ખોડલધામ આસ્થાનું કેન્દ્ર કે રાજકીય અખાડો, મંદિરમાં રાજકીય ચર્ચાઓ શા માટે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 16:18:04

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષ પાટિદાર વોટબેંકને પોતાની તરફ આકર્ષવા પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજના નેતાઓ સાથે બંધબારણે બેઠકો કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક છે અને વિખ્યાત ધર્મસ્થળ તરીકે ઉભરી આવ્યું છે. દેશ-વિદેશના હજારો - લાખો લેઉવા પટેલ દર્શનાર્થે આવે છે. અન્ય ધર્મના લોકો પણ આસ્થા-શ્રધ્ધા ધરાવે છે અને દર્શનાર્થે આવે છે. કોઈ પણ સામાજીક કે રાજકીય કાર્યક્રમો વખતે પણ નેતાઓ અને સામાજીક આગેવાનો માથું ટેક્વવા જતા હોય છે. લેઉવા પટેલ સમાજના મતદારોને રીઝવવા માટે ચૂંટણી વખતે નેતાઓની મુલાકાતો વધી જતી હોય છે.


ચૂંટણી પહેલા કયા નેતાઓએ  લીધી ખોડલધામની મુલાકાત


ખોડલધામ ભલે ધાર્મિક યાત્રા ધામ હોય પણ તે રાજકીય મેળાવડાનું પણ કેન્દ્ર સ્થાન રહ્યું છે. ગુજરાતના તમામ રાજકીય પક્ષોના નેતાઓ ખોડિયાર માતાના દર્શનના બહાને આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તો અહીં રજતતુલા થઈ હતી. ખોડલધામમાં સી.આર. પાટીલને 105 કિલો ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મંદિરમાં પહેલીવાર કોઈ રાજકીય આગેવાનની રજતતુલા યોજાઈ હતી. તે ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ અગ્રણી કોંગ્રેસ નેતાઓ સાથે મંદિરની મુલાકાત લીધી હતી અને સમાજના અગ્રણી નરેશ પટેલ સાથે બંધબારણે ચર્ચા કરી હતી. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ખોડલધામની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31મી ઓક્ટોબરે ખોડલધામની મુલાકાત લે તેવી શક્યતા છે.


રાજકીય અખાડો બન્યું ખોડલ ધામ


ખોડલધામ લાખો પાટીદારોનું જ નહીં પણ અન્ય જાતિઓનું પણ આસ્થા કેન્દ્ર છે ત્યારે સવાલ એ થાય કે આ પવિત્ર યાત્રાધામનો ઉપયોગ રાજકીય અખાડા તરીકે કરવો કેટલો યોગ્ય છે. શા માટે તમામ રાજકારણીઓની મિટીંગો આ યાત્રાધામમાં જ કરવામાં આવે છે. મંદિર રાજકીય ચર્ચાનું સ્થળ થોડું છે? ત્યારે મંદિરના વહીવટકર્તાઓને એક જ સવાલ પુછવાનું મન થાય કે મંદિરની તો મર્યાદા રાખો?




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .