શિસ્તભંગની કાર્યવાહી, કિશન સિંહ સોલંકી 6 વર્ષ માટે BJPમાંથી સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:35:43

વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં પણ બગાવતાના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શિસ્તભંગ સામે કાર્યવાહી કરતા અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિશન સિંહ સોલંકીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.


પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કાર્યવાહી


ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પક્ષ વિરોધી પ્રવૃતિ કાર્યવાહી બદલ કિશન સિંહ સોલંકી સામે આકરૂ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા આ અગાઉ તેમને શિસ્તભંગની પ્રવૃતિ અંગે ચેતવણી આપવામાં આવી હતી.


કિશનસિંહને Kensville માં થયેલી ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી દૂર કરી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો તેમનો ફોટો ખુબ વાયરલ થયો હતો.


ભાજપના પ્રવક્તાએ કાર્યવાહીને યોગ્ય ગણાવી


 કિશન સિંહ સોલંકીની ભાજપામાંથી હકાલપટ્ટી અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે