પાલ આંબલીયા સહિત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા કોંગ્રેસની મુશ્કેલી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:56:39

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસની મુશ્કેલી વધી રહેલી જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં વિધાનસભાની ટિકિટ માટે પહેલાથી દાવોદારોની ભરમાર હતી ત્યારે હવે ગુજરાત કિસાન કોંગ્રેસના હોદ્દેદારોએ તેમાં ઝંપલાવ્યું છે. કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગતા ટિકિટ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયા સહીત ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 


ગુજરાત કિસાન કોંગ્રેસના કયા નેતાઓએ માંગી ટિકિટ


ગુજરાત કિસાન કોંગ્રેસના અન્ય નેતાઓની વાત કરીએ તો પાલ આંબલીયાએ દ્વારકા બેઠક પર, કાલાવડ બેઠક પર  કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગિરધર વાઘેલાએ દાવેદારી કરી છે. મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવા, કેશોદ બેઠક પર મનીષ નંદાણીયા,  સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલા, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુક, પાલનપુર બેઠક પર ભરત કરેણ અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકિટ માંગી છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.