જાણો Gandhinagar Loksabha બેઠકના સમીકરણો વિશે જ્યાં BJPએ અમિત શાહને તો કોંગ્રેસે મહિલાને આપી છે ટિકીટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 13:11:51

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે જ્યાં ભાજપની જીત થઈ છે. અનેક બેઠકો એવી છે જેને હાઈ પ્રોફાઈલ બેઠકો માનવામાં આવે છે.. તેવી જ ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ એવી ગાંધીનગર લોકસભાની ચર્ચા છે. છેક ૧૯૮૯થી આ બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પરથી ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ પછી તેમણે lucknow બેઠક જાળવી રાખતા. પેટા ચૂંટણીમાં વિજયભાઈ પટેલ જીત્યા. આ પછી ૨૦૧૪ સુધી લાલકૃષ્ણ અડવાણી અહીંના સાંસદ રહ્યા , આ પછી ૨૦૧૯માં  અમિત શાહ ચૂંટાયા.



ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને સોનલ બેન વચ્ચે ટક્કર થવાની છે. 

26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર બેઠક પર ફરી એક વખત અમિત શાહને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આ વખતે ફરી તેઓ મેદાનમાં છે. ગાંધીનગર બેઠક માટે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અમિત શાહ સામે મહિલા પાટીદાર ચેહરા સોનલ પટેલને ટિકિટ આપી છે. મહત્વનું છે કે ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. એટલે સોનલ પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. આ લોકસભામાં બેઠકમાં આવે છે ૭ વિધાનસભાઓ...


આ લોકસભા બેઠકો આવે છે ગાંધીનગર લોકસભા બેઠકમાં... 

જો ગાંધીનગર બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં ગાંધીનગર ઉત્તર , કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી. 2022ની વિધાનસભાઓની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી . વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, ઠાકોર, દલિત, મુસ્લિમ સમાજો નિર્ણાયક છે. ૨૦૧૯માં તો અમિત શાહ ૫,૫૭,૦૦૦ ની લીડથી જીતી ગયા હતા. તો હવે જોઈએ BJPના ગઢમાં કોંગ્રેસ કેટલા વોટ પ્રાપ્ત કરે છે?



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.