ખોડલધામ આસ્થાનું કેન્દ્ર કે રાજકીય અખાડો, મંદિરમાં રાજકીય ચર્ચાઓ શા માટે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:18:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ પાટિદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજના નેતાઓ સાથે બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો - લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રધ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈ પણ સામાજીક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ અને સામાજીક આગેવાનો માથું ટેક્વવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજના મતદારોને રીઝવવા માટે ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.


ચૂંટણી પહેલા કયા નેતાઓએ  લીધી ખોડલધામની મુલાકાત


ખોડલધામ ભલે ધાર્મિક યાત્રા ધામ હોય પણ તે રાજકીય મેળાવડાનું પણ કેન્દ્ર સ્થાન રહ્યું છે. ગુજરાતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ ખોડિયાર માતાના દર્શનના બહાને આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તો અહીં રજતતુલા થઈ હતી. ખોડલધામમાં સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અગ્રણી કોંગ્રેસ નેતાઓ સાથે મંદિરની મુલાકાત લીધી હતી અને સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ખોડલધામની મુલાકાત લે તેવી શક્યતા છે.


રાજકીય અખાડો બન્યું ખોડલ ધામ


ખોડલધામ લાખો પાટીદારોનું જ નહીં પણ અન્ય જાતિઓનું પણ આસ્થા કેન્દ્ર છે ત્યારે સવાલ એ થાય કે આ પવિત્ર યાત્રાધામનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે કરવો કેટલો યોગ્ય છે. શા માટે તમામ રાજકારણીઓની મિટીંગો આ યાત્રાધામમાં જ કરવામાં આવે છે. મંદિર રાજકીય ચર્ચાનું સ્થળ થોડું છે? ત્યારે મંદિરના વહીવટકર્તાઓને એક જ સવાલ પુછવાનું મન થાય કે મંદિરની તો મર્યાદા રાખો?




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.