જાણો Gandhinagar Loksabha બેઠકના સમીકરણો વિશે જ્યાં BJPએ અમિત શાહને તો કોંગ્રેસે મહિલાને આપી છે ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-01 13:11:51

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે જ્યાં ભાજપની જીત થઈ છે. અનેક બેઠકો એવી છે જેને હાઈ પ્રોફાઈલ બેઠકો માનવામાં આવે છે.. તેવી જ ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ એવી ગાંધીનગર લોકસભાની ચર્ચા છે. છેક ૧૯૮૯થી આ બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ પછી તેમણે lucknow બેઠક જાળવી રાખતા. પેટા ચૂંટણીમાં વિજયભાઈ પટેલ જીત્યા. આ પછી ૨૦૧૪ સુધી લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ રહ્યા , આ પછી ૨૦૧૯માં  અમિત શાહ ચૂંટાયા.



ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને સોનલ બેન વચ્ચે ટક્કર થવાની છે. 

26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર બેઠક પર ફરી એક વખત અમિત શાહને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ વખતે ફરી તેઓ મેદાનમાં છે. ગાંધીનગર બેઠક માટે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અમિત શાહ સામે મહિલા પાટીદાર ચેહરા સોનલ પટેલને ટિકિટ આપી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. એટલે સોનલ પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. આ લોકસભામાં બેઠકમાં આવે છે ૭ વિધાનસભાઓ...


આ લોકસભા બેઠકો આવે છે ગાંધીનગર લોકસભા બેઠકમાં... 

જો ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ગાંધીનગર ઉત્તર , કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી. 2022ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, ઠાકોર, દલિત, મુસ્લિમ સમાજો નિર્ણાયક છે. ૨૦૧૯માં તો અમિત શાહ ૫,૫૭,૦૦૦ ની લીડથી જીતી ગયા હતા. તો હવે જોઈએ BJPના ગઢમાં કોંગ્રેસ કેટલા વોટ પ્રાપ્ત કરે છે?



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.