જાણો કેવી રહી જમાવટની મેટ્રોની પહેલી સફર, અમદાવાદીઓ એ માણી મેટ્રોની મજા !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:39:58


અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એવી મેટ્રો ટ્રેન આજે અમદાવાદીઓ માટે શરૂ થઈ ગઈ છે. અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1માં પશ્ચિમ અને પૂર્વના છેડાને જોડતા વસ્ત્રાલ અને થલતેજના મેટ્રો રૂટનો આજથી લોકો માટે પ્રારંભ થયો છે, ત્યારે જમાવટ મેટ્રોની મુસાફરી કરી અને લોકો સાથે વાતો કરી કે તેમનો અનુભવ કેવો હતો પહેલીવાર અમદાવાદની મેટ્રોમાં બેસી તેમણે કેવું લાગ્યું ?

 

બાળકોથી લઈ વૃદ્ધોએ માણી મેટ્રોની મજા

આજે સવાર 9 વાગ્યાથી મેટ્રો થલતેજ અને વસ્ત્રાલ બંને સ્ટેશનો પરથી ટ્રેન ઊપડી હતી.  ત્યારે સવારથી જ અલગ અલગ સ્ટેશન પર ઉમટી પડ્યા હતા. અને મેટ્રોમાંથી અમદાવાદનો  અલગ નજારો માંડ્યો હતો. લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો. લોકો મેટ્રોની મુસાફરી કરવા સ્પેશિયલ આવ્યા હતા. મેટ્રોને જાણે પિકનિક પોઈન્ટ બનવ્યું હોય એમ લોકો ત્યાં સેલ્ફી લેતા હતા અને મુસાફરી કરી રહ્યા હતા..

 

મેટ્રોથી સાબરમતી રિવરફ્રન્ટ જોવાની મોજ

મેટ્રોમાંથી સાબરમતી અને રિવરફ્રન્ટ કેવું દેખાય છે એ જોવા અમદાવાદીઓ મેટ્રોમાં આવ્યા હતા. જેમજ સાબરમતી આવ્યું તેમ લોકો જોર જોરથી બૂમો પાળતા જોવા મળ્યા. ઉપરાંત ટર્નલમાં ટ્રેન આવે ત્યારે પણ લોકોમાં અલગ આનંદ જોવા મળ્યો.

 

મેટ્રોમાં મેળા જેવો માહોલ

થલતેજથી વસ્ત્રાલ સુધી દરેક મેટ્રો સ્ટેશનમાં જાણે લોકોનું કિડીયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ હતી લોકો મેટ્રોમાં એટલી મજા માણી કે જાણે લોકો મેળામાં આવ્યા હોય. અને લોકોના મોઢા પર ખુશી જોવા મળી હતી.....




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.