રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર સીએમ સાથે સ્ટેજ પર દેખાયા, કૉંગ્રેસ છોડવાની અફવાઓ ઉડતા ખંડન પણ કર્યું.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 13:27:23

રાજ્યના જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે, ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કીર્તિદાન ગઢવીને એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહ્યા હતાં. 


CM સાથે અમરીશ ડેર દેખાતા અનેક તર્કવિતર્ક


આ લોક ડાયરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત મંત્રી જીતુ વાઘાણી, જીગ્નેશ કવિરાજ, માયાભાઇ આહીર, સાંઈરામ દવે અને પાર્થિવ ગોહિલ સહિતના અનેક કલાકારોએ હાજરી આપી હતી. જો કે સૌથી વધુ કુતુહલ તો કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરની ઉપસ્થિતીથી સર્જાયું હતું. અમરીશ ડેર આ કાર્યક્રમમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે. આગામી સમયમાં તે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે. આમ પણ કોંગ્રેસમાંથી એક પછી એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે તેથી અમરીશ ડેર દ્વારા પક્ષ પલટાની સંભાવના પ્રબળ બની છે.


જમાવટની સાથે ચર્ચા કર્યા બાદ અમરીશ ડેરનું નિવેદન

અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે, ભાવનગર નાગરીક સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ આયોજીત આ કાર્યક્રમ હતો. ખાલી ભાજપના નેતા નહોતા, કિર્તિદાનભાઈ અને હું નજીકના મિત્રો છીએ અને એમનું સન્માન થતું હોય તો મારે હાજર રહેવું જ જોઈએ. કાર્ડની અંદર આમંત્રીતોમાં અર્જુન મોઢવાડિયા, ભાવનગરના કે.કે.ગોહીલ સહીતના લોકોના નામ હતા. તો આમાં ભાજપ-કૉંગ્રેસનો સવાલ જ નથી. 
જો કે ચૂંટણી પહેલા કોઈપણ વિપક્ષી નેતા શાસકપક્ષના નેતાઓ સાથે દેખાય એટલે તરત જ ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે.


થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .