જાણો Gandhinagar Loksabha બેઠકના સમીકરણો વિશે જ્યાં BJPએ અમિત શાહને તો કોંગ્રેસે મહિલાને આપી છે ટિકીટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 13:11:51

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે જ્યાં ભાજપની જીત થઈ છે. અનેક બેઠકો એવી છે જેને હાઈ પ્રોફાઈલ બેઠકો માનવામાં આવે છે.. તેવી જ ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ એવી ગાંધીનગર લોકસભાની ચર્ચા છે. છેક ૧૯૮૯થી આ બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ પછી તેમણે lucknow બેઠક જાળવી રાખતા. પેટા ચૂંટણીમાં વિજયભાઈ પટેલ જીત્યા. આ પછી ૨૦૧૪ સુધી લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ રહ્યા , આ પછી ૨૦૧૯માં  અમિત શાહ ચૂંટાયા.



ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને સોનલ બેન વચ્ચે ટક્કર થવાની છે. 

26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર બેઠક પર ફરી એક વખત અમિત શાહને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ વખતે ફરી તેઓ મેદાનમાં છે. ગાંધીનગર બેઠક માટે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અમિત શાહ સામે મહિલા પાટીદાર ચેહરા સોનલ પટેલને ટિકિટ આપી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. એટલે સોનલ પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. આ લોકસભામાં બેઠકમાં આવે છે ૭ વિધાનસભાઓ...


આ લોકસભા બેઠકો આવે છે ગાંધીનગર લોકસભા બેઠકમાં... 

જો ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ગાંધીનગર ઉત્તર , કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી. 2022ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, ઠાકોર, દલિત, મુસ્લિમ સમાજો નિર્ણાયક છે. ૨૦૧૯માં તો અમિત શાહ ૫,૫૭,૦૦૦ ની લીડથી જીતી ગયા હતા. તો હવે જોઈએ BJPના ગઢમાં કોંગ્રેસ કેટલા વોટ પ્રાપ્ત કરે છે?



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'