ખોડલધામ આસ્થાનું કેન્દ્ર કે રાજકીય અખાડો, મંદિરમાં રાજકીય ચર્ચાઓ શા માટે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:18:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ પાટિદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજના નેતાઓ સાથે બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો - લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રધ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈ પણ સામાજીક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ અને સામાજીક આગેવાનો માથું ટેક્વવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજના મતદારોને રીઝવવા માટે ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.


ચૂંટણી પહેલા કયા નેતાઓએ  લીધી ખોડલધામની મુલાકાત


ખોડલધામ ભલે ધાર્મિક યાત્રા ધામ હોય પણ તે રાજકીય મેળાવડાનું પણ કેન્દ્ર સ્થાન રહ્યું છે. ગુજરાતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ ખોડિયાર માતાના દર્શનના બહાને આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તો અહીં રજતતુલા થઈ હતી. ખોડલધામમાં સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અગ્રણી કોંગ્રેસ નેતાઓ સાથે મંદિરની મુલાકાત લીધી હતી અને સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ખોડલધામની મુલાકાત લે તેવી શક્યતા છે.


રાજકીય અખાડો બન્યું ખોડલ ધામ


ખોડલધામ લાખો પાટીદારોનું જ નહીં પણ અન્ય જાતિઓનું પણ આસ્થા કેન્દ્ર છે ત્યારે સવાલ એ થાય કે આ પવિત્ર યાત્રાધામનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે કરવો કેટલો યોગ્ય છે. શા માટે તમામ રાજકારણીઓની મિટીંગો આ યાત્રાધામમાં જ કરવામાં આવે છે. મંદિર રાજકીય ચર્ચાનું સ્થળ થોડું છે? ત્યારે મંદિરના વહીવટકર્તાઓને એક જ સવાલ પુછવાનું મન થાય કે મંદિરની તો મર્યાદા રાખો?




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે