કિરણ પટેલ મુદ્દે MLA શૈલેષ પરમારે સરકારનો ઉધડો લીધો, વિધાનસભામાં કર્યા આ સણસણતા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-21 13:52:04

મહાઠગ કિરણ પટેલ સમગ્ર ગુજરાત અને દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારની આંખમાં ધુળ નાંખીને કાશ્મીરમાં Z+ સુરક્ષાની મજા માણી ચુકેલો આ શખ્સ પકડાઈ તો ગયો છે પણ હજુ તેના નામનો વિવાદ શમવાનું નામ નથી લેતો. ગુજરાત વિધાનસભામાં પણ કિરણ પટેલનો મુદ્દો ઉછળ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે આ મામલે સરકારનો ઉધડો લીધો હતો.


કિરણ પટેલ PMOનો અધિકારી કેવી રીતે બન્યો?


વિધાનસભાના શિયાળું સત્રમાં આજે કિરણ પટેલના મુદ્દે શૈલેશ પરમારે વિધાનસભામાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ વિભાગની માગણી પરની ચર્ચામાં ધારાસભ્ય શૈલેશ પરમારે આ મુદ્દો ઉઠાવ્યો  હતો. તેમણે કહ્યું, કે ગુજરાતનો કિરણ પટેલ PMOનો અધિકારી બની જાય અને કોઈને ખબર ન પણ પડે, કાશ્મીરમાં ફરતો રહે અને કોઈને ગુજરાતમાં ખબર ન પડે? એક સમયે સ્થિતી એવી સર્જાઈ કે ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડને સરકારનો બચાવ કરવા માટે ઉતરવું પડ્યું હતું.


કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી  


રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી અંગે અમદાવાદની ગોમતીપુર વિધાનસભા સીટના ધારાસભ્ય શૈલેશ પરમારે પરમારે સરકારને વેધક સવાલો કર્યા હતા.  તેમણે કહ્યું કે, રાજ્યમાં કરાઈ એકેડેમીમાં બોગસ પીએસઆઇ પકડાવો, IAS-IPSની જાસૂસી થવી, પેપરલીક જેવી ઘટના બનવી, સરકારનું પોતાનું જ પ્લેન 2 વર્ષ સુધી કોઈ ઉડાડે અને IBને ખબર ન હોય?, તેમણે સરકારને ટોણો માર્યો કે ગૃહ વિભાગ પણ સરકારની જેમ ડબલ એન્જિનથી ચાલે છે. ગૃહ વિભાગનું એક એન્જિન એટલે બાતમીદાર અને બીજું એન્જિન એટલે વહીવટદાર?


પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાયું


શૈલેશ પરમારે સરકાર પર આરોપ લગાવ્યો કે વહીવટદાર - બાતમીદાર વચ્ચે પોલીસતંત્ર બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. પોલીસ તંત્ર બે ભાગમાં વહેંચાઈ ગયું હોવાનો દાવો કરતાં શૈલેષ પરમારે જણાવ્યું કે, પોલીસ અને સ્કવોર્ડ આમને-સામને આવી ગઈ છે. વહીવટદારો હપ્તા ઉઘરાવાનું કામ કરે છે અને તે જ વહીવટદારોને લીધે સ્કવોર્ડ રેડ પાડી શકતી નથી. શૈલેષ પરમારે રાજ્યના પોલીસ સ્ટેશનમાં ચાલતા વહીવતદારોના રાજ પર સવાલ ઉઠવ્યા હતા. વહીવટદારોને લીધે દારૂનું વેચાણ વધી રહ્યું છે. વહીવટદારોને લીધે બુટલેગરો સામે કાર્યવાહી થતી નથી.


ખુલ્લેઆમ દારૂનું વેચાણ


શૈલેશ પરમારે દારૂના વેચાણ અંગે કહ્યું કે મારા મત વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. રાજ્ય સરકારને પત્ર લખીને જાણ કરવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે નેશનલ ફેમિલી હેલ્થના રિપોર્ટનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાજ્યમાં મહિલાઓમાં દારૂનું વ્યસન વધી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2014 થી 2022 સુધી 14322 બળાત્કારના ગુના નોંધાયા છે. જેમાં માત્ર 231 ગુનાઓ સાબિત થયા છે. રાજ્યના પોલીસ વિભાગમાં 14 હજાર જગ્યાઓ ખાલી છે જે ભરવામાં આવતી નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.