જાણો કઈ રીતે રાજકીય પાર્ટી કરી રહી છે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની પાર્ટીનો પ્રચાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 15:44:43

સોશિયલ મીડિયા તેમજ ટ્વિટરના માધ્યમથી લોકો સુધી પહોંચવું એકદમ સરળ બની ગયું છે. ત્યારે આ માધ્યમનો ઉપયોગ રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે કરી રહી છે. જનસભા માં સંબોધન દ્વારા તો વાકયુદ્ધ થતાં રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેઓ એક બીજા પર પ્રહાર કરી પોતાની પાર્ટીનો પ્રતાર કરી રહ્યા છે. આવો જોઈએ રાજકીય પાર્ટી કેવી રીતે સોશિયલ મીડિયા પર બીજી પાર્ટી પર પ્રહાર કરી પોતાનો પ્રચાર કરી રહી છે. 

સૌથી પહેલા જોઈએ ભાજપનો ડિજિટલ પ્રચાર

પ્રચાર કરવામાં ભાજપ સૌથી આગળ રહે છે. નવતર પ્રયોગો દ્વારા જન જન સુધી પહોંચવા ભાજપ નવતર પ્રયોગો કરતી રહે છે. ભાજપનું આઈટી સેલ પણ ઘણું એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર સતત પ્રહાર કરતું રહે છે. પોતાની પાર્ટીના ભરપેટ વખાણ કરવાના અને બીજી પાર્ટી પર આક્ષેપ લગાડવા તેમજ કટાક્ષ કરવામાં ભાજપ ક્યારે પણ પાછળ નથી પડતું. 

-

હવે જોઈએ કોંગ્રેસ કયા મુદ્દાને લઈ કરે છે પોતાનો પ્રચાર - 

કોંગ્રેસ ભલે ગ્રાઉન્ડ પર પ્રચાર કરતી નજરે નથી પડતી, પરંતુ ટ્વિટર પર તે પણ એક્ટિવ છે. ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. નાનો મુદ્દો હોય કે મોટો મુદ્દો હોય, કોંગ્રેસ હંમેશા ભાજપ પર પ્રહાર કરતું રહે છે. ભાજપ પર આક્ષેપો કરી કોંગ્રેસ પોતાનો પ્રચાર કરી રહી છે. 27 વર્ષના શાસન પર કોંગ્રેસ ભાજપ પર પ્રહાર કરે છે.

 


આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની સ્ટાઈલ    

આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. પોતાનો પ્રચાર કરવામાં આમ આદમી પાર્ટી પણ પાછળ નથી. કોંગ્રેસ અને ભાજપ પર આપ હમેંશા પ્રહાર કરતું રહે છે. ભાજપ અને કોંગ્રેસને અનેક વખત આપે એક ગણાવ્યા છે. મોંઘવારી તેમજ શિક્ષાને લઈ ભાજપ પર અનેક વખત આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આવો જોઈએ આમ આદમી પાર્ટીના પ્રચાર કરવાની રીત. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે