જાણો બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી રેખા ચૌધરી વિશે જેમને BJPએ Banaskanthaના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે


  • Published By :
  • Published Date : 2024-03-02 20:11:39

કૃષિપ્રધાન દેશ છે આપણો.. પશુપાલકોને કારણે આપણું અર્થતંત્ર ચાલે છે. અનેક ડેરીઓને કારણે પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં અનેક ડેરી આવેલી છે જે ગુજરાતના પશુપાલકોને રોજગારી આપે છે, તેમને આત્મનિર્ભર બનાવે છે. ગુજરાતની પ્રખ્યાત ડેરી છે બનાસ ડેરી... બનાસડેરીની આદ્યસ્થાપક છે ગલબાભાઈ પટેલ. ત્યારે તેમના પરિવારના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રેખાબેન ચૌધરી બનાસડેરીના આધ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે. ડો. રેખા ચૌધરી છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.


15 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત 

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. 195 ઉમેદવારોના નામની જાહેર ભાજપે આજે કરી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 10 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 5 બેઠકો પર નવા ચહેરાને તક આપવામાં આવી છે. બનાસકાંઠાથી ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 


બનાસડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે રેખા ચૌધરી

રેખાબેનની વાત કરીએ તો તેઓ બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ પટેલની પૌત્રી છે. બનાસડેરીને કારણે અનેક પશુપાલકો સ્વનિર્ભર બન્યા. ડો. રેખાબેન હાલ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રાદ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. ન માત્ર રેખાબેન ચૌધરી પરંતુ તેમનો સમગ્ર પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છે. ડો.રેખાબેન ચૌધરી અને તેમના પતિ ડો. હિતેશ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે. હિતેશ ચૌધરી મોરબી જિલ્લા પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.  




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?