પાલ આંબલીયા સહિત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા કોંગ્રેસની મુશ્કેલી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:56:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે પહેલાથી દાવોદારોની ભરમાર હતી ત્યારે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ તેમાં ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા ટિકિટ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા સહીત ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 


ગુજરાત કિસાન કોંગ્રેસના કયા નેતાઓએ માંગી ટિકિટ


ગુજરાત કિસાન કોંગ્રેસના અન્ય નેતાઓની વાત કરીએ તો પાલ આંબલીયાએ દ્વારકા બેઠક પર, કાલાવડ બેઠક પર  કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ દાવેદારી કરી છે. મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવા, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયા,  સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલા, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુક, પાલનપુર બેઠક પર ભરત કરેણ અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકિટ માંગી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.