Weather Expert Paresh Goswami પાસેથી જાણો Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની એન્ટ્રી, સાંભળો ચોમાસાને લઈ શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2024-05-29 18:28:04

ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના પારામાં સતત વધારો જોવા મળ્યો હતો.. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું.. પરંતુ ધીરે ધીરે ગરમીથી આંશિક રાહત મળી રહી છે.. ગરમી ક્યારે જશે અને વરસાદ ક્યરે આવશે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.. વરસાદ આ વખતે વહેલો  આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે જાણવા પરેશ ગોસ્વામી સાથે જમાવટની ટીમે સંપર્ક કર્યો હતો. 

ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

એક સમય હતો જ્યારે ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આવનાર દિવસમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવશે. વરસાદને લઈ આગાહી કરવામાં આવશે. ગુજરાતીઓ આતુરતાથી ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની પધરામણી ક્યારે થશે તેની રાહમાં છે. ત્યારે દર્શકો વતી જમાવટની ટીમે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી અને આ વખતનું ચોમાસું કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.


વરસાદને લઈ શું કરી આગાહી પરેશ ગોસ્વામીએ?

આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3થી 8 જૂન દરમિયાન બફારાનું પ્રમાણ વધશે. ગરમી 40 ડિગ્રીની આસપાસ હશે પરંતુ તાપમાન જાણે 45 ડિગ્રી પહોંચ્યા હોવાનો અહેસાસ થશે.. તે સિવાય 13થી 15 ચોમાસાનો પ્રવેશ થશે અને વલસાડથી સૌરાષ્ટ્રથી ગુજરાતમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે કરી હતી. આ વખતે વરસાદ રેકોર્ડ બ્રેક કરશે તેવી આગાહી કરી હતી.. તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 4 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે...   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.