ખેડા: કિડની કૌભાંડની આખી સ્ટોરી વાંચી તમને થશે જુગારીએ પોલીસને ગજબ રીતે છેતર્યા, જાણો કેવી રીતે જુગારી પોતાની જ જાળમાં ફસાયો


  • Published By :
  • Published Date : 2023-09-21 09:25:19

આપણે અનેક વખત કૌભાંડોની વાતો સાંભળતા હોઈએ છીએ. અલગ અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અવાર નવાર નવીન પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. ત્યારે ખેડાથી કિડની કૌભાંડ સામે આવ્યું છે. અલગ અલગ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં કિડની કૌભાંડને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 


જુગારની એટલી બધી લત હતી કે કિડની વેચવા પણ તે રાજી થઈ ગયો 

ખેડા જિલ્લાના ભુમસ ગામની અચાનક ચર્ચા થવા લાગી એક અરજીને કારણે. જેમાં કિડની કઢાવવાની વાતો હતી, એ અરજી કરનાર હતા ગોપાલ પરમાર. તેમને હતી જુગારની લત, લત એવી કે હારી જતા તો પણ જુગાર રમવાનું ન છોડતા. જુગારમાં પહેલા માતા-પત્નીના ઘરેણાં વેચ્યા, પછી જેનાથી કમાતો એ રીક્ષા વેચી અને પછી જેમાં રહેતો એ ઘર વેચ્યું, અને કીડની વેચવા પણ રાજી થઇ ગયો- એ પહેલા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું, જેમાં તેને ખેતીની જમીન ગીરવે લેવી હતી પણ તેની પાસે જ પૂરતા પૈસા નહતા. એટલે તેને 20 હજાર વ્યાજે અશોક પરમારે આપ્યા, પણ ચૂકવી ન શકતા તેણે અશોક પરમારનો સંપર્ક કરી પોતાની કિડની વેંચવાનું કહ્યું. 


કિડની ખરીદનારની શોધમાં પહોંચ્યા પશ્ચિમ બંગાળ 

કિડની વહેંચવાની વાત આવતા અશોકે ના પાડી. પછી તેને થોડા રૂપિયાની લાલચ આપવામાં આવી. કિડની વેચવા માટે સંપર્ક શોધવા કહ્યું, કિડની ખરીદનારની શોધમાં બને ગયા પશ્ચિમ બંગાળ. ત્યાં કિડની ખરીદનાર મળ્યો એક મહિનો તેના ખર્ચે રહ્યા અને પછી તક મળતા 1 લાખ રૂપિયા પહેલા ટ્રાન્સફર કરાવડાવ્યા અને પછી આવી ગયા ખેડા, અને બંગાળના પેલા ઠગ  હજી શોધી રહ્યા છે, 


આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

1 લાખ રૂપિયા લઇ ભાગી આવ્યા, ગોપાલે 60,000 પોતાની પાસે રાખ્યા, અશોકને 40,000 આપ્યા તો પછી ગોપાલ કેમ પોલીસ પાસે ગયો? પોલીસને આ અંગેની જાણ કરી. આ બાદ પોલીસે તપાસ કરી અને આખો મામલો અત્યાર પૂરતો કાબુમાં છે, પ.બંગાળના એ લોકો જેણે કિડની ખરીદવાની વાત કરી તેની પણ શોધ ચાલુ છે, સાથે જ ગોપાલ-અશોક બંને સામે પગલાં લેવાશે, પણ એ છે એક જુગારીએ બદલો લેવા આખા ગામની પોલીસને દોડતી કરી દીધી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.