ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, આ ખરીફ પાકોની થશે ટેકાના ભાવે ખરીદી, શું છે ભાવ જાણો


  • Published By :
  • Published Date : 2023-09-24 16:12:38

રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર  ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ  કૃષિ મંત્રીએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં આગામી તા. 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 6364 કરોડના કિંમતની 9.98 લાખ મે. ટન મગફળી તેમજ રૂ. 420 કરોડની 91,343 મે. ટન સોયાબીનની ખરીદી કરશે.


આવતી કાલથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી શરૂ


કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં 21મી ઑક્ટોબરથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. અને 25 સપ્ટેમ્બરથી 16 ઑક્ટોબર સુધી ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. 21મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવામાં આવશે.


આ ટેકાના ભાવે થશે ખરીદી


રાજ્ય સરકારે કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. 6364.24 કરોડ મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. 420 કરોડ મૂલ્યના91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન કર્યું છે.


ભારત સરકારે શું ટેકાના ભાવ જાહેર કર્યા?


અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 6377 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8558 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 6950/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. 4600 પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી