બરોડા ડેરીમાં કથિત કૌભાંડને લઈ કેતન ઈનામદારે આપ્યું નિવેદન, સોમવાર સુધી સરકારને આપ્યો સમય


  • Published By :
  • Published Date : 2023-02-18 17:27:56

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બરોડા ડેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટ્રાચાર, સગાવાદ તથા ગેરવહીવટના આક્ષેપોના વિરોધમાં કેતન ઈનામદારે એક સંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં સાવલી, ડેસર તથા અન્ય જિલ્લાઓમાંથી પશુ પાલકોએ ભાગ લીધો હતો. ડેરીના સત્તાધીશોને ધારાસભ્યે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ડેરીના સત્તાધીશો યોગ્ય જવાબ નહીં આપે તો હું સોમવારથી ધરણાં પર ઉતરીશ. 


કેતન ઈનામદારે ધરણા કરવાની આપી ચીમકી 

મીડિયાને સંબોધતા કેતન ઈનામદારે કહ્યું હતું કે કેટલાક લોકો પોતાના બાપની પેઢી હોય તેમ ડેરી ચલાવે છે. ડેરીનું નિર્માણ જે હેતુથી કરવામાં આવ્યું તે હાલ થઈ રહ્યું નથી. વહીવટદારોની અણઘટ નીતિના કારણે ડેરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. ડેરીમાં 6થી 7 લાખ લીટર દૂધ આવે છે. 35 લાખ સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મારો અવાજ દબાવી શકશે નહીં હું છેલ્લા શ્વાસ સુધી લડીશ. સાથી ધારાસભ્યો પણ મારી સાથે છે. 


શું હતો સમગ્ર મામલો?

આ વાત ગયા મહિનાની છે. ગયા મહિને કેતન ઈનામદારે મુખ્યમંત્રીને પત્ર લખી ડેરીમાં ભ્રષ્ટ્રાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે બરોડા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રાઉલજી અને ડેરીના ડિરેક્ટર અને ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે. કુલદિપસિંહે પોતાના ભાઈના દીકરા જયરાજસિંહને પ્રોડક્શન સુપરવાઈઝર અને હાર્દિકસિંહને ઈલેક્ટ્રિકલ ટેક્નિશિયન તથા ભત્રીજાની વહુને ક્વોલિટી ટેસ્ટીંગમાં સુરવાઈઝર તરીકે નોકરીએ રાખ્યા છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.