કડી તાલુકાના કાસવા ગામમાં યોજાયો લોક ડાયરો, કીર્તિદાન ગઢવી પર થયો ડોલરનો વરસાદ


  • Published By :
  • Published Date : 2023-04-06 17:33:58

રબારી સમાજનું આસ્થાનું સ્થાન એટલે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું કાસવા ગામ. હાલ કાસવા ગામમાં ઐતિહાસિક શ્રી ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાસવામાં તા. 31 માર્ચથી 6 એપ્રિલ એમ 6 દિવસ માટે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે 6 તારીખ સુધી દરરોજ રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના જાણીતા લોક કલાકારો તેમજ સંગીતકારો દ્વારા ભજન, કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવવામાં આવી રહી છે. 


બુધવારની રાત્રે ડાયરાની રમઝટ


કાસવા ગામમાં બુધવાર રાત્રે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં લોકપ્રિય લોક કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, ગીતા રબારી, દેવાયત ખાવડ તથા અન્ય કલાકારોએ લોક ગીતો, ભજન અને સંતવાણીની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં લોકોએ ભારતીય ચલણી નોટો, ડોલર સહિત ચાંદીની નોટોના બંડલ પણ ઉડાડ્યા હતા. મોજમાં આવી ગયેલા લોકો દ્વારા સાધુ સંતો તેમજ કીર્તિદાન ગઢવી ઉપર 2000ની ચાંદીની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો. 


ગોગા મહારાજનું ભવ્ય મંદિર


ગુજરાત તેમજ કડી તાલુકામાં પ્રખ્યાત કાશીધામ કાસવા તરીકે ઓળખાતા આ ગામમાં વર્ષો જૂનું ગોગા મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. જેનો કરોડો રૂપિયા ખર્ચ કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને છઠ્ઠા દિવસે કાશીધામ કાસવા ગામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશ-વિદેશના ભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.