શિસ્તભંગની કાર્યવાહી, કિશન સિંહ સોલંકી 6 વર્ષ માટે BJPમાંથી સસ્પેન્ડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 13:35:43

વિધાન સભા ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં પણ બગાવતાના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે શિસ્તભંગ સામે કાર્યવાહી કરતા અમદાવાદ જિલ્લાના અગ્રણી નેતા કિશન સિંહ સોલંકીને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.


પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ કાર્યવાહી


ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે પક્ષ વિરોધી પ્રવૃતિ કાર્યવાહી બદલ કિશન સિંહ સોલંકી સામે આકરૂ વલણ અપનાવ્યું છે. ભાજપ દ્વારા આ અગાઉ તેમને શિસ્તભંગની પ્રવૃતિ અંગે ચેતવણી આપવામાં આવી હતી.


કિશનસિંહને Kensville માં થયેલી ચિંતન બેઠક દરમિયાન થયેલા ઝઘડા પછી તમામ કામગીરીથી દૂર કરી દેવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં AAPના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથેનો તેમનો ફોટો ખુબ વાયરલ થયો હતો.


ભાજપના પ્રવક્તાએ કાર્યવાહીને યોગ્ય ગણાવી


 કિશન સિંહ સોલંકીની ભાજપામાંથી હકાલપટ્ટી અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે પક્ષના કોઈ પણ નેતા શિસ્તની બહાર જાય છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. આ કાર્યવાહી પણ તેના આધારે જ કરાઈ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.