારે કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે. ડેરીનું નિર્માણ જે હેતુથી કરવામાં આવ્યું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અણઘટ નીતિના કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારો અવાજ દબાવી શકશે નહીં હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. સાથી ધારાસભ્યો પણ મારી સાથે છે. 


શું હતો સમગ્ર મામલો?

આ વાત ગયા મહિનાની છે. ગયા મહિને કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. કુલદિપસિંહે પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.