જામનગરમાં ખીમજીભાઇએ 104 વર્ષની વયે લીધી ચીરવિદાય, અંતિમ યાત્રામાં ભજન-કીર્તનની જમાવટ જોવા મળી


  • Published By :
  • Published Date : 2023-04-03 17:31:43

આપણા ઘરમાં કોઈ વડીલનું અવસાન થાય ત્યારે પરિવારજનો વિલાપ કરે તે સ્વાભાવિક છે. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની તેમની અંતિમ વિદાયને શોકનો નહીં પણ ઉત્સવનો પ્રસંગ બનાવવા માંગતા હોય છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મનજીભાઈ મુંગરા પણ આવા જ નોખી માટીના માણસ હતા. ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું 104 વર્ષની ઉંમરે નિધન થતા પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી. 


104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ


ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાએ 104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ લીધો હતો. તેમને 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમણે હોસ્પિટલ કે દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.પરિવારજનોના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લઈ ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. ખીમજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 


અંતિમ યાત્રામાં કીર્તન ભજનની રમઝટ 


ખીમજીભાઈની અંતિમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની રમઝટ જોવા મળી હતી. આ ઉપરાંત અબીલ-ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં કોઈ પણ જાતના શોક વગર ખીમજીભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવાની ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.