રાજકોટમાં કાતિલ ઠંડીના કારણે વિદ્યાર્થિનીના મોત બાદ સરકાર સફાળી જાગી, કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-18 17:21:37

રાજકોટમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનું કાતિલ ઠંડીના કારણે મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થી સ્કૂલની અંદર અચાનક બેભાન થઈને તે ઢળી પડી હતી બાદમાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો અને કડકડતી ઠંડીમાં શાળાઓનો સમય બદલવાની માગ ઉઠી હતી. 


રાજ્ય સરકારે શું જાહેરાત કરી?


હાંડ થીજવતી ઠંડીના કારણે વિદ્યાર્થિની રિયાને હાર્ટ એટેક આવ્યો અને તરત જ ટ્રિટમેન્ટ ન મળતા તેનું મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રાજકોટના શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી અને શાળાઓ તેમની મરજી મુજબના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને આગ્રહ ન કરે તેવી પણ ટકોર તેમણે કરી હતી.


AMC સ્કૂલ બોર્ડે કર્યો સમયમાં ફેરફાર


વધતી ઠંડીને લઈને AMC સ્કૂલ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સમયમાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધી સ્કૂલનો સમય સવારે 7.30 કલાકનો હતો ત્યારે ઠંડીને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે 8 વાગ્યે જઈ શકશે. સવારે વિદ્યાર્થીઓ 7.30 કલાકને બદલે જો 8 વાગ્યે સ્કૂલ પહોંચે તો વિદ્યાર્થીઓને શિક્ષક ઠપકો ન આપે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે.


રાજકોટની શાળાનો સમય સવારે 8 વાગ્યાનો


રાજકોટની તમામ સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા આદેશ અપાયો છે. તમામ સ્કૂલનો સમય સવારે 8 વાગ્યાનો કરવા આદેશ કરાયો છે. DEOની ટીમ આવતીકાલથી સ્કૂલના સમય ફેરફારના અમલીકરણનું ચેકિંગ કરશે. ગઈકાલે રાજકોટમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. ઠંડીમાં હાર્ટ એટેક આવવાથી વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ વાલીઓએ પણ સ્કૂલોનો સમય 8 વાગ્યાનો કરવા માગ કરી હતી. 


કચ્છની શાળાઓનો સમય બદલાયો


કચ્છની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કોલ્ડ વેવની આગાહીને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય 2 કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. આગામી એક સપ્તાહ સુધી સમયમાં ફેરફાર રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.