હિંમતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-11-15 14:53:29

ગુજરાત અને દેશભરમાં દિવાળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જો કે સાબરકાંઠાના હિંમતનગરના એક ગામમાં તહેવારના દિવસે નજીવી બાબતે એક વૃધ્ધની હત્યા થતાં આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. નવા ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા મામલે વૃધ્ધ સાથે મારામારી કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંના રામોલ વિસ્તારમાં પણ બની હતી. 


સિવિલ હૉસ્પિટલમાં મોત


સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,  ત્યારે એક વૃધ્ધે તેમને દુર જઈને ફટાકડા ફોડવાનું કહેતા મામલો વણસ્યો હતો. રાત્રીના સમયે ફટાકડા ફોડવા જેવી નજીવી થયેલી તકરાર ઉગ્ર બની હતી. ફટાકડા ફોડી રહેલા લોકો પૈકીના સાત જણાએ વૃધ્ધ સાથે ગાળાગાળી અને  મારામારી કરી હતી. પરિસ્થિતી એટલી વણસી કે તે વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે સારવાર દરમિયાન જ તે વૃધ્ધનું મોત નિપજ્યું  હતું. 


7 લોકોની ધરપકડ


વૃધ્ધના મોત બાદ મૃતકની પુત્રીએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તે સાત લોકોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે સાતેય આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતા. નવા ગામની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. 


અમદાવાદના રામોલમાં હત્યા


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. 4 વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..

ગોધરાથી એક સમાચાર સામે આવ્યા જેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે.. જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે..