શિસ્તભંગની કાર્યવાહી, કિશન સિંહ સોલંકી 6 વર્ષ માટે BJPમાંથી સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:35:43

વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં પણ બગાવતાના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શિસ્તભંગ સામે કાર્યવાહી કરતા અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિશન સિંહ સોલંકીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.


પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કાર્યવાહી


ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પક્ષ વિરોધી પ્રવૃતિ કાર્યવાહી બદલ કિશન સિંહ સોલંકી સામે આકરૂ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા આ અગાઉ તેમને શિસ્તભંગની પ્રવૃતિ અંગે ચેતવણી આપવામાં આવી હતી.


કિશનસિંહને Kensville માં થયેલી ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી દૂર કરી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો તેમનો ફોટો ખુબ વાયરલ થયો હતો.


ભાજપના પ્રવક્તાએ કાર્યવાહીને યોગ્ય ગણાવી


 કિશન સિંહ સોલંકીની ભાજપામાંથી હકાલપટ્ટી અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.