ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:59:16

રાજ્યમાં ખરાબ રસ્તાના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી 


રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખૂબ દયનિય થઈ ગઈ છે. વાત છે અમદાવાદના ખરાબ રસ્તાઓની કે જેના કારણે ઓર્થોપેડિકના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક કેસની સંખ્યા વધી છે. જૂન મહિનામાં 3025 ઓર્થોપેડિક કેસ નોંધાયા હતા જ્યારે ઓગસ્ટ મહિનામાં કેસોમાં 19 ટકા જેટલો વધારો થયો. મોટાભાગના કમર-પીઠના દુખાવાના, ગાદી ખસી જવાના કેસો નોંધાઈ રહ્યા છે.


અમદાવાદ:સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં પડી હતી રીક્ષા

Ahmedabad : A Driver Collapse In Big Ditch With Rickshaw In Sarkhej , Show  Photos | Ahmedabad : સરખેજમાં રોડ વચ્ચે પડેલામાં 15 ફૂટ મોટા ખાડામાં પડી  રીક્ષા, જુઓ કેવા સર્જાયા દ્રશ્યો?


શહેરમાં સામાન્ય વરસાદ થતાં જ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. રસ્તાની સાથે સાથે ભૂવાઓ પણ પડી રહ્યા છે. દરેક રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. પૂર્વ હોય કે અમદાવાદનો પોશ વિસ્તાર હોય દરેક રસ્તા પર ખાડા જ ખાડા દેખાય છે. તે ઉપરાંત મેટ્રો ટ્રેનના કામકાજને કારણે પણ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર દ્રશ્ય એવું સર્જાય છે કે રસ્તો ઓછા દેખાય છે તેના કરતા વધારે ખાડા દેખાય છે. 


કમર તોડતા રસ્તાઓ

અમદાવાદ: સામાન્ય વરસાદ બાદ ઠેરઠેર ભૂવા- ખાડા, કોઇની તુટી કમર તો કોઇનાં  વધ્યા દુખાવા- pathole puntures on Ahmedabad Road very bad condition see  News 18 Special Report – News18 Gujarati

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને બહુ મુશ્કેલીનો વેઠવી પડે છે. યુવાનોમાં કમર દર્દનો તેમજ મણકાનો દુખાવો વધી રહ્યો છે. ઉબડ-ખાબડ રસ્તાને કારણે અકસ્માતો પણ સર્જાય છે. વાહન સ્લીપ થઈ જતા ઘટના સ્થળે લોકો મોતને ભેટે છે. ખાડાઓના કારણે ગુજરાતમાં વર્ષ 2021માં 75 લોકોના મોત નિપજ્યાં હતા. તેમજ ખાડાને કારણે શહેરની સરકારી હોસ્પિટલમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. 


મોંઘવારીનું ભારણ

Super Bike Garage, Shahupuri - Garages in Kolhapur - Justdial

ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકની સાથે સાથે વાહનોને પણ નુકશાન પહોચે છે. તેમજ ધૂળિયા રસ્તાને કારણે અસ્તમાના દર્દીઓને તકલીક સહન કરવી પડે છે. ખરાબ રસ્તાને કારણે વાહન ધીમે ચલાવું પડે છે. અડધો કલાકના રસ્તાનું અંતર કાપતા કલાક થઈ જાય છે. જેથી પેટ્રોલનો વપરાશ પણ વધારે થાય છે. એક તરફ આટલી મોંઘવારી અને બીજી તરફ ખાડાને કારણે વધતો વાહનનો ખર્ચ.

 

શું આવું છે ગુજરાત મોડલ?

Gujarat Sthapana Divas, Gujarat Day, or Gujarat Formation Day - Everything  You Need to Know

અંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકાસ મોડલ તરીકે ફેમસ કરવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક સ્થળોની તો જાળવણી થાય છે. જેની સીધી અસર સામાન્ય પ્રજાને થવાની નથી. પરંતુ સામાન્ય જનતાને રસ્તાઓથી સીધી જ અસર પડવાની છે. સરકાર ગુજરાતનો વિકાસ બતાવે છે પણ વાસ્તવિક્તામાં ખાડાઓનો પ્રતિદિન વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.