જામનગરમાં ખીમજીભાઇએ 104 વર્ષની વયે લીધી ચીરવિદાય, અંતિમ યાત્રામાં ભજન-કીર્તનની જમાવટ જોવા મળી


  • Published By :
  • Published Date : 2023-04-03 17:31:43

આપણા ઘરમાં કોઈ વડીલનું અવસાન થાય ત્યારે પરિવારજનો વિલાપ કરે તે સ્વાભાવિક છે. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની તેમની અંતિમ વિદાયને શોકનો નહીં પણ ઉત્સવનો પ્રસંગ બનાવવા માંગતા હોય છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મનજીભાઈ મુંગરા પણ આવા જ નોખી માટીના માણસ હતા. ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું 104 વર્ષની ઉંમરે નિધન થતા પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી. 


104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ


ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાએ 104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ લીધો હતો. તેમને 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમણે હોસ્પિટલ કે દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.પરિવારજનોના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લઈ ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. ખીમજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 


અંતિમ યાત્રામાં કીર્તન ભજનની રમઝટ 


ખીમજીભાઈની અંતિમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની રમઝટ જોવા મળી હતી. આ ઉપરાંત અબીલ-ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં કોઈ પણ જાતના શોક વગર ખીમજીભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવાની ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે