ગુજરાતમાં ખાડા કે ખાડામાં ગુજરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 13:59:16

રાજ્યમાં ખરાબ રસ્તાના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી 


રાજ્યના અનેક રસ્તાઓની હાલત ખૂબ દયનિય થઈ ગઈ છે. વાત છે અમદાવાદના ખરાબ રસ્તાઓની કે જેના કારણે ઓર્થોપેડિકના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક કેસની સંખ્યા વધી છે. જૂન મહિનામાં 3025 ઓર્થોપેડિક કેસ નોંધાયા હતા જ્યારે ઓગસ્ટ મહિનામાં કેસોમાં 19 ટકા જેટલો વધારો થયો. મોટાભાગના કમર-પીઠના દુખાવાના, ગાદી ખસી જવાના કેસો નોંધાઈ રહ્યા છે.


અમદાવાદ:સરખેજમાં રોડ વચ્ચે પડેલા 15 ફૂટ મોટા ખાડામાં પડી હતી રીક્ષા

Ahmedabad : A Driver Collapse In Big Ditch With Rickshaw In Sarkhej , Show  Photos | Ahmedabad : સરખેજમાં રોડ વચ્ચે પડેલામાં 15 ફૂટ મોટા ખાડામાં પડી  રીક્ષા, જુઓ કેવા સર્જાયા દ્રશ્યો?


શહેરમાં સામાન્ય વરસાદ થતાં જ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. રસ્તાની સાથે સાથે ભૂવાઓ પણ પડી રહ્યા છે. દરેક રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. પૂર્વ હોય કે અમદાવાદનો પોશ વિસ્તાર હોય દરેક રસ્તા પર ખાડા જ ખાડા દેખાય છે. તે ઉપરાંત મેટ્રો ટ્રેનના કામકાજને કારણે પણ રસ્તાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. અનેક રસ્તાઓ પર દ્રશ્ય એવું સર્જાય છે કે રસ્તો ઓછા દેખાય છે તેના કરતા વધારે ખાડા દેખાય છે. 


કમર તોડતા રસ્તાઓ

અમદાવાદ: સામાન્ય વરસાદ બાદ ઠેરઠેર ભૂવા- ખાડા, કોઇની તુટી કમર તો કોઇનાં  વધ્યા દુખાવા- pathole puntures on Ahmedabad Road very bad condition see  News 18 Special Report – News18 Gujarati

ખરાબ રસ્તાને કારણે વાહનચાલકોને બહુ મુશ્કેલીનો વેઠવી પડે છે. યુવાનોમાં કમર દર્દનો તેમજ મણકાનો દુખાવો વધી રહ્યો છે. ઉબડ-ખાબડ રસ્તાને કારણે અકસ્માતો પણ સર્જાય છે. વાહન સ્લીપ થઈ જતા ઘટના સ્થળે લોકો મોતને ભેટે છે. ખાડાઓના કારણે ગુજરાતમાં વર્ષ 2021માં 75 લોકોના મોત નિપજ્યાં હતા. તેમજ ખાડાને કારણે શહેરની સરકારી હોસ્પિટલમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. 


મોંઘવારીનું ભારણ

Super Bike Garage, Shahupuri - Garages in Kolhapur - Justdial

ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકની સાથે સાથે વાહનોને પણ નુકશાન પહોચે છે. તેમજ ધૂળિયા રસ્તાને કારણે અસ્તમાના દર્દીઓને તકલીક સહન કરવી પડે છે. ખરાબ રસ્તાને કારણે વાહન ધીમે ચલાવું પડે છે. અડધો કલાકના રસ્તાનું અંતર કાપતા કલાક થઈ જાય છે. જેથી પેટ્રોલનો વપરાશ પણ વધારે થાય છે. એક તરફ આટલી મોંઘવારી અને બીજી તરફ ખાડાને કારણે વધતો વાહનનો ખર્ચ.

 

શું આવું છે ગુજરાત મોડલ?

Gujarat Sthapana Divas, Gujarat Day, or Gujarat Formation Day - Everything  You Need to Know

અંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને વિકાસ મોડલ તરીકે ફેમસ કરવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક સ્થળોની તો જાળવણી થાય છે. જેની સીધી અસર સામાન્ય પ્રજાને થવાની નથી. પરંતુ સામાન્ય જનતાને રસ્તાઓથી સીધી જ અસર પડવાની છે. સરકાર ગુજરાતનો વિકાસ બતાવે છે પણ વાસ્તવિક્તામાં ખાડાઓનો પ્રતિદિન વિકાસ થઈ રહ્યો હોય તેવું લાગે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.