ખેડા: કિડની કૌભાંડની આખી સ્ટોરી વાંચી તમને થશે જુગારીએ પોલીસને ગજબ રીતે છેતર્યા, જાણો કેવી રીતે જુગારી પોતાની જ જાળમાં ફસાયો


  • Published By :
  • Published Date : 2023-09-21 09:25:19

આપણે અનેક વખત કૌભાંડોની વાતો સાંભળતા હોઈએ છીએ. અલગ અલગ રીતે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. અવાર નવાર નવીન પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. ત્યારે ખેડાથી કિડની કૌભાંડ સામે આવ્યું છે. અલગ અલગ કૌભાંડો આચરવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યભરમાં કિડની કૌભાંડને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. 


જુગારની એટલી બધી લત હતી કે કિડની વેચવા પણ તે રાજી થઈ ગયો 

ખેડા જિલ્લાના ભુમસ ગામની અચાનક ચર્ચા થવા લાગી એક અરજીને કારણે. જેમાં કિડની કઢાવવાની વાતો હતી, એ અરજી કરનાર હતા ગોપાલ પરમાર. તેમને હતી જુગારની લત, લત એવી કે હારી જતા તો પણ જુગાર રમવાનું ન છોડતા. જુગારમાં પહેલા માતા-પત્નીના ઘરેણાં વેચ્યા, પછી જેનાથી કમાતો એ રીક્ષા વેચી અને પછી જેમાં રહેતો એ ઘર વેચ્યું, અને કીડની વેચવા પણ રાજી થઇ ગયો- એ પહેલા વ્યાજે રૂપિયા લેવાનું શરૂ કર્યું, જેમાં તેને ખેતીની જમીન ગીરવે લેવી હતી પણ તેની પાસે જ પૂરતા પૈસા નહતા. એટલે તેને 20 હજાર વ્યાજે અશોક પરમારે આપ્યા, પણ ચૂકવી ન શકતા તેણે અશોક પરમારનો સંપર્ક કરી પોતાની કિડની વેંચવાનું કહ્યું. 


કિડની ખરીદનારની શોધમાં પહોંચ્યા પશ્ચિમ બંગાળ 

કિડની વહેંચવાની વાત આવતા અશોકે ના પાડી. પછી તેને થોડા રૂપિયાની લાલચ આપવામાં આવી. કિડની વેચવા માટે સંપર્ક શોધવા કહ્યું, કિડની ખરીદનારની શોધમાં બને ગયા પશ્ચિમ બંગાળ. ત્યાં કિડની ખરીદનાર મળ્યો એક મહિનો તેના ખર્ચે રહ્યા અને પછી તક મળતા 1 લાખ રૂપિયા પહેલા ટ્રાન્સફર કરાવડાવ્યા અને પછી આવી ગયા ખેડા, અને બંગાળના પેલા ઠગ  હજી શોધી રહ્યા છે, 


આ અંગે પોલીસ કરી રહી છે તપાસ 

1 લાખ રૂપિયા લઇ ભાગી આવ્યા, ગોપાલે 60,000 પોતાની પાસે રાખ્યા, અશોકને 40,000 આપ્યા તો પછી ગોપાલ કેમ પોલીસ પાસે ગયો? પોલીસને આ અંગેની જાણ કરી. આ બાદ પોલીસે તપાસ કરી અને આખો મામલો અત્યાર પૂરતો કાબુમાં છે, પ.બંગાળના એ લોકો જેણે કિડની ખરીદવાની વાત કરી તેની પણ શોધ ચાલુ છે, સાથે જ ગોપાલ-અશોક બંને સામે પગલાં લેવાશે, પણ એ છે એક જુગારીએ બદલો લેવા આખા ગામની પોલીસને દોડતી કરી દીધી છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.