Torrent Pharmaના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં હત્યા, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-24 15:20:06

ગુજરાતની મોટી કંપની  Torrent Pharmaceuticalsના ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદના વતની કેતન શાહ ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલની સબસિડરી કંપની Laboratories Torrent SA de CVમાં ફાયનાન્સ ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા. મેક્સિકોમાં કેટલાક બંદુકધારીઓએ લૂંટ બાદ તેમની હત્યા કરી નાખી હતી. લૂંટારાઓએ શાહ પાસેથી 10 હજાર ડોલર પણ લૂંટી લીધા હતા. કેતન શાહ વર્ષ 2019થી મેક્સિકો સીટીમાં કંપની માટે કામ કરી રહ્યા હતા. ભારતીય દુતાવાસની દરમિયાનગીરી બાદ એજન્સીઓ હત્યારાઓને પકડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે.


લૂંટના ઈરાદે હત્યા


મેક્સિકો સીટીની સાઈમન બોલિવર સ્ટ્રીટ પર હથિયારધારી હુમલાખોરોએ કેતન શાહની લૂંટના ઈરાદાથી હત્યા કરી હતી. તેમણે શાહ પાસેથી લગભગ 10 હજાર ડોલર ( લગભગ 8.3 લાખ રૂપિયા) લૂંટી લીધા હતા. શાહના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મેક્સિકો સ્થિત ભારતીય દુતાવાસે એક નિવેદન દાહેર કરી ઘટનાની પુષ્ટી કરતા શોક વ્યક્ત કર્યો હતો. દુતાવાસે તેમ કહ્યું કે અમે ગુનેગારોની ધરપકડ માટે એજન્સીઓના સંપર્કમાં છીએ.  


શાહ ઘરે પરત ફરી રહ્યા હતા


આ ઘટના ત્યારે બની જ્યારે શાહ એરપોર્ટ પર ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી 10,000 ડોલર ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક પર સવાર બે હુમલાખોરો તેમના વાહનની પાછળ આવ્યા અને ગોળીબાર કર્યો હતો. તેમને કુલ સાત ગોળીઓ વાગી હતી. સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ શાહને બચાવી શકાયા ન હતા. દુઃખની વાત એ છે કે તેમના પિતા, જેઓ હુમલા દરમિયાન પણ હાજર હતા, આ ઘટનામાં તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા પરંતુ હવે તેઓ સ્થિર હોવાનું કહેવાય છે. મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કેતન શાહના પરિવારને ભારતમાં સુરક્ષિત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.