કડી તાલુકાના કાસવા ગામમાં યોજાયો લોક ડાયરો, કીર્તિદાન ગઢવી પર થયો ડોલરનો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-06 17:33:58

રબારી સમાજનું આસ્થાનું સ્થાન એટલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું કાસવા ગામ. હાલ કાસવા ગામમાં ઐતિહાસિક શ્રી ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાસવામાં તા. 31 માર્ચથી 6 એપ્રિલ એમ 6 દિવસ માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે 6 તારીખ સુધી દરરોજ રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના જાણીતા લોક કલાકારો તેમજ સંગીતકારો દ્વારા ભજન, કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી રહી છે. 


બુધવારની રાત્રે ડાયરાની રમઝટ


કાસવા ગામમાં બુધવાર રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકપ્રિય લોક કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતા રબારી, દેવાયત ખાવડ તથા અન્ય કલાકારોએ લોક ગીતો, ભજન અને સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં લોકોએ ભારતીય ચલણી નોટો, ડોલર સહિત ચાંદીની નોટોના બંડલ પણ ઉડાડ્યા હતા. મોજમાં આવી ગયેલા લોકો દ્વારા સાધુ સંતો તેમજ કીર્તિદાન ગઢવી ઉપર 2000ની ચાંદીની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. 


ગોગા મહારાજનું ભવ્ય મંદિર


ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતા આ ગામમાં વર્ષો જૂનું ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. 



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.