Weather Expert Paresh Goswami પાસેથી જાણો Gujaratમાં ક્યારથી થશે ચોમાસાની એન્ટ્રી, સાંભળો ચોમાસાને લઈ શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2024-05-29 18:28:04

ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનના પારામાં સતત વધારો જોવા મળ્યો હતો.. એક સમય હતો જ્યારે તાપમાન 47 ડિગ્રીને પાર નોંધાયું હતું.. પરંતુ ધીરે ધીરે ગરમીથી આંશિક રાહત મળી રહી છે.. ગરમી ક્યારે જશે અને વરસાદ ક્યરે આવશે તેની રાહ લોકો ક્યારના જોઈ રહ્યા છે.. વરસાદ આ વખતે વહેલો  આવશે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેશે તે જાણવા પરેશ ગોસ્વામી સાથે જમાવટની ટીમે સંપર્ક કર્યો હતો. 

ગરમીથી લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ

એક સમય હતો જ્યારે ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવતું હતું પરંતુ આવનાર દિવસમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવશે. વરસાદને લઈ આગાહી કરવામાં આવશે. ગુજરાતીઓ આતુરતાથી ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની રાહ જોઈ રહ્યા છે અને વરસાદની પધરામણી ક્યારે થશે તેની રાહમાં છે. ત્યારે દર્શકો વતી જમાવટની ટીમે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી અને આ વખતનું ચોમાસું કેવી રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.


વરસાદને લઈ શું કરી આગાહી પરેશ ગોસ્વામીએ?

આગાહી કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 3થી 8 જૂન દરમિયાન બફારાનું પ્રમાણ વધશે. ગરમી 40 ડિગ્રીની આસપાસ હશે પરંતુ તાપમાન જાણે 45 ડિગ્રી પહોંચ્યા હોવાનો અહેસાસ થશે.. તે સિવાય 13થી 15 ચોમાસાનો પ્રવેશ થશે અને વલસાડથી સૌરાષ્ટ્રથી ગુજરાતમાં એન્ટ્રી થશે તેવી વાત તેમણે કરી હતી. આ વખતે વરસાદ રેકોર્ડ બ્રેક કરશે તેવી આગાહી કરી હતી.. તે સિવાય અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો 4 જૂન સુધીમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે...   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.