Weather Expert Paresh Goswami પાસેથી જાણો Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની એન્ટ્રી, સાંભળો ચોમાસાને લઈ શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2024-05-29 18:28:04

ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના પારામાં સતત વધારો જોવા મળ્યો હતો.. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું.. પરંતુ ધીરે ધીરે ગરમીથી આંશિક રાહત મળી રહી છે.. ગરમી ક્યારે જશે અને વરસાદ ક્યરે આવશે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.. વરસાદ આ વખતે વહેલો  આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે જાણવા પરેશ ગોસ્વામી સાથે જમાવટની ટીમે સંપર્ક કર્યો હતો. 

ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

એક સમય હતો જ્યારે ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આવનાર દિવસમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવશે. વરસાદને લઈ આગાહી કરવામાં આવશે. ગુજરાતીઓ આતુરતાથી ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની પધરામણી ક્યારે થશે તેની રાહમાં છે. ત્યારે દર્શકો વતી જમાવટની ટીમે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી અને આ વખતનું ચોમાસું કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.


વરસાદને લઈ શું કરી આગાહી પરેશ ગોસ્વામીએ?

આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3થી 8 જૂન દરમિયાન બફારાનું પ્રમાણ વધશે. ગરમી 40 ડિગ્રીની આસપાસ હશે પરંતુ તાપમાન જાણે 45 ડિગ્રી પહોંચ્યા હોવાનો અહેસાસ થશે.. તે સિવાય 13થી 15 ચોમાસાનો પ્રવેશ થશે અને વલસાડથી સૌરાષ્ટ્રથી ગુજરાતમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે કરી હતી. આ વખતે વરસાદ રેકોર્ડ બ્રેક કરશે તેવી આગાહી કરી હતી.. તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 4 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે...   



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.