જામનગરમાં ખીમજીભાઇએ 104 વર્ષની વયે લીધી ચીરવિદાય, અંતિમ યાત્રામાં ભજન-કીર્તનની જમાવટ જોવા મળી


  • Published By :
  • Published Date : 2023-04-03 17:31:43

આપણા ઘરમાં કોઈ વડીલનું અવસાન થાય ત્યારે પરિવારજનો વિલાપ કરે તે સ્વાભાવિક છે. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની તેમની અંતિમ વિદાયને શોકનો નહીં પણ ઉત્સવનો પ્રસંગ બનાવવા માંગતા હોય છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મનજીભાઈ મુંગરા પણ આવા જ નોખી માટીના માણસ હતા. ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું 104 વર્ષની ઉંમરે નિધન થતા પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી. 


104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ


ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાએ 104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ લીધો હતો. તેમને 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમણે હોસ્પિટલ કે દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.પરિવારજનોના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લઈ ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. ખીમજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 


અંતિમ યાત્રામાં કીર્તન ભજનની રમઝટ 


ખીમજીભાઈની અંતિમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની રમઝટ જોવા મળી હતી. આ ઉપરાંત અબીલ-ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં કોઈ પણ જાતના શોક વગર ખીમજીભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવાની ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.