શિસ્તભંગની કાર્યવાહી, કિશન સિંહ સોલંકી 6 વર્ષ માટે BJPમાંથી સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:35:43

વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં પણ બગાવતાના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શિસ્તભંગ સામે કાર્યવાહી કરતા અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિશન સિંહ સોલંકીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.


પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કાર્યવાહી


ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પક્ષ વિરોધી પ્રવૃતિ કાર્યવાહી બદલ કિશન સિંહ સોલંકી સામે આકરૂ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા આ અગાઉ તેમને શિસ્તભંગની પ્રવૃતિ અંગે ચેતવણી આપવામાં આવી હતી.


કિશનસિંહને Kensville માં થયેલી ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી દૂર કરી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો તેમનો ફોટો ખુબ વાયરલ થયો હતો.


ભાજપના પ્રવક્તાએ કાર્યવાહીને યોગ્ય ગણાવી


 કિશન સિંહ સોલંકીની ભાજપામાંથી હકાલપટ્ટી અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .