જાણો કેવી રહી જમાવટની મેટ્રોની પહેલી સફર, અમદાવાદીઓ એ માણી મેટ્રોની મજા !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:39:58


અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એવી મેટ્રો ટ્રેન આજે અમદાવાદીઓ માટે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો આજથી લોકો માટે પ્રારંભ થયો છે, ત્યારે જમાવટ મેટ્રોની મુસાફરી કરી અને લોકો સાથે વાતો કરી કે તેમનો અનુભવ કેવો હતો પહેલીવાર અમદાવાદની મેટ્રોમાં બેસી તેમણે કેવું લાગ્યું ?

 

બાળકોથી લઈ વૃદ્ધોએ માણી મેટ્રોની મજા

આજે સવાર 9 વાગ્યાથી મેટ્રો થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશનો પરથી ટ્રેન ઊપડી હતી.  ત્યારે સવારથી જ અલગ અલગ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. અને મેટ્રોમાંથી અમદાવાદનો  અલગ નજારો માંડ્યો હતો. લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો. લોકો મેટ્રોની મુસાફરી કરવા સ્પેશિયલ આવ્યા હતા. મેટ્રોને જાણે પિકનિક પોઈન્ટ બનવ્યું હોય એમ લોકો ત્યાં સેલ્ફી લેતા હતા અને મુસાફરી કરી રહ્યા હતા..

 

મેટ્રોથી સાબરમતી રિવરફ્રન્ટ જોવાની મોજ

મેટ્રોમાંથી સાબરમતી અને રિવરફ્રન્ટ કેવું દેખાય છે એ જોવા અમદાવાદીઓ મેટ્રોમાં આવ્યા હતા. જેમજ સાબરમતી આવ્યું તેમ લોકો જોર જોરથી બૂમો પાળતા જોવા મળ્યા. ઉપરાંત ટર્નલમાં ટ્રેન આવે ત્યારે પણ લોકોમાં અલગ આનંદ જોવા મળ્યો.

 

મેટ્રોમાં મેળા જેવો માહોલ

થલતેજથી વસ્ત્રાલ સુધી દરેક મેટ્રો સ્ટેશનમાં જાણે લોકોનું કિડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ હતી લોકો મેટ્રોમાં એટલી મજા માણી કે જાણે લોકો મેળામાં આવ્યા હોય. અને લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી.....




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.