ખેડા: કિડની કૌભાંડની આખી સ્ટોરી વાંચી તમને થશે જુગારીએ પોલીસને ગજબ રીતે છેતર્યા, જાણો કેવી રીતે જુગારી પોતાની જ જાળમાં ફસાયો


  • Published By :
  • Published Date : 2023-09-21 09:25:19

આપણે અનેક વખત કૌભાંડોની વાતો સાંભળતા હોઈએ છીએ. અલગ અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અવાર નવાર નવીન પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. ત્યારે ખેડાથી કિડની કૌભાંડ સામે આવ્યું છે. અલગ અલગ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં કિડની કૌભાંડને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 


જુગારની એટલી બધી લત હતી કે કિડની વેચવા પણ તે રાજી થઈ ગયો 

ખેડા જિલ્લાના ભુમસ ગામની અચાનક ચર્ચા થવા લાગી એક અરજીને કારણે. જેમાં કિડની કઢાવવાની વાતો હતી, એ અરજી કરનાર હતા ગોપાલ પરમાર. તેમને હતી જુગારની લત, લત એવી કે હારી જતા તો પણ જુગાર રમવાનું ન છોડતા. જુગારમાં પહેલા માતા-પત્નીના ઘરેણાં વેચ્યા, પછી જેનાથી કમાતો એ રીક્ષા વેચી અને પછી જેમાં રહેતો એ ઘર વેચ્યું, અને કીડની વેચવા પણ રાજી થઇ ગયો- એ પહેલા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું, જેમાં તેને ખેતીની જમીન ગીરવે લેવી હતી પણ તેની પાસે જ પૂરતા પૈસા નહતા. એટલે તેને 20 હજાર વ્યાજે અશોક પરમારે આપ્યા, પણ ચૂકવી ન શકતા તેણે અશોક પરમારનો સંપર્ક કરી પોતાની કિડની વેંચવાનું કહ્યું. 


કિડની ખરીદનારની શોધમાં પહોંચ્યા પશ્ચિમ બંગાળ 

કિડની વહેંચવાની વાત આવતા અશોકે ના પાડી. પછી તેને થોડા રૂપિયાની લાલચ આપવામાં આવી. કિડની વેચવા માટે સંપર્ક શોધવા કહ્યું, કિડની ખરીદનારની શોધમાં બને ગયા પશ્ચિમ બંગાળ. ત્યાં કિડની ખરીદનાર મળ્યો એક મહિનો તેના ખર્ચે રહ્યા અને પછી તક મળતા 1 લાખ રૂપિયા પહેલા ટ્રાન્સફર કરાવડાવ્યા અને પછી આવી ગયા ખેડા, અને બંગાળના પેલા ઠગ  હજી શોધી રહ્યા છે, 


આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

1 લાખ રૂપિયા લઇ ભાગી આવ્યા, ગોપાલે 60,000 પોતાની પાસે રાખ્યા, અશોકને 40,000 આપ્યા તો પછી ગોપાલ કેમ પોલીસ પાસે ગયો? પોલીસને આ અંગેની જાણ કરી. આ બાદ પોલીસે તપાસ કરી અને આખો મામલો અત્યાર પૂરતો કાબુમાં છે, પ.બંગાળના એ લોકો જેણે કિડની ખરીદવાની વાત કરી તેની પણ શોધ ચાલુ છે, સાથે જ ગોપાલ-અશોક બંને સામે પગલાં લેવાશે, પણ એ છે એક જુગારીએ બદલો લેવા આખા ગામની પોલીસને દોડતી કરી દીધી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.