જાણો કઈ રીતે રાજકીય પાર્ટી કરી રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની પાર્ટીનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:44:43

સોશિયલ મીડિયા તેમજ ટ્વિટરના માધ્યમથી લોકો સુધી પહોંચવું એકદમ સરળ બની ગયું છે. ત્યારે આ માધ્યમનો ઉપયોગ રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે કરી રહી છે. જનસભા માં સંબોધન દ્વારા તો વાકયુદ્ધ થતાં રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેઓ એક બીજા પર પ્રહાર કરી પોતાની પાર્ટીનો પ્રતાર કરી રહ્યા છે. આવો જોઈએ રાજકીય પાર્ટી કેવી રીતે સોશિયલ મીડિયા પર બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાનો પ્રચાર કરી રહી છે. 

સૌથી પહેલા જોઈએ ભાજપનો ડિજિટલ પ્રચાર

પ્રચાર કરવામાં ભાજપ સૌથી આગળ રહે છે. નવતર પ્રયોગો દ્વારા જન જન સુધી પહોંચવા ભાજપ નવતર પ્રયોગો કરતી રહે છે. ભાજપનું આઈટી સેલ પણ ઘણું એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સતત પ્રહાર કરતું રહે છે. પોતાની પાર્ટીના ભરપેટ વખાણ કરવાના અને બીજી પાર્ટી પર આક્ષેપ લગાડવા તેમજ કટાક્ષ કરવામાં ભાજપ ક્યારે પણ પાછળ નથી પડતું. 

-

હવે જોઈએ કોંગ્રેસ કયા મુદ્દાને લઈ કરે છે પોતાનો પ્રચાર - 

કોંગ્રેસ ભલે ગ્રાઉન્ડ પર પ્રચાર કરતી નજરે નથી પડતી, પરંતુ ટ્વિટર પર તે પણ એક્ટિવ છે. ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. નાનો મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય, કોંગ્રેસ હંમેશા ભાજપ પર પ્રહાર કરતું રહે છે. ભાજપ પર આક્ષેપો કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. 27 વર્ષના શાસન પર કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરે છે.

 


આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની સ્ટાઈલ    

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. પોતાનો પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. કોંગ્રેસ અને ભાજપ પર આપ હમેંશા પ્રહાર કરતું રહે છે. ભાજપ અને કોંગ્રેસને અનેક વખત આપે એક ગણાવ્યા છે. મોંઘવારી તેમજ શિક્ષાને લઈ ભાજપ પર અનેક વખત આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની રીત. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.