જાણો કઈ રીતે રાજકીય પાર્ટી કરી રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની પાર્ટીનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:44:43

સોશિયલ મીડિયા તેમજ ટ્વિટરના માધ્યમથી લોકો સુધી પહોંચવું એકદમ સરળ બની ગયું છે. ત્યારે આ માધ્યમનો ઉપયોગ રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે કરી રહી છે. જનસભા માં સંબોધન દ્વારા તો વાકયુદ્ધ થતાં રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેઓ એક બીજા પર પ્રહાર કરી પોતાની પાર્ટીનો પ્રતાર કરી રહ્યા છે. આવો જોઈએ રાજકીય પાર્ટી કેવી રીતે સોશિયલ મીડિયા પર બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાનો પ્રચાર કરી રહી છે. 

સૌથી પહેલા જોઈએ ભાજપનો ડિજિટલ પ્રચાર

પ્રચાર કરવામાં ભાજપ સૌથી આગળ રહે છે. નવતર પ્રયોગો દ્વારા જન જન સુધી પહોંચવા ભાજપ નવતર પ્રયોગો કરતી રહે છે. ભાજપનું આઈટી સેલ પણ ઘણું એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સતત પ્રહાર કરતું રહે છે. પોતાની પાર્ટીના ભરપેટ વખાણ કરવાના અને બીજી પાર્ટી પર આક્ષેપ લગાડવા તેમજ કટાક્ષ કરવામાં ભાજપ ક્યારે પણ પાછળ નથી પડતું. 

-

હવે જોઈએ કોંગ્રેસ કયા મુદ્દાને લઈ કરે છે પોતાનો પ્રચાર - 

કોંગ્રેસ ભલે ગ્રાઉન્ડ પર પ્રચાર કરતી નજરે નથી પડતી, પરંતુ ટ્વિટર પર તે પણ એક્ટિવ છે. ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. નાનો મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય, કોંગ્રેસ હંમેશા ભાજપ પર પ્રહાર કરતું રહે છે. ભાજપ પર આક્ષેપો કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. 27 વર્ષના શાસન પર કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરે છે.

 


આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની સ્ટાઈલ    

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. પોતાનો પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. કોંગ્રેસ અને ભાજપ પર આપ હમેંશા પ્રહાર કરતું રહે છે. ભાજપ અને કોંગ્રેસને અનેક વખત આપે એક ગણાવ્યા છે. મોંઘવારી તેમજ શિક્ષાને લઈ ભાજપ પર અનેક વખત આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની રીત. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.