કડી તાલુકાના કાસવા ગામમાં યોજાયો લોક ડાયરો, કીર્તિદાન ગઢવી પર થયો ડોલરનો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-06 17:33:58

રબારી સમાજનું આસ્થાનું સ્થાન એટલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું કાસવા ગામ. હાલ કાસવા ગામમાં ઐતિહાસિક શ્રી ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાસવામાં તા. 31 માર્ચથી 6 એપ્રિલ એમ 6 દિવસ માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે 6 તારીખ સુધી દરરોજ રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના જાણીતા લોક કલાકારો તેમજ સંગીતકારો દ્વારા ભજન, કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી રહી છે. 


બુધવારની રાત્રે ડાયરાની રમઝટ


કાસવા ગામમાં બુધવાર રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકપ્રિય લોક કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતા રબારી, દેવાયત ખાવડ તથા અન્ય કલાકારોએ લોક ગીતો, ભજન અને સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં લોકોએ ભારતીય ચલણી નોટો, ડોલર સહિત ચાંદીની નોટોના બંડલ પણ ઉડાડ્યા હતા. મોજમાં આવી ગયેલા લોકો દ્વારા સાધુ સંતો તેમજ કીર્તિદાન ગઢવી ઉપર 2000ની ચાંદીની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. 


ગોગા મહારાજનું ભવ્ય મંદિર


ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતા આ ગામમાં વર્ષો જૂનું ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.