ખાલિસ્તાની આતંકી પન્નૂએ ભગવંત માનને આપી મોતની ધમકી, 26 જાન્યુઆરીએ નિજ્જરની હત્યાનો બદલો લેશે


  • Published By :
  • Published Date : 2024-01-16 15:48:12

પ્રતિબંધિત સંગઠન સિખ ફોર જસ્ટીસ (SFJ)ના સ્થાપક  અને અમેરિકામાં રહેતા આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ પ્રજાસત્તાક દિવસ અગાઉ ભારતીય નેતાઓને મોતની ધમકી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પંજાબના ટોચના પોલીસ અધિકારી ગૌરવ યાદવે ગેંગસ્ટરો સામે રાજ્ય પોલીસની ઝીરો ટોલરન્સની નિતી પર ભાર મુકતા આવા કોઈ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની વાત કહીં છે. 


હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો બદલો


સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં પન્નૂ એક ખાલિસ્તાની નકશા સાથે ઉભો છે. તેમાં 26 જાન્યુઆરીના રોજ યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડના પહેલા હુમલાની વાત લખી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની મોતનો બદલો લેવાનો છે. પન્નૂએ કહ્યું છે કે તેમણે ભારતના પ્રજાસત્તાક દિવસ દરમિયાન માન પર હુમલો કરવા માટે ગેંગસ્ટરોને કહ્યું છે, ભગવંત માનની પુત્રી સીરત કૌરને પણ ગત વર્ષે માર્ચમાં ધમકી આપવામાં આવી હતી. અમેરિકામાં રહેતી સીરત કૌરને ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની શોધ દરમિયા ધમકીઓ મળી હતી. ઉલ્લેખનિય છે કે  હરદીપ સિંહ નિજ્જરની હત્યા ગત વર્ષે 18 જૂનના રોજ કરી દેવામાં આવી હતી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.