કિંગ ઓફ સાળંગપુરની 54 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું, દાદાને દર્શને માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 22:57:16

સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજન દેવ મંદિર પરીસરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ લાખ્ખો શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ સહિત અન્ય સંતો દ્વારા હનુમાન દાદાની પંચધાતુની આ પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  54 ફુટ ઉંચી દાદાની મૂર્તિના શ્રદ્ધાળુંઓએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. સાત કિમી દુરથી આ વિશાળકાય મૂર્તિના દર્શન થઈ શકશે. હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ ભાગને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું.


વિવિઘ કાર્યક્રમોનું આયોજન


હનુમાનની મૂર્તિના અનાવરણ બાદ સાળંગપુર ધામનો મહિમા દર્શાવતો ભવ્ય શો યોજાયો હતો. તેમજ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા જોરદાર દૃશ્યો પ્રસ્તુત થયાં હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓની ઉપસ્થિતિમાં 13 મિનિટના શોમાં સાળંગપુરની સમગ્ર કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી. અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવીએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. 


દાદાની મૂર્તિની આ છે વિશેષતા


-72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 25 ઉંચા બેઝ પર દાદાની મૂર્તિ વિરાજિત કરાઈ છે. -આ બેઝ તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

-50 હજાર ઘનફૂટ સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘન ફૂટ લાઇમ કોંક્રિટથી -ફાઉન્ડેશન બનાવ્યું છે અને 4 હજાર ઘનફૂટ વ્હાઇટ માર્બલથી બેઝ પર લગાવાયો છે. -આ વ્હાઇટ માર્બલ મકરાણાથી મંગાવાયા હતા.

-બેઝની વૉલ પર નાગરાદિ શૈલીનું કોતરણીકામ કરાયું છે. બેઝની ફરતે દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે. આ બૅઝ 200-300 વર્ષ સુધી અડીખમ રહેશે.

-મૂર્તિના બેઝની ફરતે કુલ 36 દેરી બનાવાઇ છે. આ દેરીની સાઇઝ 15.6 x15.6 ફૂટ છે અને દેરીના ધુમટની સાઇઝ 9.6 x 8.3 ફૂટ છે.

-36 દેરીમાં કુલ ચાર-ચાર સ્તંભ છે. એક દેરીમાં 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો. દેરી માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવાયો છે.

-મૂર્તિની સામે 64,634.22 સ્ક્વેર ફીટમાં ગાર્ડન બનાવાયો છે.

-હનુમાનજી મહારાજનું મુખારવિંદ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે જ્યારે દાદાનો મુગટ 7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો છે. 

- દાદાની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે અને હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ  પહોળા છે જ્યારે પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. પગનાં         કડાં 1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં છે

-હનુમાનજી મહારાજના આભૂષણ 24 ફૂટ લાંબા 10 ફૂટ પહોળા છે.

-'કિંગ ઓફ સાળંગપુર' 7 કિમી દૂરથી દેખાશે 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે