મહાઠગ કિરણ પટેલની કરમ કુંડળી પાછળ ખરેખર જવાબદાર કોણ, તેને Z+ સુરક્ષા શા માટે, સરકાર ચૂપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-03-18 22:14:38

દેશભરમાં મહાઠગ  કિરણ પટેલના નામની ચર્ચા થઈ રહી છે. સામાન્ય માણસથી લઈને ઉચ્ચ અધિકારીઓ અને મીડિયા અને સોસિયલ મીડિયોમાં કિરણ પટેલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કેટલાક લોકો કિરણ પટેલના નામે મજાક ચલાવી રહ્યા છે, પણ ખરેખર આ મજાકની બાબત છે ખરી? કિરણ પટેલ પોતાની જાતને PMOનો એડિશનલ ડાયરેક્ટર બતાવીને રોફ જમાવતો હતો. કાશ્મિરમાં  સેનાના કાફલા સાથે અત્યંત બુલેટપ્રુફ વાહનોના કાફલા સાથે સંવેદનશીલ ઉરી સેક્ટર સુધી પહોંચી ચુકેલા આ શખ્સને હળવાશથી કેવી રીતે લઈ શકાય?  


મોટા માથાઓ સાથે ઓળખાણ


કિરણ પટેલ ગુજરાતના પત્રકારો, બ્યુરેક્રેટ્સ, રાજકારણીઓ, પ્રદિપસિંહ જાડેજા, સંજય જોશીનો ખાસ હતો. કિરણ પટેલની વાકછટા તો એવી છે કે ભલભલા ગોથા ખાઈ જાય, કિરણ પટેલની વાકછટામાં ગુજરાતના અનેક મોટા નેતાઓ, અધિકારીઓ, પોલીસ ઓફિસર્સ અને સેલિબ્રિટીઓ પણ ફસાયાનું જાણવા મળે છે. તે ગુજરાત સરકારના મંત્રીઓ, અધિકારીઓ પર જબરદસ્ત પકડ ધરાવતો હતો. તેના સિંધુ ભવન સ્થિત જગદીશપુરમ સ્થિત ઘરમાં યોજાયેલી હાઉસ વોર્મિંગ પાર્ટીમાં રાજકારણીઓ, અધિકારીઓ અને સિનિયર જર્નાલિસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકો તેની સાથે સંબંધ હોવાનો ગર્વ અનુભવતા હતા. વર્ષોથી ઠગાઈ આચરતા આ શખ્સ પર કોઈને શંકા પણ કેમ ન ગઈ તે પણ ચર્ચાનો વિષય છે. હદ તો ત્યાં થઈ ગઈ કે તેને સરકારે ઝેડ પ્લસ સુરક્ષા મળી ગઈ. 


ભાજપના નેતાઓ સાથે શું સંબંધ?


કિરણ પટેલ લોકોને પ્રભાવિત કરવા માટે તેની વાકછટા ઉપરાંત ભાજપના નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાનું જણાવતો હતો. તેના ટ્વિટર હેન્ડલ પર PM મોદી,અમિત શાહ, પૂર્વ સીએમ આનંદી બહેન પટેલ, જેપી નડ્ડા સાથેના ફોટા છે. હવે સવાલ એ છે કે મહાઠગ કિરણ પટેલને ભાજપની આ ટોચની નેતાગીરી સાથે શું સંબંધ છે. હાઈ સિક્યુરીટી વચ્ચે રહેતા ભાજપના શિર્ષ નેતાઓ કોઈ જ સંબંધ વગર અજાણ્યા માણસ સાથે શું આટલી સરળતાથી અને હસતા મુખે ફોટા પડાવી શકે?


ઝેડ પ્લસ સુરક્ષા કેવી રીતે મળી?


કિરણ પટેલના કેસમાં સૌથી મોટો વિવાદાસ્પદ મુદ્દો એ છે કે છે કે તેને Z+ સુરક્ષા કેવી રીતે મળી? મોટા નેતાઓને પણ Z+ સુરક્ષા મળવી મુશ્કેલ છે ત્યારે આ વ્યક્તિને કેવી રીતે આટલી મહત્વની સુરક્ષા મળી શકી. સરકારે કોઈ પણ પ્રકારની તપાસ વગર કિરણ પટેલને ઝેડ-પ્લસ સુરક્ષા કેવી રીતે મળી. જામરવાળી અને બુલેટ પ્રૂફ ગાડીઓના કાફલા સાથે હાઈ સિક્યુરીટી વચ્ચે જમ્મુ અને કાશ્મિરના અનેક સંવેદનશીલ વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. તેણે IAS અધિકારી તરીકેની ઓળખ આપી જમ્મુ-કાશ્મીરમાં Z+ સિક્યોરિટી મેળવી લીધી હતી. PMOના એડિશનલ ડિરેક્ટર હોવાનું કહીને છેલ્લાં 6 મહિનાથી જમ્મુ-કાશ્મીરમાં ધામા નાખી હાઈફાઈ ફેસિલિટીનો લાભ ઉઠાવતો હતો. 


પોતાના બળે G-20નું આયોજન 


કિરણ પટેલે પોતાના બળે G20 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. જે માટે તેણે હયાત હોટેલમાં આખી મિટિંગ કરી હતી. આ મીટિંગમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. વળી આ G20 ઇવેન્ટમાં મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંઘ તથા નિવૃત અધિકારી  IAS ઓફિસર એસ કે નંદા ઉપસ્થિત રહ્યા હતા. શું આ અધિકારીઓ પણ આ મહાઠગની વાતોમાં આવી ગયા કે પછી તેમના પર ઉપસ્થિત રહેવા માટેનું દબાણ હતું.?


કિરણ પટેલ સામે હળવી કલમો શા માટે?


મહાઠગ કિરણ પટેલે જ પ્રકારે ગુનો આચર્યો છે. સમગ્ર તંત્રની આંખમાં ધુળ નાખીને કાશ્મિરમાં છ-છ મહિના સુધી સરકારી ખર્ચે તાગડધિન્ના કર્યા છે છે. સુરક્ષાની દ્રષ્ટીએ કાશ્મિરના મહત્વના ઉરી સેક્ટરમાં ઝેડ પ્લસ સુરક્ષા સાથે ફરતા અને છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં અનેક લોકોને ઠગી ચુકેલા આ શખ્સ સામે જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં આઈપીસીની કલમ, 419, 420, 467,468, 471નો સમાવેશ થાય છે. શું તેનો આ ગુનો કોઈ સામાન્ય પોકિટમાર જેવો છે. કેમ અત્યાર સુધી સીબીઆઈ, એનઆઈએ કે એટીએસએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. 

 


જગદીશપુરમ બંગલાનો માલિક કોણ?


મહાઠગ કિરણ પટેલ પહેલા અમદાવાદના સિંધુ ભવન સ્થિત જગદિશપુરમ બંગલામાં રહેતો હતો. તેણે આ મકાનનું રંગરોગાન કરાવીને ત્યાર બાદ તે તેમાં રહેવા ગયો હતો. આ મકાન ભાજપના કોઈ નેતાના ભાઈનું હોવાનું  કહેવાય છે. બાદમાં તેમણે આ મકાન ખાલી કરાવી દીધું હતું. હવે સવાલ એ છે કે આટલો સરસ બંગલો રહેવા માટે આપ્યું તે ભાજપના નેતા કોણ છે? શું તે પણ આ ઠગની વાતોમાં આવીને ભોળવાઈ ગયા હતા? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.