રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સીએમ સાથે સ્ટેજ પર દેખાયા, કૉંગ્રેસ છોડવાની અફવાઓ ઉડતા ખંડન પણ કર્યું.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:27:23

રાજ્યના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે, ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કીર્તિદાન ગઢવીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહ્યા હતાં. 


CM સાથે અમરીશ ડેર દેખાતા અનેક તર્કવિતર્ક


આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી. જો કે સૌથી વધુ કુતુહલ તો કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતીથી સર્જાયું હતું. અમરીશ ડેર આ કાર્યક્રમમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. આગામી સમયમાં તે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે. આમ પણ કોંગ્રેસમાંથી એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેથી અમરીશ ડેર દ્વારા પક્ષ પલટાની સંભાવના પ્રબળ બની છે.


જમાવટની સાથે ચર્ચા કર્યા બાદ અમરીશ ડેરનું નિવેદન

અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે, ભાવનગર નાગરીક સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજીત આ કાર્યક્રમ હતો. ખાલી ભાજપના નેતા નહોતા, કિર્તિદાનભાઈ અને હું નજીકના મિત્રો છીએ અને એમનું સન્માન થતું હોય તો મારે હાજર રહેવું જ જોઈએ. કાર્ડની અંદર આમંત્રીતોમાં અર્જુન મોઢવાડિયા, ભાવનગરના કે.કે.ગોહીલ સહીતના લોકોના નામ હતા. તો આમાં ભાજપ-કૉંગ્રેસનો સવાલ જ નથી. 
જો કે ચૂંટણી પહેલા કોઈપણ વિપક્ષી નેતા શાસકપક્ષના નેતાઓ સાથે દેખાય એટલે તરત જ ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે.


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.