જાણો બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી રેખા ચૌધરી વિશે જેમને BJPએ Banaskanthaના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે


  • Published By :
  • Published Date : 2024-03-02 20:11:39

કૃષિપ્રધાન દેશ છે આપણો.. પશુપાલકોને કારણે આપણું અર્થતંત્ર ચાલે છે. અનેક ડેરીઓને કારણે પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં અનેક ડેરી આવેલી છે જે ગુજરાતના પશુપાલકોને રોજગારી આપે છે, તેમને આત્મનિર્ભર બનાવે છે. ગુજરાતની પ્રખ્યાત ડેરી છે બનાસ ડેરી... બનાસડેરીની આદ્યસ્થાપક છે ગલબાભાઈ પટેલ. ત્યારે તેમના પરિવારના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રેખાબેન ચૌધરી બનાસડેરીના આધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડો. રેખા ચૌધરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.


15 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત 

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. 195 ઉમેદવારોના નામની જાહેર ભાજપે આજે કરી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 5 બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 


બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે રેખા ચૌધરી

રેખાબેનની વાત કરીએ તો તેઓ બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલની પૌત્રી છે. બનાસડેરીને કારણે અનેક પશુપાલકો સ્વનિર્ભર બન્યા. ડો. રેખાબેન હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાદ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ન માત્ર રેખાબેન ચૌધરી પરંતુ તેમનો સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. ડો.રેખાબેન ચૌધરી અને તેમના પતિ ડો. હિતેશ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે. હિતેશ ચૌધરી મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.