કિરણ પટેલ મુદ્દે MLA શૈલેષ પરમારે સરકારનો ઉધડો લીધો, વિધાનસભામાં કર્યા આ સણસણતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-21 13:52:04

મહાઠગ કિરણ પટેલ સમગ્ર ગુજરાત અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની આંખમાં ધુળ નાંખીને કાશ્મીરમાં Z+ સુરક્ષાની મજા માણી ચુકેલો આ શખ્સ પકડાઈ તો ગયો છે પણ હજુ તેના નામનો વિવાદ શમવાનું નામ નથી લેતો. ગુજરાત વિધાનસભામાં પણ કિરણ પટેલનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે આ મામલે સરકારનો ઉધડો લીધો હતો.


કિરણ પટેલ PMOનો અધિકારી કેવી રીતે બન્યો?


વિધાનસભાના શિયાળું સત્રમાં આજે કિરણ પટેલના મુદ્દે શૈલેશ પરમારે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો  હતો. તેમણે કહ્યું, કે ગુજરાતનો કિરણ પટેલ PMOનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પણ પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે? એક સમયે સ્થિતી એવી સર્જાઈ કે ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડને સરકારનો બચાવ કરવા માટે ઉતરવું પડ્યું હતું.


કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી  


રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે અમદાવાદની ગોમતીપુર વિધાનસભા સીટના ધારાસભ્ય શૈલેશ પરમારે પરમારે સરકારને વેધક સવાલો કર્યા હતા.  તેમણે કહ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ પકડાવો, IAS-IPSની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારનું પોતાનું જ પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને IBને ખબર ન હોય?, તેમણે સરકારને ટોણો માર્યો કે ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર?


પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાયું


શૈલેશ પરમારે સરકાર પર આરોપ લગાવ્યો કે વહીવટદાર - બાતમીદાર વચ્ચે પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમને-સામને આવી ગઈ છે. વહીવટદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શકતી નથી. શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યા હતા. વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે. વહીવટદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.


ખુલ્લેઆમ દારૂનું વેચાણ


શૈલેશ પરમારે દારૂના વેચાણ અંગે કહ્યું કે મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2014 થી 2022 સુધી 14322 બળાત્કારના ગુના નોંધાયા છે. જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં 14 હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે