ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભગવંત માનને આપી મોતની ધમકી, 26 જાન્યુઆરીએ નિજ્જરની હત્યાનો બદલો લેશે


  • Published By :
  • Published Date : 2024-01-16 15:48:12

પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટીસ (SFJ)ના સ્થાપક  અને અમેરિકામાં રહેતા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પ્રજાસત્તાક દિવસ અગાઉ ભારતીય નેતાઓને મોતની ધમકી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના ટોચના પોલીસ અધિકારી ગૌરવ યાદવે ગેંગસ્ટરો સામે રાજ્ય પોલીસની ઝીરો ટોલરન્સની નિતી પર ભાર મુકતા આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કહીં છે. 


હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો


સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં પન્નૂ એક ખાલિસ્તાની નકશા સાથે ઉભો છે. તેમાં 26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડના પહેલા હુમલાની વાત લખી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવાનો છે. પન્નૂએ કહ્યું છે કે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરોને કહ્યું છે, ભગવંત માનની પુત્રી સીરત કૌરને પણ ગત વર્ષે માર્ચમાં ધમકી આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતી સીરત કૌરને ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની શોધ દરમિયા ધમકીઓ મળી હતી. ઉલ્લેખનિય છે કે  હરદીપ સિંહ નિજ્જરની હત્યા ગત વર્ષે 18 જૂનના રોજ કરી દેવામાં આવી હતી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.