Torrent Pharmaના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-24 15:20:06

ગુજરાતની મોટી કંપની  Torrent Pharmaceuticalsના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદના વતની કેતન શાહ ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલની સબસિડરી કંપની Laboratories Torrent SA de CVમાં ફાયનાન્સ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. મેક્સિકોમાં કેટલાક બંદુકધારીઓએ લૂંટ બાદ તેમની હત્યા કરી નાખી હતી. લૂંટારાઓએ શાહ પાસેથી 10 હજાર ડોલર પણ લૂંટી લીધા હતા. કેતન શાહ વર્ષ 2019થી મેક્સિકો સીટીમાં કંપની માટે કામ કરી રહ્યા હતા. ભારતીય દુતાવાસની દરમિયાનગીરી બાદ એજન્સીઓ હત્યારાઓને પકડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.


લૂંટના ઈરાદે હત્યા


મેક્સિકો સીટીની સાઈમન બોલિવર સ્ટ્રીટ પર હથિયારધારી હુમલાખોરોએ કેતન શાહની લૂંટના ઈરાદાથી હત્યા કરી હતી. તેમણે શાહ પાસેથી લગભગ 10 હજાર ડોલર ( લગભગ 8.3 લાખ રૂપિયા) લૂંટી લીધા હતા. શાહના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મેક્સિકો સ્થિત ભારતીય દુતાવાસે એક નિવેદન દાહેર કરી ઘટનાની પુષ્ટી કરતા શોક વ્યક્ત કર્યો હતો. દુતાવાસે તેમ કહ્યું કે અમે ગુનેગારોની ધરપકડ માટે એજન્સીઓના સંપર્કમાં છીએ.  


શાહ ઘરે પરત ફરી રહ્યા હતા


આ ઘટના ત્યારે બની જ્યારે શાહ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર બે હુમલાખોરો તેમના વાહનની પાછળ આવ્યા અને ગોળીબાર કર્યો હતો. તેમને કુલ સાત ગોળીઓ વાગી હતી. સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ શાહને બચાવી શકાયા ન હતા. દુઃખની વાત એ છે કે તેમના પિતા, જેઓ હુમલા દરમિયાન પણ હાજર હતા, આ ઘટનામાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હવે તેઓ સ્થિર હોવાનું કહેવાય છે. મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કેતન શાહના પરિવારને ભારતમાં સુરક્ષિત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.