Torrent Pharmaના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-24 15:20:06

ગુજરાતની મોટી કંપની  Torrent Pharmaceuticalsના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદના વતની કેતન શાહ ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલની સબસિડરી કંપની Laboratories Torrent SA de CVમાં ફાયનાન્સ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. મેક્સિકોમાં કેટલાક બંદુકધારીઓએ લૂંટ બાદ તેમની હત્યા કરી નાખી હતી. લૂંટારાઓએ શાહ પાસેથી 10 હજાર ડોલર પણ લૂંટી લીધા હતા. કેતન શાહ વર્ષ 2019થી મેક્સિકો સીટીમાં કંપની માટે કામ કરી રહ્યા હતા. ભારતીય દુતાવાસની દરમિયાનગીરી બાદ એજન્સીઓ હત્યારાઓને પકડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.


લૂંટના ઈરાદે હત્યા


મેક્સિકો સીટીની સાઈમન બોલિવર સ્ટ્રીટ પર હથિયારધારી હુમલાખોરોએ કેતન શાહની લૂંટના ઈરાદાથી હત્યા કરી હતી. તેમણે શાહ પાસેથી લગભગ 10 હજાર ડોલર ( લગભગ 8.3 લાખ રૂપિયા) લૂંટી લીધા હતા. શાહના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મેક્સિકો સ્થિત ભારતીય દુતાવાસે એક નિવેદન દાહેર કરી ઘટનાની પુષ્ટી કરતા શોક વ્યક્ત કર્યો હતો. દુતાવાસે તેમ કહ્યું કે અમે ગુનેગારોની ધરપકડ માટે એજન્સીઓના સંપર્કમાં છીએ.  


શાહ ઘરે પરત ફરી રહ્યા હતા


આ ઘટના ત્યારે બની જ્યારે શાહ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર બે હુમલાખોરો તેમના વાહનની પાછળ આવ્યા અને ગોળીબાર કર્યો હતો. તેમને કુલ સાત ગોળીઓ વાગી હતી. સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ શાહને બચાવી શકાયા ન હતા. દુઃખની વાત એ છે કે તેમના પિતા, જેઓ હુમલા દરમિયાન પણ હાજર હતા, આ ઘટનામાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હવે તેઓ સ્થિર હોવાનું કહેવાય છે. મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કેતન શાહના પરિવારને ભારતમાં સુરક્ષિત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી