જાણો બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી રેખા ચૌધરી વિશે જેમને BJPએ Banaskanthaના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે


  • Published By :
  • Published Date : 2024-03-02 20:11:39

કૃષિપ્રધાન દેશ છે આપણો.. પશુપાલકોને કારણે આપણું અર્થતંત્ર ચાલે છે. અનેક ડેરીઓને કારણે પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં અનેક ડેરી આવેલી છે જે ગુજરાતના પશુપાલકોને રોજગારી આપે છે, તેમને આત્મનિર્ભર બનાવે છે. ગુજરાતની પ્રખ્યાત ડેરી છે બનાસ ડેરી... બનાસડેરીની આદ્યસ્થાપક છે ગલબાભાઈ પટેલ. ત્યારે તેમના પરિવારના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રેખાબેન ચૌધરી બનાસડેરીના આધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડો. રેખા ચૌધરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.


15 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત 

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. 195 ઉમેદવારોના નામની જાહેર ભાજપે આજે કરી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 5 બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 


બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે રેખા ચૌધરી

રેખાબેનની વાત કરીએ તો તેઓ બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલની પૌત્રી છે. બનાસડેરીને કારણે અનેક પશુપાલકો સ્વનિર્ભર બન્યા. ડો. રેખાબેન હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાદ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ન માત્ર રેખાબેન ચૌધરી પરંતુ તેમનો સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. ડો.રેખાબેન ચૌધરી અને તેમના પતિ ડો. હિતેશ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે. હિતેશ ચૌધરી મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.