મહાઠગ કિરણ પટેલની કરમ કુંડળી પાછળ ખરેખર જવાબદાર કોણ, તેને Z+ સુરક્ષા શા માટે, સરકાર ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-18 22:14:38

દેશભરમાં મહાઠગ  કિરણ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. સામાન્ય માણસથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને મીડિયા અને સોસિયલ મીડિયોમાં કિરણ પટેલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કેટલાક લોકો કિરણ પટેલના નામે મજાક ચલાવી રહ્યા છે, પણ ખરેખર આ મજાકની બાબત છે ખરી? કિરણ પટેલ પોતાની જાતને PMOનો એડિશનલ ડાયરેક્ટર બતાવીને રોફ જમાવતો હતો. કાશ્મિરમાં  સેનાના કાફલા સાથે અત્યંત બુલેટપ્રુફ વાહનોના કાફલા સાથે સંવેદનશીલ ઉરી સેક્ટર સુધી પહોંચી ચુકેલા આ શખ્સને હળવાશથી કેવી રીતે લઈ શકાય?  


મોટા માથાઓ સાથે ઓળખાણ


કિરણ પટેલ ગુજરાતના પત્રકારો, બ્યુરેક્રેટ્સ, રાજકારણીઓ, પ્રદિપસિંહ જાડેજા, સંજય જોશીનો ખાસ હતો. કિરણ પટેલની વાકછટા તો એવી છે કે ભલભલા ગોથા ખાઈ જાય, કિરણ પટેલની વાકછટામાં ગુજરાતના અનેક મોટા નેતાઓ, અધિકારીઓ, પોલીસ ઓફિસર્સ અને સેલિબ્રિટીઓ પણ ફસાયાનું જાણવા મળે છે. તે ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ પર જબરદસ્ત પકડ ધરાવતો હતો. તેના સિંધુ ભવન સ્થિત જગદીશપુરમ સ્થિત ઘરમાં યોજાયેલી હાઉસ વોર્મિંગ પાર્ટીમાં રાજકારણીઓ, અધિકારીઓ અને સિનિયર જર્નાલિસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો તેની સાથે સંબંધ હોવાનો ગર્વ અનુભવતા હતા. વર્ષોથી ઠગાઈ આચરતા આ શખ્સ પર કોઈને શંકા પણ કેમ ન ગઈ તે પણ ચર્ચાનો વિષય છે. હદ તો ત્યાં થઈ ગઈ કે તેને સરકારે ઝેડ પ્લસ સુરક્ષા મળી ગઈ. 


ભાજપના નેતાઓ સાથે શું સંબંધ?


કિરણ પટેલ લોકોને પ્રભાવિત કરવા માટે તેની વાકછટા ઉપરાંત ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાનું જણાવતો હતો. તેના ટ્વિટર હેન્ડલ પર PM મોદી,અમિત શાહ, પૂર્વ સીએમ આનંદી બહેન પટેલ, જેપી નડ્ડા સાથેના ફોટા છે. હવે સવાલ એ છે કે મહાઠગ કિરણ પટેલને ભાજપની આ ટોચની નેતાગીરી સાથે શું સંબંધ છે. હાઈ સિક્યુરીટી વચ્ચે રહેતા ભાજપના શિર્ષ નેતાઓ કોઈ જ સંબંધ વગર અજાણ્યા માણસ સાથે શું આટલી સરળતાથી અને હસતા મુખે ફોટા પડાવી શકે?


ઝેડ પ્લસ સુરક્ષા કેવી રીતે મળી?


કિરણ પટેલના કેસમાં સૌથી મોટો વિવાદાસ્પદ મુદ્દો એ છે કે છે કે તેને Z+ સુરક્ષા કેવી રીતે મળી? મોટા નેતાઓને પણ Z+ સુરક્ષા મળવી મુશ્કેલ છે ત્યારે આ વ્યક્તિને કેવી રીતે આટલી મહત્વની સુરક્ષા મળી શકી. સરકારે કોઈ પણ પ્રકારની તપાસ વગર કિરણ પટેલને ઝેડ-પ્લસ સુરક્ષા કેવી રીતે મળી. જામરવાળી અને બુલેટ પ્રૂફ ગાડીઓના કાફલા સાથે હાઈ સિક્યુરીટી વચ્ચે જમ્મુ અને કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. તેણે IAS અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરમાં Z+ સિક્યોરિટી મેળવી લીધી હતી. PMOના એડિશનલ ડિરેક્ટર હોવાનું કહીને છેલ્લાં 6 મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ધામા નાખી હાઈફાઈ ફેસિલિટીનો લાભ ઉઠાવતો હતો. 


પોતાના બળે G-20નું આયોજન 


કિરણ પટેલે પોતાના બળે G20 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જે માટે તેણે હયાત હોટેલમાં આખી મિટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. વળી આ G20 ઇવેન્ટમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘ તથા નિવૃત અધિકારી  IAS ઓફિસર એસ કે નંદા ઉપસ્થિત રહ્યા હતા. શું આ અધિકારીઓ પણ આ મહાઠગની વાતોમાં આવી ગયા કે પછી તેમના પર ઉપસ્થિત રહેવા માટેનું દબાણ હતું.?


કિરણ પટેલ સામે હળવી કલમો શા માટે?


મહાઠગ કિરણ પટેલે જ પ્રકારે ગુનો આચર્યો છે. સમગ્ર તંત્રની આંખમાં ધુળ નાખીને કાશ્મિરમાં છ-છ મહિના સુધી સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે છે. સુરક્ષાની દ્રષ્ટીએ કાશ્મિરના મહત્વના ઉરી સેક્ટરમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ફરતા અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં અનેક લોકોને ઠગી ચુકેલા આ શખ્સ સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં આઈપીસીની કલમ, 419, 420, 467,468, 471નો સમાવેશ થાય છે. શું તેનો આ ગુનો કોઈ સામાન્ય પોકિટમાર જેવો છે. કેમ અત્યાર સુધી સીબીઆઈ, એનઆઈએ કે એટીએસએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. 

 


જગદીશપુરમ બંગલાનો માલિક કોણ?


મહાઠગ કિરણ પટેલ પહેલા અમદાવાદના સિંધુ ભવન સ્થિત જગદિશપુરમ બંગલામાં રહેતો હતો. તેણે આ મકાનનું રંગરોગાન કરાવીને ત્યાર બાદ તે તેમાં રહેવા ગયો હતો. આ મકાન ભાજપના કોઈ નેતાના ભાઈનું હોવાનું  કહેવાય છે. બાદમાં તેમણે આ મકાન ખાલી કરાવી દીધું હતું. હવે સવાલ એ છે કે આટલો સરસ બંગલો રહેવા માટે આપ્યું તે ભાજપના નેતા કોણ છે? શું તે પણ આ ઠગની વાતોમાં આવીને ભોળવાઈ ગયા હતા? 



ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."