હિંમતનગર અને અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે હત્યા, ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો


  • Published By :
  • Published Date : 2023-11-15 14:53:29

ગુજરાત અને દેશભરમાં દિવાળીના તહેવારની ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જો કે સાબરકાંઠાના હિંમતનગરના એક ગામમાં તહેવારના દિવસે નજીવી બાબતે એક વૃધ્ધની હત્યા થતાં આનંદનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. નવા ગામમાં સાત લોકોએ ફટાકડા ફોડવા મામલે વૃધ્ધ સાથે મારામારી કરતા વૃધ્ધનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ જ પ્રકારની ઘટના અમદાવાદમાંના રામોલ વિસ્તારમાં પણ બની હતી. 


સિવિલ હૉસ્પિટલમાં મોત


સાબરકાંઠાના હિંમતનગરના નવા ગામમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા,  ત્યારે એક વૃધ્ધે તેમને દુર જઈને ફટાકડા ફોડવાનું કહેતા મામલો વણસ્યો હતો. રાત્રીના સમયે ફટાકડા ફોડવા જેવી નજીવી થયેલી તકરાર ઉગ્ર બની હતી. ફટાકડા ફોડી રહેલા લોકો પૈકીના સાત જણાએ વૃધ્ધ સાથે ગાળાગાળી અને  મારામારી કરી હતી. પરિસ્થિતી એટલી વણસી કે તે વૃધ્ધ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે સારવાર દરમિયાન જ તે વૃધ્ધનું મોત નિપજ્યું  હતું. 


7 લોકોની ધરપકડ


વૃધ્ધના મોત બાદ મૃતકની પુત્રીએ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની દીકરીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તે સાત લોકોની ધરપકડ કરી કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે સાતેય આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યાં હતા. નવા ગામની આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. 


અમદાવાદના રામોલમાં હત્યા


અમદાવાદમાં ફટાકડા ફોડવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરના રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પિતા પુત્રનું મોત થયું હતું. 4 વ્યક્તિઓએ છરી વડે પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પિતા વિજય શંકર અને પુત્ર બંસીલાલનું મોત થયું હતું. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.