જામનગરમાં ખીમજીભાઇએ 104 વર્ષની વયે લીધી ચીરવિદાય, અંતિમ યાત્રામાં ભજન-કીર્તનની જમાવટ જોવા મળી


  • Published By :
  • Published Date : 2023-04-03 17:31:43

આપણા ઘરમાં કોઈ વડીલનું અવસાન થાય ત્યારે પરિવારજનો વિલાપ કરે તે સ્વાભાવિક છે. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે જે તેમની તેમની અંતિમ વિદાયને શોકનો નહીં પણ ઉત્સવનો પ્રસંગ બનાવવા માંગતા હોય છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં રહેતા ખીમજીભાઈ મનજીભાઈ મુંગરા પણ આવા જ નોખી માટીના માણસ હતા. ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાનું 104 વર્ષની ઉંમરે નિધન થતા પરિવારજનોએ તેમની અંતિમ યાત્રા વાજતે-ગાજતે કાઢી હતી. 


104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ


ખીમજીભાઈ મનજીભાઈ મુંગરાએ 104 વર્ષની વયે લીધો અંતિમ શ્વાસ લીધો હતો. તેમને 104 વર્ષની ઉંમર હોવા છતાં પણ તેમણે હોસ્પિટલ કે દવાનો આસરો લીધો ન હોવાથી પરિવારજનોએ વાજતે ગાજતે સ્મશાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો.પરિવારજનોના આ નિર્ણયને લોકોએ પણ વધાવી લઈ ખીમજીભાઈને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી. ખીમજીભાઈની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 


અંતિમ યાત્રામાં કીર્તન ભજનની રમઝટ 


ખીમજીભાઈની અંતિમ યાત્રામાં બેન્ડવાજા અને કીર્તન ભજનની રમઝટ જોવા મળી હતી. આ ઉપરાંત અબીલ-ગુલાલની છોળો સાથે અંતિમ યાત્રા સ્મશાન ખાતે પહોંચી હતી. જ્યાં કોઈ પણ જાતના શોક વગર ખીમજીભાઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવાની ઉજળી છાપ ધરાવતા ખીમજીભાઈની અંતિમ યાત્રામાં સમાજના શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.